આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શિયાળામાં આ વસ્તુઓનું સેવન કરવાથી આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. ઠંડીની ઋતુમાં કંઈક ગરમ ખાવાનું મન વઘારે થાય છે. ઠંડીની ઋતુમાં શેકેલું અને તળેલી વસ્તુનું સેવન વધારે પ્રમાણમાં થાય છે. જેના કારણે પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.
શિયાળામાં ખાલી પેટ કેટલીક વસ્તુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ વસ્તુનું સેવન કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે. આ ઉપરાંત શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તો ચાલો આર્ટિકલમાં જાણીએ ખાલી પેટ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
મઘ અને ગરમ પાણી: ઠંડીની ઋતુમાં દિવસની શરૂઆત ગરમ હૂંફાળા પાણીથી કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત ગરમ પાણીમાં માત્ર એક ચમચી મઘ નાખીને સેવન કરવામાં આવે તો તેનો વધુ ફાયદો મળે છે. આ પાણીનું સેવન કરવાથી આંતરડાને સાફ રાખે છે. આ ઉપરાંત ગરમ પાણીમાં મઘ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલ ઝહેરી તત્વોને બહાર નીકાળી દેશે.
બદામ: બદામમાં પ્રોટીન, ફાયબર, વિટામિન-ઈ, મેન્ગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો મળી આવે છે. બદામ ગરમ હોય છે માટે બદામને રાતે સુતા પહેલા પલાળીને રાખો અને સવારે ઉઠીને ખાલી પેટ ચાવીને ખાઈ લો.
ડ્રાયફ્રુટ: સવારે તમે નાસ્તો કરો તેના 15 મિનિટ પહેલા થોડા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. જેથી પેટ સાફ રહે છે. અને પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે દરરોજ ડાયટમાં કિસમિસ, પિસ્તા, કાજુ અખરોટ બદામ જેવા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. કોઈ પણ ડ્રાયફ્રુટનું સેવન એક સાથે વઘારે પ્રમાણમાં ના કરવું જોઈએ.
ઓટમીલ: ઓટમીલમાં કેલરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે જો ઓટમીલનું સેવન સવારે ખાલી પેટ કરવામાં આવે તો શરીરમાં રહેલા ઝહેરી હાનિકારક પદાર્થોને બહાર કાઠી દેશે. આ ઉપરાંત ઓટમીલનું સેવન આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટમીલનું સેવન કરીને વજનને નિયંત્રણમાં લાવી શકાય છે.
પપૈયા: આંતરડાને સ્વસ્થ રાખવા ઉપરાંત પેટને લગતી સમસ્યા ને પણ દૂર કરવામાં મદદ કરે છે. ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી આરોગ્યને અનેક ફાયદો થાય છે. પપૈયા દરેક સીઝન માં આસાનીથી મળી આવે છે. માટે તેને સવારે નાસ્તામાં સેવન કરી શકાય છે. જેથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે અને હદયને લગતી બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે.
અખરોટ: અખરોટનું સેવન પલાળીને કરવું ફાયદાકારક છે. માટે રાત્રે સુતા પહેલા બે અખરોટને પલાળી દેવા, ત્યાર પછી સવારે ઉઠીને તે અખરોટને ચાવીને ખાઈ જવા. કારણકે પલાળેલા અખરોટમાં પોષક તત્વોવધુ પ્રમાણમાં મળી આવે છે. માટે ખાલી પેટ પલાળેલા બે અખરોટનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.