આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

સૂકા નારિયેળનો ઉપયોગ આપણે અનેક રીતે કરતા હોઈએ છીએ. સૂકું નારિયેળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. સૂકા નારિયેળમાં ઘણા બધા પોષક મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

સૂકા નારિયેળમાં વિટામિન, ખનીજ તત્વો, કાર્બોહાઇડ્રેટ, ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-એ, એમિનો એસિડ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આરોગ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સૂકા નારિયેળમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે, આઈસ્ક્રીમ, ખીર, મીઠાઈ, પાક બનાવવા વગેરે માં સૂકા નારિયેળનો વધારે ઉપયોગ થાય છે.

સૂકા નારિયેળને ખાવાથી આપણા શરીરને ઘણા વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખવામાં મદદ કરે છે. રોજે એક થી બે ટુકડા સૂકું નારિયેળ ખાવાથી થતા સ્વાસ્થ્ય ને ફાયદા વિષે જણાવીશું. સૂકા નારિયેળના ફાયદા જાણીએ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. જેથી આપણા આરોગ્યને ઘણો ફાયદો થશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ ખુબ જ ફાયદાકારક છે. જેમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણ મળી આવે છે, સૂકું નારિયેળ ખાવાથી ઘણી બીમારીમાં ફાયદાકારક છે, જેવી કે, ગળામાં ઈન્ફેક્શન, યુરિન ઈન્ફેક્શન જેવી બીમારી દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

સૂકું નારિયેળ ઈન્સ્યુલીન બનાવી રાખવામાં મદદ કરે છે, ઈન્સ્યુલીન બનવાના કારણે ગ્લુકોજ ને ઉર્જામાં રૂપાંતર કરે છે, જેથી આપણા શરીરને ભરપૂર ઉર્જા મળી રહે છે, સાથે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.

સૂકું નારિયેળ ખાવાથી ખાધેલ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે, જેથી આંતરડા અને પેટને લગતી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. સૂકા નારિયેળ ખાવાથી ફેટ બર્ન કરી ઉર્જાને વધારવામાં મદદ કરે છે. આમાં મળી આવતા તત્વો આખો દિવસ કામ કરવાથી લગતા થાકને દૂર કરવામાં મદદ કરે છે. જેથી વધારે સમય સુધી કામ કરવામાં મન લાગેલું રહે છે.

આમાં મળી આવતું વિટામિન-એ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે, જેથી વધારે સમય સુધી લેપટોપ અને મોબાઈલ જોવાથી આંખો કમજોર પડી ગઈ હોય તો તે કમજોરીને દૂર કરી આંખોમાં લાગેલ થાકને દૂર કરે છે. આ સૂકી વસ્તુમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે જે લોહીને વધારવામાં મદદ કરે છે, આ ઉપરાંત લોહીના પ્રવાહને સુધારવામાં પણ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.

લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલ લેવલને સુધારવામાં મદદ કરે છે, જેથી હૃદયસ સંબંધિત સમસ્યાઓથી દૂર રાખે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. સૂકા નારિયેળમાં મળી આવતું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકા ને પૂરતું પોષણ પૂરું પાડે છે. જેથી હાડકાને લગતી સમસ્યાઓથી બચાવી હાડકાને મજબૂત બનાવે છે.

આમાં મળી આવતું ફાયબર કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે, સવારે ઉઠીને પેટ સારી રીતે સાફ નથી થતું તો રોજે રાતે સુતા પહેલા નારિયેળનો એક ટુકડો ખાઈને સુઈ જવું જેથી સવારે ઉઠતાની સાથે જ પેટ એકદમ સાફ થઈ જશે.

રોજિંદા જીવનમાં નારિયેળને સમાવેશ કરવામાં આવે તો વજન ને ઓછું કરી શકાય છે, કારણકે એમાં ફેટની માત્રા હોતી નથી જેથી પેટ ભરેલું હોય તેવું લાગે છે, જેથી આપણે વધારે ખોરાક ખાવાથી બચી શકીએ છીએ જેથી વજન કંટ્રોલમાં રાખી શકાય છે.

ડ્રાય થઈ ગયેલ ત્વચા માટે નારિયેળ એનો ઉપયોગ કરવો જોઈએ નિયમિત પાને નારિયેળ તેલને સ્કિન પર લગાવામાં આવે તો પ્રાકૃતિક રીતે ચહેરાને સુંદર અને મુલાયમ બનાવી શકાય છે. સ્કિન ની દેખરેખ રાખવા માટે નારિયેળ તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *