આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને એક એવી ઔષધિની વાત કરવાના છીએ જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે ઔષધિનું નામ સરગવો છે. આ એક એવી ઔષધિ છે જે એક વર્ષ માં ફક્ત 2 જ વાર ફળ આપે છે. તે ફળમાં પોષક તત્વો ની માત્રા ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે.

જે ફળ ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું હોય છે. આ સરગવાના પણ, છાલ, તેના ફળ ધણી બધી બીમારી દૂર કરવામાં ઉપયોગી છે. આયુર્વેદ માં આ સરગવાની દેશી દવા બનાવવા માં ઉપયોગ કરવામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

સરગવાના ફળ, અને તેના લીલા પાનમાં કાબોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી ની માત્રા વધારે પ્રમાણમાં આવેલ છે. જેનો ઉપયોગ કરવાથી શરીરને જોઈતા દરેક પોષક તત્વોની કમી ને દૂર કરે છે.

સંતરા, ગાજર, દૂધ, કેળા, દહીં આ બધામાં વિટામિન સી, વિટામિન-એ, કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન જેટલા પ્રમાણમાં મળી આવે છે તેનાથી ત્રણ ગણું સરગવામાંથી મળી આવે છે. સરગવાના બીજ માંથી તેલ અને છાલ, મૂળ માંથી આયુર્વેદિક દવા બનાવામાં આવે છે.

લોહીની શુદ્ધિ : સરગવાના પાનના સેવનથી લોહીની સફાઈ થાય છે. અને તેનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. તેનો રસ શરીરમાં રહેલ હાનિકારક તત્વો મૂત્ર માર્ગ સ્વરૂપે બહાર નીકળી જાય છે.

બ્લડ શુગર કંટ્રોલ કરે : બલ્ડ શુગર લેવલ ને કંટ્રોલ કરવા માટે સરગવો ખુબ જ ઉપયોગી છે. તેના પાનમાં રાઇબોફલેવિન તત્વ મળી આવે છે. જે ડાયાબિટીસ ને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે.

હૃદયની બીમારી : સરગવાના રસનું સેવન કરવાથી હૃદય રોગની બીમારી માં ઘણો ફાયદો થાય છે. આ નું નિયમિત સેવન કરવાથી હૃદય રોગનો હુમલો આવવાનું જોખમ ઘટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ વઘારે : સરગવાના વિટામિન સી નું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ બહુ ઝડપથી વધારે છે. તેમાં સંતરા કરતા પણ ગણું વધારે વિટામિન સી મળી આવે છે.

પેટની સમસ્યામાં રાહત : સરગવાના રસનું સેવન કરવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. ગેસ, અપચો, કબજિયાત, એસીડીટી દરેક માં સરગવો ખુબ જ ફાયદાકારક છે.

ચહેરાને ક્લીન કરવા : સરગવામાં રહેલા બીટા કેરોટીન, પ્રોટી, વિટામિન-બી સારી માત્રા મળી આવે છે. સરગવાના પાનને પીસીને ચહેરા પાર લગાવામાં આવે તો ચહેરો ક્લીન થાય છે અને ચહેરાની ચમક માં વધારો કરે છે.

યૌન સંબંધ : યૌન સબંધિત સમસ્યા હોય તો તેમને સરગવાનું સૂપ પીવું જોઈએ. આ સૂપ દરેક પુરુષ અને દરેક મહિલા માટે ઉપયોગી છે. આ સૂપના સેવનથી શુક્રાણુની સંખ્યા માં વધારો થાય છે. અને વીર્ય ને ઘટ બનાવે છે. વધારે પડતા સરગવાના સૂપના સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. માટે તેનું સેવન અમુક સમય અંતરે કરવું જોઈએ.

સરગવાનું સૂપ બનાવવાની રીત : તો સૌથી પહેલા સરગવાના નાના ટુકડા કરો, અને એક પેન માં 2 કપ પાણી ને ઉકળવા મુકો, પાણી ઉકળે ત્યારે સરગવાના ટુકડા નાખો, અને ધીમા ગેસ પર સરગવાને ચડવા દો, અને જયારે પાણી અડધૂ થાય ત્યાં સુધી ઉકાળો. તેને ગાળી લેવું. થોડું ઠંડુ થાય ત્યારે તેમાં કાળા મારી નો પાવડર અને મીઠું મિક્સ કરીને પછી તેને પી જાઓ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *