શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે આપણે અનેક પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ, જેમાં કેટલાક હેલ્ધી અને અનહેલ્ધી ખોરાક પણ હોય છે, જયારે આપણે અનહેલ્ધી ખોરાક ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બઘા બેક્ટેરિયાઓ અને કીટાણુઓ જન્મ લેતા હોય છે.

જેના પરિણામે શરીરમાં ઘણા બઘા રોગો ઉત્પન્ન થતા હોય છે. આ માટે આ બધા રોગોથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે રસોડામાં રહેલ હળદરનો ઉપયોગ કરી શકાય છે. હળદરમાં એવા કેટલાક ગુણો અને પોષક તત્ત્વ મળી આવે છે જે શરીરના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દરેક લોકોના ઘરે હળદરનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તે સ્વાદ વઘારવાની સાથે ઘણી બધી બીમારીઓ ને દૂર કરવામાં ઉપયોગ થતો આવ્યો છે. હળદર એક દવાનું કામ કરે છે, હળદરને ઘણા લોકો ફાકીને પણ ખાતા હોય છે આ ઉપરાંત દૂઘમાં મિક્સ કરીને પણ પિતા હોય છે.

પરંતુ આજે અમે તમને હૂંફાળા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને હળદરવાળું પાણી પીવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. હળદરવાળું પાણી પીવાથી શરદી, ખાંસી, કફ ની સમસ્યા હોય તેમાં ઘણી રાહત આપે છે.

અસ્થમા: ઔષઘીનો રાજા કહેવાતા હળદરમાં એન્ટી માઈક્રોબિયલ નામનું તત્વ હોય છે. જેથી તેનો ઉપયોગ હૂંફાળા પાણીમાં નાખીને પીવામાં આવે તો તે ફેફસા અને છાતીમાં ભરાઈ ગયેલ કફને છૂટો કરવામાં મદદ કરે છે. જેથી અસ્થમા રોગમાં ઘણી રાહત મળે છે.

વજન કંટ્રોલ કરે: વજન ઓછું કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય અને વજન ઓછું ના થતું હોય તો હૂંફાળા પાણીમાં હળદર મિક્સ કરીને રોજે સવારે પીંજાઓ પેટ અને કમરના ભાગની બઘી જ ચરબી ઓગાળી વજન ને કંટ્રોલ કરશે.

સારી ઊંઘ લાવે: શરીરને સ્વસ્થ રાખવાયુ હોય તો સારી ઊંઘ લેવી ખુબ જ આવશ્યક છે. જો તમને રાતે ઊંઘ આવતી નથી અને આમતેમ પડખા ફેરવવા પડતા હોય તો રીતે સુવાના 30 મિનિટ પહેલા હળદરનું પાણી પીંજાઓ જેથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

દુખાવામાં આરામ આપે: આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય અને શરીર દુખાવો રહેતો હોય તો હળદરનું પાણી સુવાના પહેલા પીવાથી શરીરનો બઘો જ થાક ઉતરી જાય છે. હાથ પગ, સ્નાયુઓ, માંશપેશીના દુખાવા માટેનું ઉત્તમ પીણું છે.

લોહીનું શુદ્ધિકરણ કરે: હળદર લોહીને સાફ રાખે છે. નિયમિત પણે હળદરનું પાણી પીવાથી લોહીમાં રહેલ બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને લોહી શુદ્ધ થવાના કારણે ચામડીના રોગો પણ દૂર રહે છે અને સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી.

ચહેરા પર નાની ઉંમરે જ કરચલી જેવા વૃદ્ધાવસ્થાના ચિન્હો દેતા હોય તો હળદરનું પાણી સૌથી ઉત્તમ વિકલ્પ છે જે કચરીને દૂર કરી ઘડપણમાં પણ જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. હળદરનું પાણી પીવાથી હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે, જથી શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *