આજે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુનો ઉપયોગ પ્રાચીન કાળથી જ મુખવાસ અને રસોઈમાં કરવામાં આવે છે. આ વસ્તુ ઔષધીય ગુણોથી ભરપુર છે અને તેનું સેવન જમ્યા બાદ કરવાથી ખોરાકને પચાવવામાં સરળતા રહે છે. આ વસ્તુનું ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી અન્ન નળી સારી રીતે સાફ થઈ જાય છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે.

તો આ વસ્તુ એટલે કે વરિયાળી. વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, વિટામીન-K, વિટામીન-E જેવા અનેક ખનીજ તત્વો હોય છે. વરિયાળી આર્યુવેદ પ્રમાણે ત્રિદોષ નાશક હોવાની સાથે તે બુદ્ઘિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ રહેલા છે જેથી ઘણી બધી સમસ્યાઓથી દૂર રહી શકાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિષે.

પાચન માટે: વરિયાળીમાં ખુબજ સારી માત્રામાં ફાયબર હોય છે જે પાચનને સારું રાખે છે. ભોજન પછી શેકેલી વરિયાળીનો મુખવાસ નિયમિત ખાવાથી ભોજન પચવામાં મદદરૂપ થાય છે. ભોજન કર્યા પછી સાકર સાથે વરિયાળી નું સેવન કરવાથી પેટની નાની મોટી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, અપચો વગેરે દૂર થઈ જાય છે.

મેમરી પાવર વધારે : વરિયાળી, સાથે બદામ અને સાકર કરવાથી મેમરી પાવર માં વધારો થાય છે. આ માટે વરિયાળી, બદામ અને સાકરને સરખા પ્રમાણમાં લઇ તેને પીસીને મિક્સ કરો, આ મિશ્રણનું ભોજન બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે.

મોઢાના ચાંદા : વરીયાળીના પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદીમાં રાહત થાય છે. આ માટે 1 એક ગ્લાસ પાણીમાં 1 ચમચી વરીયાળી નાખીને ઉકાળી લો, ત્યારબાદ તેમાં થોડી ફટકડી મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર આ પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદીમાં રાહત થશે.

નબળાઈ દુર કરે : વરિયાળીના સેવનથી શરીરની નબળાઈ અથવા તો શરીરમાં આવેલી કમજોરીને દુર કરી શકાય છે. આ માટે વરીયાળી અને સાકર નો ઉપયોગ કરવો. બંનેને સમાન માત્રામાં લઇ તેને પીસીને સવાર સાંજ એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ દુર .થઇ જશે.

ત્વચા માટે : ખીલને દૂર કરવા અને ચહેરા પર ચમક લાવવા વરીયાળી કારગત સાબિત થાય છે. આ માટે એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવી ત્યારબાદ ઠંડુ થવા દો અને પછી તેને ચહેરા પર લગાવો. 10 મિનીટ પછી ચોખ્ખા પાણી વડે ચહેરાને ધોઈ લો.

વજન ઘટાડે : વરિયાળી શરીરમાં રહેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. અડધી ચમચી વરિયાળીના પાવડરને દરરોજ નવશેકા ગરમ પાણી સાથે દિવસમાં બે થી ત્રણ વાર લેવાથી શરીરની ચરબી ઘટે છે અને તમારું વજન પણ ઓછુ થાય છે.

મોં ની દુર્ગંધ : વરિયાળી ખાવાથી મોં ની દુર્ગંધ દૂર કરી શકાય છે કારણકે તેમાં રહેલું એન્ટી બેક્ટેરીયલ તત્વ મોઢાના બેકટેરિયાને ખતમ કરે છે. માટે જે લોકોને મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તેવા લોકોએ વરીયાળીનું સેવન કરવું જોઈએ.

માથાનો દુખાવો : જે લોકોને વારંવાર માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ વરીયાળી, ધાણા અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરવું,, ત્યારબાદ આ મિશ્રણને નિયમિત સવાર સાંજ ખાવાથી માથાના દુખાવામાં રાહત થશે.

એસીડીટી : એસીડીટી ની સમસ્યા હોય તેવા લોકોએ અડધો ગ્લાસ ઠંડા દૂધમાં એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી એલસી પાવડર અને તેમાં એક ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે આ સાથે એસિડિટી દૂર થાય છે. છે. જો એસિડિટી ને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો વરિયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકર સાથે ખાઈ લેવું. તેનાથી તમારી સમસ્યા દૂર થઇ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *