આજની ખરાબ જીવનશૈલી અને ખરાબ આહારને કારણે આજકાલ વિચિત્ર પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. આજના કામમાં ખુબજ વ્યસ્ત માણસ પાસે પોતાના શરીરની કાળજી લેવાનો સમય નથી અથવા તો આળસના કારણે ફિઝિકલ એક્ટિવિટી ન કરી શકવાના કારણે પેટ સંબંધીત રોગો દિવસને દિવસે વધી રહ્યાં છે.
ઘરના ભોજન કરતા બહારનું જંક ફૂડ અને તેલ વાળી વસ્તુઓ ખાવાથી વજન વધવું, કબજિયાત વગેરે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. તેમાં હરસ પણ એક ગંભીર સમસ્યા છે. હરસની જેમ ભગંદર અને મસા પણ છે જે ઘણા લોકો જાણતા હોતા નથી જેના કારણે ઘણા લોકો તેને નજરઅંદાજ કરે છે અને પાછળથી તેનું ગંભીર પરિણામ ભોગવે છે.
તો ચાલો જાણીએ આ રોગો વિશે અને તેનાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય. તમને જણાવીએ કે હરસ એક ગંભીર બીમારી છે જેમાં મળમાર્ગમાં નાના નાના મસા હોય છે, તેમાંથી એક, બે અથવા અનેક મસા ફૂલીને મોટા થઈ જાય છે.
આ મસા પહેલા તો કઠણ થવાનું શરૂ થાય છે, જેનાથી મળમાં બળતરા થવા લાગે છે. આ સ્થિતિમાં જો ધ્યાન ન રાખવામાં આવે તો મસા ફૂલી જાય છે. આ એક એક મસા ફૂલીને વટાણાના દાણા અથવા ચણાના દાણા આકારના જેવા થઈ જાય છે.
આવી સ્થિતિમાં શૌચ કરતા સમય તો ભારી પીડા અનુભવવી પડે છે અને સરખું બેસી પણ નથી શકતું. આ ઉપરાંત મળાશયની આજુબાજુ નસોમાં સોજા, બળતરા, અસહ્ય દુખાવો અને ઘણી વાર તો પેશાબમાં લોહી આવવાની સમસ્યા રહે છે.
જો હરસ રોગમાં લોહી પણ પડી રહ્યું હોય તો તેને લોહી હરસ કહેવામાં આવે છે જે ખૂબ ભયંકર રોગ માનવામાં આવે છે, કારણ કે તેમાં અસહ્ય પીડા તો થાય જ છે સાથે શરીરનું લોહી પણ વ્યર્થ થાય છે. આ દરેક બીમારીઓને કેટલાક ઘરેલુ નુસ્ખાથી જડમૂળથી ખતમ કરી શકાય છે. ચાલો જાણીએ હરસ-મસાના કેટલાક આયુર્વેદિક ઉપાયો વિષે.
ઘી અને તલ: ઘી અને તલ સરખા પ્રમાણમાં લઈને તેમાં થોડી સાકર ભેળવો, ત્યારબાદ તેનું સેવન કરો. આ સેવન કરવાથી હરસમાં લોહી પડતું બંધ થઇ જાય છે એન થોડા દિવસ આ ઉપાય દરરોજ કરવાથી હરસની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકાય છે.
હરસ-મસાની સમસ્યામાં મળમાર્ગમાં ચીરા પડી ગયા હોય અને હરસ થયા હોય તેમેને થોડા દિવસ માટે 1 ચમચી દીવેલને દૂધ સાથે પીવું જોઈએ. તેનાથી ખુબ જ ફાયદો થાય છે. સવારે પાકેલા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવીને શરબત બનાવી 10 દિવસ સુધી સેવન કરવાથી પણ હરસની સમસ્યાથી છુટકાળો મેળવી શકાય છે.
રસોડામાં જોવા મળતી કોથમીરનો રસ અથવા ધાણાને રાત્રે પાણીમાં પલાળી દો, અને સવારે ગાળી તે પાણી પીવો. આ ઉપાયથી દુઝતા હરસમાં પડતું લોહી બંધ થઇ જાય છે. આ ઉપરાંત ધાણા અને સાકર મિક્ષ કરીને તેનો ઉકાળો કરી પીવાથી પણ હરસમાં પડતું લોહી બંધ થાય છે.
હરસની સમસ્યામાં શક્ય હોય એટલું વધુ લીંબુ અથવા સૂકા કોપરુનું સેવન કરવું અને તાજા નારિયેળનું પાણી નિયમિત એક એક ગ્લાસ બે વાર પીવાથી હરસ સાવ મટી જાય છે. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલને છાશ સાથે સેવન કરવાથી પણ લાભ થાય છે. આ ઉપરાંત મુખવાસમાં લેવાતી કાચી વરિયાળીને નિયમિત 2-3 કલાકે એક ચમચી જેટલી ચાવીને ખાવાથી ખાવાથી પણ હરસની સમસ્યા જડમુળથી દૂર થાય છે.
લીમડાના કુણા પાનનો રસ પણ મસાની સમસ્યામાં ફાયદાકારક છે. આ માટે થોડા કુમળા લીમડાના પાનના રસનું 4 થી 5 દિવસ સેવન કરવાથી કષ્ટદાયક મસાની પીડા દુર થાય છે. લીમડાના તેલને મસા પર લગાડવાથી પણ લાભ થાય છે. વધારે પડતા લોહીવાળા મસા પર જીરાનો લેપ લગાડવાથી અને દરરોજ સાકર, ઘી તથા જીરું ખાવાથી ખુબજ લાભ થાય છે. આ સાથે સાથે તીખું તળેલું અને ગરમ મસાલા વાળું ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
આંબાની ગોટલીનું ચૂર્ણ મધ, છાશ કે હુંફાળા પાણી સાથે લેવાથી હરસની તકલીફ દુર થાય છે. સોપારી જેવડા ગોળના ટુકડાને અડધી ચમચી હરડે ચૂર્ણ સાથે લેવાથી પણ હરસ મટે છે. હરસ પર દુધીના પાનનો રસ લગાડવાથી ઘણો ફાયદો થાય છે.
આ ઉપરાંત રસોડામાં રહેલી ડુંગળીના ટુકડા કરી તડકામાં બરાબર સૂકવો, ત્યારબાદ તેને 10 ગ્રામ ઘીમાં તળી લો, ત્યારબાદ 1 -2 ગ્રામ કાળા તલ અને સાકર મેળવીને દરરોજ સવારે સેવન કરવાથી હરસની તકલીફ દૂર થાય છે.
એક ચમચો જેટલા કાળા તલને પાણીમાં વાટી નાખો અને માખણ કે દહીંમાં મિક્ષ કરીને સવારે ખાવાથી હરસ મટે છે. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. જો વધુ પડતી તકલીફ હોય તો જરૂર નિષ્ણાતની સલાહ લો.