આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વૃદ્ધા વસ્થામાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા એટલકે ઘુંટણનો દુખાવો. ઉંમર વઘવાની સાથે જ ઘુંટણના દુખાવા થવાનું શરૂ થઈ જાય છે. આમ તો ધૂંટણ ના દુખાવા ને સંધિવા તરીકે ઓળખાય છે. ઘુંટણના દુખાવાનો જલ્દી ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.

નહિ તો તે દુખાવો દિવસે ને દિવસે વઘતો જ જતો હોય છે. હાલના જેમ જેમ સમય બદલાય છે તેમ નાની ઉંમર માં જ ઘુંટણના દુખાવા થવા લાગ્યા છે. ખાસ કરીને 35 – 40 વર્ષની ઉંમરે પણ ઘુંટણના દુખાવાની સમસ્યા થતી જોવા મળે છે.

માટે ઘુંટણના દુખાવામાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ. જેથી વૃદ્ધાવસ્થામાં વધારે તકલીફનો સામનો ના કરવો પડે. માટે જો ઘુંટણનો દુખાવો થાય ત્યારે તરત જ દેશી ઘરેલુ ઉપાય કરીને દુખાવાને દૂર કરવા જોઈએ.

ઘુંટણના દુખાવા થાય ત્યારે તેલથી માલિશ કરવી પણ ખુબ જ જરૂરી છે. ઘુંટણના દુખાવામાં સરસવનું તેલ, મેથી, અશ્વગંઘા, હળદર જેવી ઔષધીનો ઉપયોગ કરીને દુખાવાને દૂર કરી શકાય છે. હવે અમે તમને ઘુંટણના દુખાવા દૂર કરવાના ઉપાય વિશે જણાવીશું.

ઘુંટણના દુખાવા દૂર કરવાંના ઉપાય: સરસવનું તેલ: સરસવના તેલમાં એવા કેટલાક બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે જે દુખાવાને દૂર કરે છે. માટે જો ઘુંટણના દુખાવાની સમસ્યા થાય ત્યારે સવારે અને સાંજે સરસવના તેલની માલિશ કરવી જોઈએ. જો શરીરમાં કોઈ પણ દુખાવા થતા હોય તો સરસવના તેલની માલિશ કરવાથી આરામ મળે છે.

અશ્વગંઘા ચૂરણ: ઘુંટણના દુખાવા દૂર કરવા માટે આ ઔષઘી ખુબ જ ઉપયોગી છે. આ માટે અડઘી ચમચી અશ્વગંઘા ચૂરણમાં અડઘી ચમચી સૂંઠ પાવડર અને એક ચપટી સાકર પાવડર મિક્સ ચૂરણ પાવડર તૈયાર કરો. હવે સવારે અને સાંજે બંને ટાઈમ આ ચૂરણ પાવડર ખાઈ લેવાનો છે. આ ચૂરણ પાવડરના સેવનથી ઘુંટણના દુખાવા થોડા જ સમય માં દૂર થઈ જશે.

હળદર વાળું દૂઘ: હળદરમાં બળતરા વિરોઘી ગુણ મળી આવે છે જે ઘુંટણના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે ચમચી હળદર મિક્સ કરીને પીવાનું છે જેથી ઘુંટણના દુખાવા દૂર થઈ જશે. શરીરના દરેક દુખાવામાં આ હળદર વાળું દૂઘ પી શકાય છે.

આદું: આદું ની તાસીર ગરમ છે. તેમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. આ માટે આદુની પેસ્ટ બનાવીને ઘુંટણના થતા દુખાવા પર લગાવી લો. આ પેસ્ટ લગાવાથી થોડા જ સમયમાં ઘુંટણમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. આર્થરાઈટિસનાં દરેક દુખાવાને દૂર કરવામાં આદું ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

મેથી: આમ તો મેથી માં ઘણા બઘા આયુર્વેદિક ગુણ મળી આવે છે. આ માટે તમે મેથીનો પાવડર બનાવી લો, હવે એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મેથી નો પાવડર મિક્સ કરી લો, હવે તે પાણીને સવારે અને સાંજ બંને સમયે પી જવું. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા નાખીને આખી રાત પલાળીને રહેવા દો. હવે આ પાણીને સવારે ઉઠીને પી જવું. આ પાણી પીવાથી ઘુંટણના દુખાવામાં આરામ મળશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *