અમુક ઉંમર થાય એટલે વાળ ખરવાની શરૂઆત થઇ જાય છે અને આપણે તેને સ્વીકારી લૈયે છીએ કે ઉંમર વધે છે તો વાળ ખરે છે, પરંતુ તમે નોંધ્યું હશે કે આજકાલ પ્રદુષણના કારણે ઉંમર પહેલા કે વાળ ખરવા લાગે છે. હવે તો મોટી ઉંમરના જ નહિ, પરંતુ 25 થી 27 વર્ષની ઉંમરના લોકોને પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

સામાંન્ય રીતે કૉલેજના દિવસોમાં જ વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. કારણ કે એકસાથે સૂર્ય-પ્રદૂષણની અને પ્રદુષની અસર વાળને કમજોર કરી નાખે છે અને આવી સ્થિતિમાં રોજની દોડધામ અને પરસેવાથી પણ વાળ નબળા પડી જાય છે.

આ વાળ ખરવાનું કારણ શું છે : આજકાલ વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે તેથી તેના પર હવે કોઈ ખાસ ધ્યાન પણ આપતું નથી, કારણ કે આપણે કહીએ છીએ કે આ નોર્મલ છે. પરંતુ જ્યારે વાળ ખરવા એ ઘણી બીમારીઓ કે ખાવાની ખોટી આદતો પણ સૂચવે છે.

વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે હવાનું પ્રદૂષણ, ખોટું ખાન પાન, વાળની ​​કાળજી ના લેવી, ગંદા વાળ રાખવા, થાઇરોઇડ અને આનુવંશિક કારણ વગેરે વગેરે. ઉપર જણાવવામાં આવેલા કોઈપણ કારણોથી વાળ ખરવાની સમસ્યા શરુ થઇ શકે છે.

લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે બજારમાં ઘણા બધા હેરફોલ પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ તેમાંથી કેટલી આપણને ઉપયોગી છે તે તમને સારી રીતે ખબર હશે. આજે આપણે જાણીશું કે ખરતા વાળને એક સરળ ઘરગથ્થુ ઉપચારથી પણ દૂર કરી શકાય છે.

મેથીના દાણા : વાળ ખરવા માટે મેથીના દાણા એક સારો ઉપાય છે. મેથીના દાણાથી તમે ઘરે બેઠા જ વાળ ખરતા અટકાવી શકો છો તેથી જ મેથીને વાળ ખરવાની સામાન્ય દવા માનવામાં આવે છે. મેથીના દાણાનો ઉપયોગ કરીને વાળની ​​ડેન્ડ્રફ જેવી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

વાળને મુલાયમ બનાવવા માટે : મેથીના દાણા વાળને મુલાયમ બનાવે છે અને વાળ ખરતા પણ અટકાવે છે. મેથીમાં એક પ્રકારનું એસિડ અને પ્રોટીન જોવા મળે છે જે વાળની સમસ્યા માટે ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો મેથીનો ઘરે જ હેર પેક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો .

મેથી દાણા પાણી : દરરોજ સવારે મેથીના દાણાના પાણીથી માથું ધોઈ લો અને આ મેથીનું પાણી બનાવવા માટે દરરોજ રાત્રે મેથીના દાણાને પાણીમાં ઉકાળો અને પછી સવારે તે પાણીથી સવારે વાળ ધોઈ લો. તેનાથી વાળમાં ડેન્ડ્રફ અને ગંદકી પણ દૂર થઇ જશે.

મેથીના બીજનો હેર પેક : જો વાળ વધારે ખરવા લાગ્યા છે તો મેથીના દાણાના હેર પેક બનાવીને તેનો ઉપયોગ કરો. હેર પેક બનાવવા માટે મેથીના દાણાને પીસી લો અને પછી તેમાં દહીં ઉમેરો. તો તમારું હેર પેક તૈયાર છે.

છ કલાક પછી આ હેર પેકને વાળમાં લગાવો અને એક કલાક પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. આ આ હેર પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરો. તેનાથી વાળ ખરતા અટકશે ને સારું પરિણામ મળશે.

જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો આ ઘરઘથ્થું ઉપચાર અપનાવી શકો છો. આ એક કુદરતી ઉપચાર છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ બ્યુટી સબંધિત માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *