આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા રસોડામાં એવા ઘણા મસાલા મળી આવે છે જેમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે. તે ઔષધીય વસ્તુ ઈલાયચી છે. જેનો ઉપયોગ ચા માં મસાલા તરીકે કરવામાં આવે છે, ઇલાયચીને ચા માં નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે.

ઈલાયચીને ઘણી બધી વાનગીઓ બનાવતી વખતે નાખવામાં આવે છે. ઈલાયચી દરેક વ્યક્તિના ઘરે ખુબ જ આસાનીથી મળી આવે છે, ઈલાયચીના ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ પણ થાય છે. તે મોં માં આવતી ખરાબ વાસને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે.

ઈલાયચીને ઘણી વખત ઘણા લોકો પાન મસાલા માં પણ નખાવતા હોય છે. નાની દેખાતી ઈલાયચીમાં ઘણા બઘા સ્વાસ્થ્ય લાભો થાય છે. આ માટે એનો ઉપયોગ કરીને ઘણી બીમારીમાં રાહત મેળવી શકાય છે.

આજે અમે તમને એક ઈલાયચીને ખાવાના ફાયદા વિષે જણાવીશું. આ માટે તમારે રોજે રાતે સુવાના સમયે મોં માં મૂકીને સુઈ જવાનું છે. આ રીતે કરવાથી ખુબ જ ગજબના સ્વાસ્થ્ય ફાયદાઓ જોવા મળશે. જેના વિષે આજે અમે તમને આ લેખમાં જણાવીશું.

પાચન ક્રિયા સુઘારે: જેમને ખાધેલ ખોરાક પચતો ના હોય અને પાચનક્રિયા ઘીમી થઈ ગઈ હોય તેવા લોકોએ ખાવી જોઈએ. જો પાચન ને લગતી સમસ્યા કબજિયાત, અપચો, એસિડિટી ની સમસ્યાથી પીડિત છો તો ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો. જે પાચન ને સુધારી તેને લગતા રોગો માંથી છુટકાળો અપાવશે.

વાળની સમસ્યા દૂર કરે: આજે મોટા ભાગના લોકો વાળ ખરવા, સફેદ થવા જેવી સમસ્યાથી ખુબ જ પીડિત છે તેવા લોકોએ રોજે રાતે સુવાના સમયે એક ઈલાયચીને રાતે સુવાના સમયે મોં માં રાખી મુકવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. આ ઉપરાંત વાળને કાળા બનાવી રાખે છે અને ખોડો ને થતા રોકે છે.

ઉલ્ટી થતા રોકે: ઘણા લોકોને બસમાં, ગાડીમાં, ટ્રેનમાં બેસે ત્યારે ઘણી વખત ઉલ્ટી અને ગભરામણ થતી હોય છે, તેવા લોકોએ વાહન માં બેસતા સમયે જ એક ઇલાયચીને મોં માં મૂકી રાખવાની છે જેથી ઉલ્ટી અને ગભરામણ થવાની શકયતા ખુબ જ ઓછી થઈ જાય છે.

વજન કંટ્રોલ કરે: વજન ને નિયત્રંણમાં રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે રોજે એક ઇલાયચીનો પાવડર બનાવી હૂંફાળા પાણીમાં નાખીને પીવાથી પેટની ચરબી ને ઓગાળે છે અને વજન ને નિયત્રંણમાં રાખે છે.

મોં ની ખરાબ વાસ દૂર કરે: ઘણા લોકોને પેટ ખરાબ હોય કબજિયાત હોય પેટ સાફ ના થતું હોય તેવા લોકોને મોં માંથી ખરાબ દૂર ગંધ આવતી હોય છે તેવા લોકોએ રોજે રાતે સુતા પહેલા મોં માં રાખીને સુઈ સુવાનું છે, આમ કરવાથી થોડા જ દિવસમાં ખરાબ પેટ પણ સારું થઈ જશે અને મોં માં આવતી ખરાબ વાસ પણ દૂર થઈ જશે.

શરદી કફ દૂર કરે: શરદી કફ થવું તે ઋતુ પરિવર્તન થવાના કારણે થતી હોય છે, તેમાં ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે, ઘણા લોકોને બારેમાસ શરદી અને કફ ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ રાતે એક ઈલાયચીને મોં માં રાખી મુકવાથી શરદી કફમાં ઘણી રાહત મળે છે.

અહીં આપવામાં આવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આઘારિત છે માટે અન્ય કોઈ બીમારીમાં કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *