અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે અને ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. શિયાળામાં લીલી શાકભાજી અને ઠંડીથી બચવા માટે ઘણી બધી વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઠંડીથી બચવા મોટાભાગના લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે.

ગુંદરમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બધી નાની મોટી બીમારીઓ હંમેશા માટે દુર થાય છે. આયુર્વેદિક દવાઓ બનાવવા અને લાડુ બનાવવા માટે ગુંદરનો ઉપયોગ ખુબજ થાય છે.

ગુંદર ખાવાથી કયા લાભ થાય છે તે વિષે જાણીએ. કમરમાં દુખાવો: મોટા ભાગના લોકોને પગનો દુખાવો અને કમરનો દુખાવો થવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ ગુંદ ખાવાથી લોકોને કમરના દુખાવામાં રાહત મળે છે અને તેના માટે તમારે ફક્ત બાવળની છાલ અને ગુંદરને પીસવું છે અને દિવસમાં ત્રણ વખત પાણી સાથે તેનું સેવન કરવાથી જલ્દી જ તમને ફાયદો થશે.

ઝાડા ઉલ્ટીમાં રાહત: જો તમને વધુ પડતી ગરમી થવાને કારણે ચક્કર આવે છે અથવા ઉલ્ટી થતી આધાશીશી લાગે છે તો પછી તમે આ ગુંદ ખાઓ જેનાથી તમને આનો જલ્દી લાભ થઇ જશે. સૌ પ્રથમ 1/2 ગ્લાસ દૂધમાં ગમ ઉમેરો અને ખાંડની કેન્ડી ઉમેરીને તેનું સેવન કરો.

ડાયાબિટીસમાં ફાયદાકારક: અત્યારના સમયમાં ડાયાબિટીસની બીમારી ખુબજ વધી ગઈ છે. જો ડાયાબિટીસનો ઉપચાર ન કરવામાં આવે અથવા ડાયાબિટીસને અવગણવામાં આવે તો, ડાયાબિટીઝની સ્થિતિ અનિયંત્રિત અને જીવલેણ સ્વરૂપ લઈ શકે છે.

ઘણી વાર ડાયાબિટીઝના દર્દીઓને પણ સ્ટ્રોકનું જોખમ આવી શકે છે. અને ઉપાય માટે ચાર ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે.

શક્તિવર્ધક : જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ આવી ગઈ છે તો ગમ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે અને આ માટે દરરોજ અડધો ગ્લાસ દૂધ ગમ સાથે મિક્ષ કરીને પીવું જોઇએ અને જો તમારા શરીરમાં એનિમિયા છે, તો પછી ગુંદરનો ઉપયોગ એ રામબાણતા સાબિત થાય છે.

લોહીનો અભાવ: શિયાળામાં જો ગુંદરના લાડુ અથવા ચીકીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઇ શકે છે. આ સાથે સાથે ગુંદરના લાડુઓનું સેવન શિયાળામાં કરવાથી શરીરને અંદરથી ગરમ રાખે છે જેથી ઠંડીની અસર ઓછી થાય છે.

માથાનો દુખાવો: જો તમે ઘણા લાંબા સમય થી માથાના દુખાવા રહે છે અને ઘણી દવા કરવાથી પણ તમને સારું લાગતું નથી તો તેના માટે તમે બાવળના ગુંંદ નો ઉપયોગ કરી શકો છો અને તેના ઉપયોગ માટે તમે પાણીની અંદર બાવળ ના ગુંદ ને ઘસી લઇ માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

પેટ અને આંતરડાના ઘાવ : બાવળ ના ગુંદ ને પાણીની અંદર પલાળી રાખી પેટ અને આંતરડા ની આસપાસ ચોપડવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે.

ઉધરસ માટે: ઘણી વાર વાતાવરણમાં ફેરફારને કારણે મોટે ભાગે ઉધરસ અને શરદી ની સમસ્યા થતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે.

દાઝયા પર: ઘણીવાર કોઈ ગરમ વસ્તુનો સ્પર્શ કરવાથી તે ભાગ દાઝી જાય છે. આ સ્થિતિમા શુ કરવુ તેની જાણકારી મોટાભાગના લોકોને હોતી નથી. તો તેના ઉપાય માટે તમે બાવળના ગુંદ ને પાણીની અંદર પલાળી શરીરના જે ભાગમાં દાજી ગયા હોય તે જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

હ્રદયના રોગ દૂર કરવા : શેકેલો ગુંદર હ્રદયને લગતા બધા રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *