આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિ ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ ઘણા લોકોને ઘણી આદતો ખુબ જ પરેશાન કરતી હોય છે. મોટાભાગે ઘણા લોકો જમવાનું તો જમે છે પરંતુ જમ્યા પછી તરત જ કંઈક ખાઈ લેતા હોય છે. જેના કારણે તેમની આ આદત તેમના માટે ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે.

જાણતા અજાણતા આપણે એવી વસ્તુનું સેવન કરી લઈએ છીએ જેના કારણે આપણે પાછળથી ઘણી બીમારીનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે આપણે જમ્યા પછી અમુક વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન જમ્યા પછી ના કરવું જોઈએ.

ચા અને કોફી: ઘણા લોકો ચા અને કોફી પીવાના ખુબ જ શોખીન હોય છે. માટે તેમને જમ્યા પછી પણ આપો તો પણ પી જાય છે. પરંતુ જો તમે તરત જ ચા કે કોફી પી લો તો પાચનક્રિયા મંદ પડી જાય છે. આ ઉપરાંત ચા અને કોફીમાં કેફીન નામનું તત્વ મળી આવે છે. જે ખાઘેલ ખોરાકને પચવા દેતો નથી. જેના કારણે પેટને લગતી સમસ્યા પણ થઈ શકે છે. જો તમારે ચા કે કોફી પીવી હોય તો જમ્યાના બે કલાક પછી જ પીવી જોઈએ.

ફળનું સેવન ના કરવું: ફળોનું સેવન જો ખાલી પેટ કરવામાં આવે તો તેના ભરપૂર ગુણ મળી આવે છે. જો તમે બપોર કે રાત્રીના સમયે ભરપૂર ભોજન લીઘા પછી જો તમે ફળ નું સેવન કરો તો પેટ એકદમ ભરેલું હોય તેવું લાગે છે. જેના કારણે પચવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. માટે જમ્યા પછી કયારેય તરત જ ફળનું સેવન ના કરવું જોઈએ. ફળનું સેવન હંમેશા ભૂખ્યા પેટે કરવાથી તેના ભરપૂર ફાયદા જોવા મળે છે.

ઠંડુ પાણી ના પીવું: મોટાભાગે દરેક વ્યક્તિ ઠંડુ પાણી પીવાનું વધારે પસંદ કરે છે. પરંતુ જમ્યા પછી ઠંડુ પાણી પેટમાં જવાથી ખાધેલ ખોરાક પચવામાં ખુબ જ મુશ્કેલ બની જાય છે. જેના કારણે આપણી પાચન ક્રિયા નબળી થઈ જાય છે. જેના કારણે પેટ ખુબ જ ભારે લાગે છે. માટે હંમેશા જમ્યાના 25 મિનિટ પછી પાણી પી શકાય. આ ઉપરાંત જો તમે બપોરે કે રાત્રે જમ્યાના એક કલાક પછી હંમેશા હુંફાળા ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી ખોરાક પચવામાં આસાની રહે અને પેટ સાફ રહે.

સ્નાન ના કરવું: ઘણા લોકોને જમ્યાં પછી સ્નાન કરવાની ટેવ હોય છે. પરંતુ જમ્યા પછી તરત જ સ્નાન કરવાથી બોડીમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થાય છે. જેના કારણે તેની સીઘી અસર પાચનક્રિયા પર પડે છે. માટે જમ્યા ના એક – બે કલાક પછી જ સ્નાન કરવું યોગ્ય છે.

જમ્યા પછી તરત ના ઊંઘવું: ઘણી વખત જમ્યા પછી ઊંઘવાની ટેવ મોટાભાગે દરેક વ્યક્તિ હોય છે. પરંતુ જો તમે જમ્યા પછી સુઈ જશો તો તમારા પાચનક્રિયા ઘીમી થઈ શેક છે. આ ઉપરાંત તરત સુઈ જવાથી પેટ બહાર આવે, જાડાપણું, ચરબી વગેરે વધવાનું જોખમ વઘી જાય છે. માટે જમ્યા પછી સુવાની આદત ભૂલવી જોઈએ.

જો તમે પણ જમ્યા પછી આ ભૂલો કરતા હોય તો અત્યારથી જ આ ભુલો સુઘારવી જોઈએ. જો તમે જમ્યા પછી દરરોજ પાણીનું સેવન કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત પાચન સંબંઘીત સમસ્યા પણ દૂર થઈ જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *