ઘણા લોકો મેદસ્વીતા ઓછી કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ઘણા એવા લોકો હોય છે જેમને પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતો સમય મળતો નથી જેના કારણે તેમનું વજન દિન પ્રતિદિન વધવા લાગે છે. જેના કારણે મેદસ્વીતા પણું વધવાના કારણે આપણા શરીરનો આકાર પણ બદલાઈ જતો હોય છે.

મેદસ્વીતા અને જાડાપણું ને દૂર કરવા માટે લીંબુ અને હળદરનું સુપર ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થશે. હળદર અને લીંબુમાં એવી શક્તિ મળી આવે છે જેને પીવાથી આપણા શરીરમાં લાગેલ થાક અને નબળાઈને દૂર કરી ભરપૂર ઉર્જા અને એનર્જી આપશે.

મેંદ વધવા પાછળના ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે, જેમાં આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયા સૌથી વધારે જવાબદાર હોય છે, કારણે જયારે આપણી પાચનક્રિયા ધીમી થાય છે ત્યારે આપણે ખાધેલ ખોરાક પચતો નથી જેના પરિણામે પેટમાં ચરબી વધતી હોય છે.

ચરબી વધવાના કારણે પેટ બહાર નીકળતું હોય છે અને લટકું હોય તેવું દેખાય છે. જેને આપણે જાડાપણું પણ કહીએ છીએ. આ જાડાપણાને દૂર કરવા માટે હળદર અને લીંબુનું ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે, હળદર અને લીંબુમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે,

જેમકે, સોડિયમ, વિટામિન-સી, મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. વજન ને ઓછું કરવા માટે ઘણી બધી કસરત, યોગા, વોકિંગ, જોગિંગ, ડાયટ, ઉપવાસ કરવા જેવા અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ, તેમ છતાં પણ વજન ઓછું ના થતું હોય તો આ પ્રયત્નો કરવાની સાથે તમારે હળદર અને લીંબુનું બનાવેલ ડ્રિન્ક પીવાનું છે. જેને પીવાથી ચરબીના જામી ગયેલ થર ને ખુબ જ આસાનીથી દૂર કરી વજન અને જાડાપણું ને ઓછું કરશે.

હળદર અને લીંબુનું ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા પહેલા તો એક પેન માં એક ગ્લાસ પાણી નાખીને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરવા મુકો, ત્યાર પછી તેમાં એક ચમચી હળદર નાખો અને એક આખું લીંબુ નીચોવી દો અને પછી 3 મિનિટ થાય ત્યારે ગેસને બંધ કરી એક ગ્લાસમાં નીકાળી લો અને પીવા જેવું થોડું ઠંડુ થઈ જાય ત્યારે પી જવાનું છે.

હવે આ ડ્રિન્ક ક્યારે પીવું જોઈએ તે પણ જાણવું ખુબ જ જરૂરી છે, આ માટે આ ડ્રિન્કને રોજે સવારે ખાલી પેટ પીવાનું છે, આ ડ્રિન્ક પીવાથી મેટાબોલિઝમ રેતમાં વધારો થાય છે, જેન કારણે પેટની ચરબીને ઓગળવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

આ પીણું પિવાથી આપણા શરીરમાં ડાયજેશન સિસ્ટમ ધીમી થઈ ગઈ હોય તો એને સુધારીને પાચનક્રિયાને મજબૂત બનાવે છે, પરિણામે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ખુબ જ ઝડપથી અને આસાનીથી પચાવી લેવામાં મદદ કરે છે.

આ એક એવુંય પીણું છે જેને પીવાથી આપણા શરીરમાં ઇમ્યુનીટી પાવરમાં વધારો થાય છે આ ઉપરાંત પેટને સાફ અને ચોખ્ખું બનાવી રાખવાનું કામ કરે છે, જે આપણા શરીરને અનેક રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. હળદરમાં મળી આવતા એન્ટી બેક્ટેરિયલ ગુણ આપણા વાળ અને ત્વચાને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે.

દરરોજ આ એક ડ્રિન્ક પીવાથી વજન અને ચરબીમાં ધટાડો થશે, માટે જો તમે વજન ધટાડવા માટે પ્રયત્નો કરતા હોય ઓ તેની સાથે રોજિંદા જીવનમાં આ એક ડ્રિન્ક નો સમાવેશ કરવો જોઈએ, જેથી વજન પણ ઓછું થશે અને આપણા આરોગ્ય માટે પણ અનેક ઘણા ફાયદા આપશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *