ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી એવા ઘણા મસાલા મળી આવે છે જેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ હોય છે. આવો જ એક મસાલો ઈલાયચી છે. ઈલાયચી ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેનો ઉપયોગ ખાસ કરીને ચા માં મસાલા તરીકે કરવામાં આવે છે. ઇલાયચીને ચા માં નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે.

ઘણા લોકો ઈલાયચીને પાન મસાલા માં પણ નખાવતા હોય છે. નાની દેખાતી ઈલાયચી સ્વાદ વધારવાની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો અપાવે છે. ઈલાયચીનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીમાં રાહત મેળવી શકો છો.આ લેખમાં તમને ઈલાયચી ના ફાયદા વિષે જણાવીશું. તો આવો જાણીએ.

પાચન ક્રિયા સુઘારે : જે લોકોને ખાધેલ ખોરાક પચતો ના હોય અને પાચનક્રિયા ઘીમી થઈ ગઈ હોય તેવા લોકોએ ઈલાયચી ખાવી જોઈએ. જો પાચન ને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી ની સમસ્યાથી પીડિત છો તો ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો. જે પાચન ને સુધારી પેટને લગતા રોગો માંથી છુટકાળો અપાવશે.

વાળની સમસ્યા દૂર કરે છે : આજકાલ નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક લોકો વાળ ખરવા, સફેદ થવા જેવી સમસ્યાથી ખુબ જ પીડિત છે. તેવા લોકોએ રાત્રે એક ઈલાયચીને સુવાના સમયે મોં માં રાખી મુકવાથી વાળ ખરતા ઘણી હદ સુધી અટકાવી શકાય છે.
આ ઉપરાંત ઈલાયચી વાળને કાળા બનાવી રાખે છે, માથામાં થતા ખોડાને રોકે અને વાળને મૂળથી મજબૂત રાખે છે.

મોં ની દુર્ગંધ દૂર કરે: ઘણા લોકોને સવારે પેટ ખરાબ થતું નથી અને કબજિયાતની સમસ્યા થાય છે તેવા લોકોના મોં માંથી ખરાબ દૂર ગંધ આવતી હોય છે. જો તમારા મોંમાંથી પણ ખરાબ દુર્ગંધ આવે છે તો રોજે રાતે સુતા પહેલા મોં માં ઈલાયચી રાખીને સુઈ જાઓ. આમ કરવાથી થોડા જ દિવસમાં ખરાબ પેટ પણ સારું થઈ જશે અને મોં માં આવતી દુર્ગંધ પણ દૂર થઈ જશે.

ઉલ્ટી થતા રોકે: ઘણા લોકોને બસમાં, ગાડીમાં, ટ્રેનમાં, રિક્ષા કે લક્સરીમાં બેસે ત્યારે ઘણી વખત ગભરામણ થવાની સાથે ઉલ્ટી થતી હોય છે, તેવા લોકોએ વાહન માં બેસતા સમયે જ એક ઇલાયચીને મોં માં મૂકી રાખવી. મોમાં ઈલાયચી રાખવાથી ઉલ્ટી અને ગભરામણ થવાની શકયતા ખુબ જ ઓછી થઈ જાય છે.

વજન કંટ્રોલ કરે: જે લોકો વજન કંટ્રોલ રાખવા માંગે છે તેવા લોકો માટે ઈલાયચી ખુબજ ફાયદાકારક છે કારણકે ઈલાયચી વજન ને નિયત્રંણમાં રાખે છે. વજન નિયંત્રિત કરવા માટે રોજે એક ઇલાયચીનો પાવડર બનાવી હૂંફાળા પાણીમાં નાખીને પીવાથી પેટની ચરબી ને ઓગાળે છે અને વજન ને નિયત્રંણમાં રાખે છે.

શરદી કફ દૂર કરે: ઋતુ બદલવાની સાથે શરદી કફ થવું એ સામાન્ય બાબત છે. આ સમસ્યાઓમાં ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે, ઘણા લોકોને બારેમાસ શરદી અને કફ ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ દરરોજ એક ઈલાયચીને મોં માં રાખી મુકવાથી શરદી કફમાં ઘણી રાહત મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *