ઈલાયચીનો ઉપયોગ ઘરના મસાલા તરીકે કરવામાં આવે છે. ઈલાયચીમાં એક દવાનું કામ કરે છે. ઈલાયચી દેખાવમાં લાગે છે ખુબ જ નાની પરંતુ તેના ખુબ જ ગજબના ફાયદા છે. ઈલાયચી એક માઉથ ફ્રેશનર નું કામ કરે છે.

ઈલાયચી ખુબ જ સુગંઘીત હોય છે. જેનું સેવન કરવાની સાથે જ તાજગી આવી જાય છે. આ માટે આ નાની દેખાતી ઈલાયચીનું સેવન દરરોજ રાત્રે સુતા પહેલા મોં માં મૂકીને સુઈ જવાથી આપણા શરીરમાં મોટાભાગની બીમારી દૂર થઈ જાય છે.

આમ જોવા જઈએ તો તેમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે અનેક બીમારી સામે લડવાની ક્ષમતા ઘરાવે છે. ઈલાયચીમાં મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર જેવા અનેક તત્વો મળી આવે છે.

આ પોષક તત્વો મોટાભાગની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આજે અમે તમને રાત્રીના સમયે ઈલાયચીનું પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું.

મોં ની ખરાબ દુર્ગધ: આજના સમયમાં મોટાભાગના લોકોને મોં માં થી ખરાબ દુર્ગધ આવતી હોય છે. આ માટે ઈલાયચી ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ અંતે જો તમને શ્વાસ બહાર નીકાળતા મોં માં ખરાબ વાસ આવે છે તો દરરોજ રાત્રે જમ્યાના એક કલાક પછી ઈલાયચીના પીણાંનું સેવન કરવું જોઈએ. જે તમારા મોં ની દુર્ગઘ ને દૂર કરી દેશે.

સ્ક્રીન ની સમસ્યા: આમ જોવા જઈએ તો ઈલાયચી સ્ક્રીન ની સમસ્યા માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે તેનું સેવન રાત્રે જમ્યાના એક કલાક પછી કરવાનું છે. અનુંનિયમિત સેવન કરવાથી સ્કિનમાં નિખાર આવે છે. આ પાણીનું સેવન કરવાથી ચહેરા પરના ખીલ, કાળા ડાઘ વગેરે દૂર થઈ જશે.

વાળને લગતી સમસ્યા: રાત્રે સુવાના 15 મિનિટ પહેલા ઇલાયચીનું પાણી પી જવાનું છે.આ પાણીનું સેવન કરવાથી વાળને મજબૂત કરી શકાય છે. આ પાણી પીવાથી વાળને લગતી સમસ્યા જેવી કે વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી અનેક સમસ્યાને દૂર કરી દેશે.

અનિદ્રાની સમસ્યા: જો તમને અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો કે ગ્લાસ નવશેકા પાણીમાં એક ઈલાયચી મિક્સ કરીને પીવાથી ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જાય છે આ ઉપરાંત તેનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે અને ગળાના દુખાવામાં પણ રાહત મળશે.

કબજીયાત: જો તમે રાત્રે જમ્યાં ના એક કલાક પછી ઈલાયચી ને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો તો પેટને લગતી સમસ્યા જેવી કે કબજીયાત, ગેસ, અપચો વગેરેને દૂર કરવામાં ઈલાયચીનું પાણી ખુબ જ ફાયદાકારક છે. તે પેટને એકદમ સાફ કરવામાં મદદ રૂપ સાબિત થાય છે.

વજન ઘટાડવા: તેનું સેવન કરવાથી પેટમાં જામી ગયેલ ચરબીના થરને દૂર કરવામાં મદદ કરશે. જેથી વજન પણ ઘટાડવામાં આ પીણું ખુબ જ કારગર સાબિત થાય છે. આ ઈલાયચીના પીણાંનું સેવન નિયમિત કરવાથી લોહીને શુદ્ધ કરીને તેમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત લોહીમાં વઘારો કરવામાં ખુબ જ ઉપયોગી છે.

પુરુષો માટે આ પીણું વરદાન થી ઓછું નથી કારણકે જો ઈલાયચી વાળા પીણાંનું સેવન કરવામાં આવે તો પુરુષોમાં રહેલ શારીરિક કમજોરી જેવી અનેક સમસ્યાને દૂર કરીને શારીરિક શક્તિ વઘારવામાં આ પીણું ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *