આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુઓ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રસોડામાં રહેલ રહેલ મોટાભાગની વસ્તુઓ સ્વાદ વઘારવા માટે ખુબ ઉપયોગ થતો હોય છે. પરંતુ તે સ્વાદ વધારવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણોનો ભંડાર મળી આવે છે.

આજે અમે તમને એવી ઔષઘીય વિષે જણાવીશું તેને રોજે ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા થશે. આજે જે ઔષધી વિષે જણાવવાના છીએ તે ઔષધિનું નામ મઘ છે. જે દવાનું કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે.

જે બળતરા અને દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. મઘમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા ઉપરાંત કુદરતી રીતે ચહેરાને સુંદર અને ચમકદાર બનાવામાં મદદ કરે છે.

મઘ ખાવામાં ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે. મઘને વર્ષોથી સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીમાં ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને મઘનું સેવન કરવાના ફાયદા વિષે જણાવીશું. રોજે મઘનું સેવન કરવામાં આવે તો ત્વચાને લગતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

પાચનક્રિયા સુઘારે: પેટને લગતી સમસ્યામાં મઘ ખુબ જ લાભદાયક છે. ખોરાકના પચવાના કારણે અપચો, ગેસ જેવી સમસ્યા રહેતી હોય તો મધનું સેવન કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. મઘ આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયાને સુઘારવાનું કામ કરે છે. માટે જો તમને પાચનને લાગતી સમસ્યા રહેતી હોય તો સવારે અડઘી ચમચી મઘ નું સેવન કરવું. જેથી આપણું પેટ સાફ રહે અને પાચનતંત્ર પણ મજબૂત કરે છે. જો પેટનો દુખાવો થતો હોય તો પણ મધનું સેવન કરી શકાય છે જેથી દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકાય છે.

ઘા માં રૂઝ લાવવા: મઘમાં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે. માટે જો તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય ત્યાં મઘ લાગવાથી રાહત રાહત મળે છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ દાઝી ગયા હોય તો ત્યાં મઘ લાગવાથી દુખાવામાં રાહત થાય છે અને ઘા માં પણ રૂઝ લાવવામાં મદદ કરે છે. મધનો ઉપયોગ કરવાથી તે જગ્યાએ ડાઘ રહેતા નથી.

સારી ઊંઘ લાવવા: આપણી અપૂરતી ઊંઘ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ લાવી શકે છે. જયારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટેંશન, તણાવ, કે ડિપ્રેશનમાં હોય છે તે વ્યક્તિ સારી ઊંઘ મેળવવામાં અસમર્થ રહે છે. માટે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા મઘ ખુબ જ ફાયદાકારક છે. માટે રાત્રે સુતા પહેલા એક વાટકી કપમાં અડઘી ચમચી મઘ મિક્સ કરીને પીવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે.

જેથી આપણું મગજ શાંત રહે છે અને તણાવ માંથી પણ મુક્તિ મળે છે. ઊંઘ સારી લેવાથી આપણા શરીરમાં રહેલ થાક દૂર થઈ જાય છે અને જયારે તમે બીજા દિવસે ઉઠો છો ત્યારે તમે એકદમ ફ્રેશ રહો છો.

ત્વચામાં નિખાર લાવવા: મઘ ચહેરાને સુંદર બનાવાનું કામ કરે છે. ચહેરા પરના ખીલ અને ડાઘ હોય તો એક ચમચી મઘમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવાથી હળવા થશે માલિશ કરવી. 10 – 15 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો. એવું થોડા દિવસ કરવાથી ચહેરા પર ચમક આવશે અને સુંદર દેખાવા લાગશો.

જો તમે રોજે સવારે મઘની અડઘી ચમચી ખાઈ લો તો પણ થોડા જ દિવસમાં તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવી દેશે. વઘતી ઉંમરે ચહેરાને જવાન બનાવી રાખવામાં મદદ કરશે  વજન ઘટાડવા: વજન ઘટાડવા માટે મઘનો સમાવેશ કરી શકાય છે. જો રોજે એક સવારે અડઘી ચમચી મઘ નું સેવન કરી લેવાથી આપણી ચયાપચયની ક્રિયા તેજ કરે છે.

જેથી પેટની ચરબી પણ વઘતી નથી અને વજનને કંટ્રોલમાં લાવી દેવામાં મદદ કરે છે. માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ડાયટમાં મઘનો સમાવેશ કરવો જોઈએ.મઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મઘમાં રહેલ પોષક તત્વો આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

જો તમે શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માંગતા હોય તો મધનું સેવન નિયમિત અંતરે કરતુ કરેવું જોઈએ. ઘ્યાનમાં રાખવું કે કોઈ પણ વસ્તુનું સેવન કરો તો તે થોડી માત્રામાં લેવામાં આવે તો તેના ભરપૂર ફાયદા મેળવી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *