ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વઘવા લાગે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે એવા કેટલાક આહારનું સેવન કરવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડક બનાવી રાખે. જો આપણું શરીર ઠંડુ હશે તો આપણા શરીરને ગરમી ઓછી લાગશે.

આપણા શરીરમાં ગરમી થવાથી ખુબ જ પરસેવો થવા લાગતો હોય છે જેના કારણે આપણે કોઈ પણ કામ કરવામાં થાક લાગતો હોય અને આપણું એનર્જી લેવલ પણ ઘીરે ઘીરે ઘટવા લાગે છે. માટે ઉનાળાની ભયંકર ગરમીમાં પણ આપણા શરીરને ઠંડક બનાવી રાખવા માટે આપણે કેટલાક આહારને સમાવેશ કરવો જોઈએ.

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને હાઈડ્રેટ રાખવા માટે આહારમાં કઈ વસ્તુનું સેવન કરવું તેના વિષે જણાવીશું. કાકડી: કાકડીમાં શ્રી માત્રામાં પાણી નો સ્ત્રોત મળી આવે છે. જે શરીરને અંદરથી હાઈડ્રેટ રાખે છે. કાકડીનું સેવન કરવાથી આપણું આખું શરીર થડક રહે છે.

કાકડીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. આ ઉપરાંત ફાયબર, વિટામિન-સ, વિટામિન-કે, પોટેશિયમ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. રોજ કાકડીને બપોરે અને રાત્રીના ભોજન પછી સલાડ બનાવીને ખાવાથી આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે.

આ ઉપરાંત ઉનાળાની કાળજાર ગરમીમાં આપણી આંખો પર તેની અસર જોવા મળે છે જેથી કાકડીને કાપીને તેનો જ્યુસ બનાવીને સેવન કરવાથી પણ આંખોને ઠંડક મળે છે આ ઉપરાંત કાકડીની સ્લાઈસ લઈને આંખો પર 15-20 મૂકી રાખવાથી આંખોને થડક મળી રહે છે.

કાકડીમાં રહેલ વિટામિન-સી આપણી ઈમ્યુનિટીને મજબૂત બનાવી રાખે છે. જેથી કોઈ પણ કામ કરતા લાગતો થાક ને દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીર ઈન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે. આ ઉપરાંત આપણા શરીરમાં પાણીની કમીને પૂર્ણ કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે.

દ્રાક્ષ: ઉનાળાના ભરપૂર તડકો પડતો હોય છે. તડકામાં આખો દિવસ ફરવાથી ઘણી વખત માથાનો દુખાવો થતો હોય છે. માટે જો તમે દ્રાક્ષનું સેવન કરશો તો તડકામાં ફરવાથી થતા માથાના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તડકામાં રહેવાથી આપણી સ્કિન પર તેની અસર જોવા મળતી હોય છે.

સ્કિનને સુરક્ષિત રાખવામાં દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. દ્રાક્ષમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામણ-સી, વિટામિન-એ,સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. માટે તમે ઉનાળાની ગરમીથી બચવા માટે દ્રાક્ષ ને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી શરીરને ઠંડક મળી રહે.

તરબૂચ: ઉનાળામાં દરેક વ્યક્તિને ભાવે તેવું ફળ એટલે કે તરબૂચ. તરબૂચનું સેવન કોઈ પણ સમયે કરી શકાય છે. શરીરને થડક અપાવવા માટે બપોરે અને રાત્રે ખાવું યોગ્ય માનવામાં આવે છે. તરબૂચમાં કેલ્શિયમ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે.

માટે તેનું સેવન કરવાથી શરીરને થડક તો મળે છે સાથે આપણા હાડકાને મજબૂત પણ બનાવાનું કામ કરે છે. જયારે પણ પાણીની તરસ લાગી હોય અને પાણી ના મળે તો તરબૂચનું સેવન કરવાથી તરસ ઓલવાઈ જાય છે. કારણકે તેમાં સારી માત્રામાં પાણીનો ભાગ મળી આવે છે. તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *