ઘુંટણનો દુખાવો આજના સમયમાં સામાન્ય સમસ્યા છે. જે આજના આધુનિક યુગમાં નાની ઉંમરે સૌથી વધુ જોવા મળી રહી છે. ઘુંટણના દુખાવા થવાના ઘણા બધા કારણો છે આ માટે આજે અમે તમને ઘુંટણ દુખાવાના કારણો અને ઘુંટણ દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું.

ઘુંટણના દુખાવા થવાના કારણો: જે લોકોને મોટાપા અને વજન વધારે હોય તેવા લોકોમાં ઘુંટણના દુખાવા ખુબ જ જોવા મળી રહ્યા છે. જયારે વજન વધારે હોય છે ત્યારે આપણા શરીરનું બધું વજન ઘુંટણ પર આવી જતું હોય છે જેના કારણે ધુંટણમાં દુખાવા વધુ થતા હોય છે.

કોઈ જગ્યાએ ઘુંટણ અથડાયું હોય તો ઘુંટણના દુખાવા વધુ થતા હોય છે. આ સિવાય આજના સમયમાં મોટાભાગના લોકો પોષણ યુક્ત ખોરાક ના ખાવાં કારણે પણ ઘુંટણ ના દુખાવા થતા જોવા મળતા હોય છે.

ઘુંટણના દુખાવા થવાનું સૌથી મોટું કારણ લુબ્રિકેશન ખતમ થઈ જવું. લુબ્રિકેશન આપણા હાડકા અને જોઈન્ટ ની વચ્ચે રહે છે જે ઓછું થવાના કારણે જેમ ઉમર વધે તેમ ઘુટંણના દુખાવા સૌથી વધુ જોવા મળે છે. નાની ઉંમરે થતા ઘુંટણના દુખાવામાં રાહત મેળવવા આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.

ઘુંટણના દુખાવાવ ના થાય એ માટે આપણે આપણા વજન ને ધટાડવું પડશે વજન કંટ્રોલમાં રહેશે તો ઘુંટણના દુખાવા થવાની શક્યતા ખુબ જ ઓછી રહેશે. આ ઉપરાંત કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ માટે ફ્રૂટ્સ, લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું જોઈએ.

ઘુંટણના દુખાવા આજીવન થવા ના દેવા હોય તો રોજે 25-30 ચાલવું જોઈએ ચાલવાથી આપણા જોઈન્ટ ખુલે છે આ માટે તમારે ધીરે ધીરે ચાલવાનો સમય વધારવો જોઈએ અને રોજનું 30 મિનિટ ચાલવું જોઈએ.

ઘુંટણ ના દુખાવામાં આ એક ડ્રિન્ક રોજે પીવામાં આવે તો આજીવન ઘુંટણમાં લુબ્રીકેશન ઓછું નહીં થાય અને ઘુંટણના દુખાવા કયારેય થશે જ નહીં માટે નાના મોટા દરેક વ્યક્તિને આ ડ્રિન્ક પીવડાવવું જોઈએ. આ માટે આપણે હળદરવાળું દૂધ પીવાનું છે.

હળદરનું દૂધ પીવાથી કેલ્શિયમ જેવા ઇન્ક પોષક તત્વો મળી આવે છે જે આપણા હાડકા અને જોઈન્ટ ને મજબૂત બનાવે છે. આ હેલ્ધી ડ્રિન્ક પિવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ ગુણ મળી આવે છે જે દુખાવાને પણ દૂર કરશે, હળદરનું દૂધ બનાવવા માટે સૌથી પહેલા એક એક ગ્લાસ દૂધને એક પેનમાં નાખી ધીમા ગેસ પર ગરમ કરવા મુકો ત્યાર પછી તેમાં એક ચમચી હળદર મિક્સ કરો, ત્યાર પછી તેમાં થોડી ખસખસ અને ત્રણ થી ચાર કાળામરીનો પાવડર નાખીને દૂધનો બે થી ત્રણ વખત ઉભરો આવે પછી બંધ કરી દેવો,

હવે આ ડ્રિન્ક પીવાથી શરીરમાં ભરપૂર તાકાત અને એનર્જી પણ મળશે. આ ઉપરાંત આ ડ્રિન્ક રાતે સુતા પેહલા પીવાનું છે જેથી ખુબ જ સારી ઊંઘ પણ આવશે અને ઘુંટણના થતા દુખાવાને તાત્કાલિક રાહત મળશે. ઘુંટણના દુખાવા માંથી કાયમી છુટકાળો મેળવવા માટે રોજે આ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *