આજના સમયમાં કોઈ પણ કામ કરવા માટે જુદી જુદી ટેક્નોલોજી અથવા તો એવા સાધનોનો ઉપયોગ કરવામાં જેથી માણસનું કામ અડધું થઇ જાય છે અથવા તો કામ કરવા માટે માણસની જરૂર પડતી નથી. આ બધી સગવડો થી માણસનું જીવન પહેલા કરતા એકદમ સરળ થઇ ગયું છે પરંતુ તેની અસર માણસ પર વધુ જોવા મળે છે.

આજનો માણસ બેઠાડું જીવન જીવવાની જીવનશૈલી સાથે જોડાઈ રહ્યો છે જેથી તે જાત જાતની બીમારીઓનો શિકાર બની રહ્યો છે. કોઈ પણ મોટી બીમારી થવી તેની પાછળ લાખો રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ જો જીવનશૈલી બદલવામાં આવે તો કોઈ પણ બીમારી થી બચી શકાય છે. કોઈ પણ બીમારીથી બચવા માટે સૌથી પહેલા ખાવા-પીવામાં ધ્યાન આપવાની જરૂર છે.

આ માહિતીમાં તમને એક વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુ શક્તિ અને તંદુરસ્તીનો ખજાનો કહેવામાં આવે છે. આ વસ્તુ ખાવાથી ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાય છે. આ વસ્તુ એટલે કે ગોળ. ગોળ જે દરેકના ઘરે સરળતાથી મળી રહે છે. તો ચાલો જાણીએ સ્વાસ્થ્યવર્ધક ગોળ ખાવાના ફાયદા વિષે.

સાંધાનો દુખાવો: સાંધાના દુખાવાથી ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડે છે. સાંધાના દુખાવાથી ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છે તો તમારે રોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય માટે ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.

લોહીની ઉણપ: ગોળમાં લોહ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ગોળ ખાવાથી હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે. દરરોજ ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રામાં વધારો થાય છે અને એનિમિયા મટે છે.

અસ્થમા: અસ્થમાની સમસ્યા ઘણા બધા લોકોમાં જોવા મળે છે. અસ્થમામાં દર્દી માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. અસ્થમાની સમસ્યાથી પીડાઈ રહેલા લોકોએ ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

મગજ : દેશ ગોળનું સેવન મગજ માટે ખુબજ ફાયદાકારક છે. જો દેશી ગોળ એટલે કે શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તમને ખૂબ મોટો ફાયદો થાય છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. દરરોજ ગોળ ખાવાથી તમારું મગજ સ્વસ્થ રહે છે અને તમારી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.

હાડકા: શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકાની તકલીફ થાય છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તેથી ગોળ ખાવાથી શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત પુરી કરી શકાય છે અને હાડકાંને મજબૂત કરી હાડકાની સમસ્યાથી બચી શકાય છે.

પેશાબ ની સમસ્યામાં રાહત: પેશાબની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગોળ માં આંબળા નું ચૂર્ણ મિક્સ કરીને દરરોજ 5 ગ્રામ ની માત્ર માં સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે આ સાથે રક્તપિત્ત માં ખુબ જ ફાયદો થાય છે.

શરીરમાં બળતરા: શરીરની બળતરા દૂર કરવા માટે હરડેના ચૂર્ણ સાથે ગોળને પીગળાવીને તેની નાની નાની ગોળીઓ બનાવી તે 1 – 1 ગોળી પાણી અથવા તો દૂધ સાથે લેવાથી ઉનાળા માં થતી બળતરા ઝડપથી દૂર કરી શકાય છે.

અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *