વ્યક્તિની બદલાયેલ જીવન શૈલી માં ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બેઠાળુ જીવન હોવાના કારણે વ્યક્તિને ઘુંટણ ના દુખાવાથી ખુબ જ પીડાઈ રહ્યો હોય છે.
ઘુંટણ ના દુખાવા ઘરડા લોકોમાં જોવા મળતા હતા પરંતુ આજના આધુનીય યુગમાં ઘુંટણ ના દુખાવા નાની ઉંમર જ ઘણા લોકોમાં જોવા મળે છે. જે મહિલાઓ અને પુરુષ બને માં જોવા મળે છે. ઘૂંટણ ના દુખાવા ખુબ જ અસહ્ય અને પીડાદાયક હોય છે.
અસહ્ય ઘુંટણ ના થતા દુખાવામાં રાહત મેળવા માટે ઘણી બધી દવાઓ કરાવવા છતાં પણ દુખાવામાં રાહત મળતી ના હોય તો આ ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરી શકો છો, જે ઘુંટણ ના અસહ્ય દુખાવાને મટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ઘુંટણ ના દુખાવા થવા પાછળ ના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે, જેમ કે, વધુ વજન ઉંચકવું, વજન વધુ હોવું, લાંબા સમય સુઘી ઉભા રહેવું, કેલ્શિયમ ની ઉણપ રહેવી, લુબ્રિકેંટ ઓછું થઈ જવું જેવા ઘણા કારણો થી ઘુંટણમાં દુખાવા થતા હોય છે જેથી ચાલવા, ઉઠવા અને બેસવામાં પણ ઘણી તકલીફ થતી હોય છે.
ઘુંટણ ના દુખાવા ઘરેલુ ઉપાય:
હળદર અને ચુના ની પેસ્ટ: સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી હળદર લઈ, તેમાં એક ચમચી જેટલો ચૂનો લેવાનો છે, ત્યાર પછી તેમાં એક ચમચી શુદ્ધ દેશી મઘ મિક્સ કરીને સારી રીતે હલાવી પેસ્ટ તૈયાર કરો હવે આ પેસ્ટ ને ઘુંટણ ના દુખાવા વાળી જગ્યાએ લગાવી દો.
તેના ઉપર કપડું કે રૂમાલ બાંધી લો અને પાંચ થી સાત કલાક પછી તેને ગરમ પાણી વડે ઘોઈને નીકાળી દેવાનું છે. આ ઉપાય તમે કરશો તો એક દિવસ માં જ રાહત નો અનુભવ થશે. આ માટે ઘુંટણ ના દુખાવામાં હળદર અને ચુના ની પેસ્ટ 100% અસરકારક સાબિત થશે.
સુંઠ પાવડર: ઘુંટણ ના દુખાવામાં રાહત માટે સુંઠ પાવડર પણ કારગર સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા સુંઠ પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને હલાવી ગરમ કરી લો, ત્યાર પછી તે પેસ્ટને ઘુંટણ પર લગાવી તેના ઉપર કપડું બાંધી લો, થોડા જ દિવસ આ ઉપાય કરવાથી ઘુંટણ ના દુખાવામાં રાહત મળશે,
આ સાથે તમે રોજે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી સુંઠ પાવડર મિક્સ કરીને પીવાથી ઘુંટણ ના દુખાવા કાયમી છુટકાળો મેળવી શકાય છે. સુંઠ નું પાણી પીવાથી ઘૂંટણ, કમર, સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
ઘણાં લોકો માં જોવા મળ્યું છે કે ઉભા ઉભા અને ઉપર મોઢે પાણી પીવાના કારણે ઘુંટણ અને સાંધા ના દુખાવા થતા હોય છે આ માટે નીચે બેસીને જ ધુંટડે ધુંટડે પાણી પીવું જોઈએ, જેથી ઘુંટણ અને સાંઘા ના દુખાવા ના થાય. આ સાથે પૌષ્ટિક અને હેલ્ધી ઘર નો ખોરાક ખાવો જોઈએ. જે શરીરના દરેક અંગો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.