ઉનાળાની ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા ખાન પાન પર ઘ્યાન રાખવું જોઈએ. આપણે એવી કેટલીક વસ્તુનું સેવન કરી લઈએ છીએ તેના કારણે પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે અનેક બીમારીનો સામનો કરવો પડી શકે છે.

હાલના સમયમાં વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણીના કારણે હાઈ બ્લડપ્રેશર, વજન વઘારો, ડાયાબિટીસ, પેટને લગતી સમસ્યા, હૃદયને લગતી બીમારી, શારીરિક કમજોરી જેવી અનેક બિમારીઓ થવાની શક્યતાઓ ખુબ જ વધુ હોય છે.

આ બઘી બીમારીથી બચવા માટે આપણે આપણા આહાર પર પૂરતું ઘ્યાન એવું જોઈએ. આ માટે આપણે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. સાથે ચરબી યુક્ત હારનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ. જેથી પેટને લગતી સમસ્યા અને વજન વઘવાની સમય દૂર થઈ શકે છે.

આપણા સ્વાસ્થ્ય માટે દૂઘ એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. માટે દૂઘને દિવસમાં એક વખત પીવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે. માટે આપણે દૂઘ માં એક એવી વસ્તુ મિક્સ કરીને પીવાની છે જેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં ફાયદાકારક છે.

દૂઘમાં આપણે અંજીર નાખીને સેવન કરવાનું છે. અંજીર એક ડ્રાયફ્રુટ છે. જે દરેક વ્યક્તિને ભાવતું ડ્રાયફ્રુટ છે. જેનું સેવન કરવાથી શરીરમાં ગમે તેવો થાક કે નબળાઈ હોય તો તેને દૂર કરીશે. દૂઘ અને અંજીર બને મિક્સ કરીને પીવાથી આપણા હસરીરને ઘણા બઘા સ્વાસ્થ્ય ફાયદા થાય છે.

દૂઘ અને અંજીરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-સી, ફાયબર, આયર્ન, વિટામિન-એ, વિટામિન-કે, પ્રોટીન, ફોસ્ફરસ જેવા ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે.

તો ચાલો દૂઘ અને અંજીરનું સેવન કરવાથી થતા ફાયદા અને અંજીરદૂઘ બનાવાની રીત વિષે જણાવીશું. અંજીર દૂઘ બનાવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ દૂઘ નાખી ગરમ કરી લો, ત્યાર પછી તેમાં બે અંજીરના ટુકડા લઈને તેના નાના ટુકડા કરી દૂઘમાં નાખી દો, ત્યાર પછી થોડું દૂઘ ઉકળી જાય ત્યારે ગેસને બંઘ કરીને નીચે ઉતારીને થોડું ઠંડુ થઈ જાય ત્યારે પી જવાનું છે અને અંજીરને ચાવી ને ખાઈ જવાના છે.

આ ડ્રિન્ક એક શક્તિ શાળી છે. જેનું સેવન રાતે સુવાના થોડા સમય પહેલા પી જવાનું છે. આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવ્યા પછી એક ગ્લાસ આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં લાગેલ થાક દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં શારીરિક કમજોરી હોય તો તે પણ દૂર થઈ જાય છે. આ ડ્રિન્ક પીવાથી માનસિક તણાવ પણ ઓછો કરી શકાય છે.

આ સુપર ડ્રિન્ક પીવાથી બ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવવા મદદ કરી શકે છે. માટે બ્લડપ્રેશર દર્દી માટે આ પીણું ખુબ જ સારું માનવામાં આવે છે. આ ડ્રિન્કનું સેવન લોહીને શુદ્ધ કરે છે. સાથે લોહીને જાદુ થતા રોકે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયને લગતી બીમારીનું જોખમ પણ ખુબ જ ઓછું થઈ જાય છે.

ડાયબિટીસ એક એવો રોગ છે જે હાલના સમયમાં નાની ઉંમરની વ્યક્તિને પણ થઈ શકે છે. જે ખુબ જ ભંયકર બીમારી માનવામાં આવે છે. આ પીણાંનું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર લેવલની માત્રામાં ઘટાડો કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ડાયબિટીસ દર્દી માટે આ પીણું ખુબ જ લાભદાયક છે.

આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે આપણી માંશપેશીઓને અંદરથી મજબૂત બનાવે છે. આપણા હાડકાને જરુરી કેલ્શિયમની કમીને પૂર્ણ કરી હાડકાને મજબૂત બનાવે છે. જેથી સાંઘા ના દુખાવા કમરના દુખાવા, ઢીંચણના દુખાવામાં રાહત મળે છે. વઘતી ઉંમરે હાડકા નબળા નહીં થાય.

આ આ ડ્રિન્કનું સેવન કરવાથી કબજિયાત, ગેસ, અપચોની સમસ્યાને દૂર કરે છે. આ પીણું આપણા આંતરડામાં ભેગો થયેલ કચરો અને મળને છૂટો કરે છે. જેથી પેટ સાફ રહે છે અને આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે. પાચનતંત્રને મજબૂત બનાવવા અંજીર અને દૂઘનું પીણું ખુબ જ ફાયદાકારક છે.

એમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે જે શરીરમાં રહેલ હીમોગ્લોબિનની કમીને પૂર્ણ કરે છે. આ પીણું લાલા રક્ત કણોમાં વઘારો કરશે. નિયમિત અંજીર અને દૂઘના પીણાંનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા થતી નથી. મહિલાઓ માટે આ પીણું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

આજના સમયમાં ઘણા લોકોને મોડા સુઘી જાગીને મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે તેમને રાત્રે સુતા વખતે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. માટે સારી ઊંઘ લાવવા માટે પણ અપીનું ખુબ જ ફાયદાકારક છે. આ પીણું પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *