આપણા શરીરમાં ઘણા બઘા અંગો આવેલા છે. દરેક અંગો પોતાનું કાર્ય કરતા હોય છે. પરંતુ આજે એવા કેટલાક મહત્વના અંગ વિશે વાત કરવાના છીએ જે આપણા શરીરમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

આપણા શરીરમાં મહત્વનો અંગ એટલે કે આપણું પેટ છે. જો પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા લાગે તો તેની અસર આપણા શરીર પર પડી શકે છે. માટે કહેવામાં પણ આવે છે કે આપણા કોઈ પણ રોગોનું મૂળ કારણ આપણું પેટ જ છે.

માટે આપણે પેટની કાળજી રાખવી જોઈએ. જો પણે તેને યોગ્ય રીતે સાફ રાખીશું તો આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરશે. માટે તેની સંભાળ લેવી જોઈએ. જો તેની યોગ્ય સમયે તેનું નિરાકરણ ના લાવવામાં આવે તો પરિસ્થિતિ કથળી શકે છે.

ઘણા કોહોના મનમાં પણ કેટલાક પ્રશ્નો આવતા હશે કે પેટને સાફ કરવું તો કઈ રીતે કરવું. પેટને સાફ રાખવાથી આપણા શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશી શકતો નથી. માટે આજે અમે તમને એવો એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે.

પેટને સાફ રાખવા માટે આ ઉપાય એકદમ સરળ છે. જે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આ ઉપાય તમારે એક મહિનામાં ત્રણ વાર કરવો પડશે. જેમ કે જો તમે આજે આ ઉપાય કરી લ્યો તો બોજો ઉપાય દસ દિવસ પછી કરી શકો. આ રીતે મહિનામાં ત્રણ વાર આ ઉપાય કરવો જોઈએ.

હવે આ ઉપાય વિશે વધુ જણાવીશું. આ ઉપાય માટે તમારે ત્રણ વસ્તુની જરૂર પડશે. એક કપ હૂંફાળું પાણી, એક ચમચી મઘ અને અડઘી ચમચી ત્રિફળા પાવડર આ ત્રણ વસ્તુ એકઠી કરી રાખો.

ડ્રિન્ક બનાવવાની રીત: હવે આ ઉપાય માટે સૌથી પહેલા એક કપ જેટલું પાણી લઈને નવશેકું ગરમ થવા મુકો, ત્યાર પછી ત્રિફળા ચૂરણ પાવડર અને મઘને મિક્સ કરી લો, હવે પાણી નવશેકું ગરમ થઈ ગયું હોય તો નીચે ઉતારી લો, ત્યાર પછી તેમાં મધ અને ત્રિફળાનું મિક્સ કરેલ પેસ્ટ પાણીમાં નાખીને હલાવી લો.

હવે પેટને સાફ કરવા આ ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. આ ડ્રિન્કને રાત્રે જમ્યાના એક કલાક પછી અથવા રાત્રે સુવાના એક કલાક પહેલા પી જવાનું છે. આ ડ્રિન્કનું સેવન એક મહિનામાં ત્રણ વખત કરવાની છે. એટલે કે આજે પીધું હો તો 10 દિવસ પછી જ આ ડ્રિન્ક પીવું જોઈએ.

આ રીતે ડ્રિન્ક પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને તમારા શરીરને અનેક રોગથી બચાવવા માં મદદ કરશે. આ ડ્રિન્કનું સેવન કારાથી પેટને લગતી સમસ્યા જેવી કે એસીડીટી, કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યાને દૂર કરશે આ સાથે અનેક રોગ સામે લડવામાં મદદ કરશે.

આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટ તો સાફ થશે તેની સાથે આપણા આંતરડાની પણ સફાઈ થઈ જશે. આંતરડામાં જમા થયેલ ગંદકીને સાફ કરવાનું કામ આ ડ્રિન્ક કરશે. આ ઉપરાંત આંતરડાને સાફ કરવા માટે નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકાય છે. જે આંતરડાની સફાઈ કરશે.

આ સાથે આપણા શરીરમાં ઈમ્યુનીટી વધારવામાં મદદ કરશે. પેટની વધારાની ચરબી હશે તો તેને પણ દૂર કરવા માટે આ ડ્રિન્ક ખુબ જ અસરકારક સાબિત થશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *