આપણા રસોડામાં એવા કેટલાક મસાલા મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેવા જ મસાલા વિષે આજે વાત કરીશું જેનું સેવન કરવાથી આપણા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર થઈ જશે.
આજે અમે તમને જે વસ્તુ વિષે વાત કરવાના છીએ તે વસ્તુ હળદર છે. ભારતીય દરેક રસોઈ ઘરમાં હળદર રહેલ હોય છે. જે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક જેવા અનેક ગુણ મળી આવે છે. હળદર આયુર્વેદિક ઔષધીમાં સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.
હળદરનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ થાય છે. હળદરનો ઉપયોગ કરવાથી શરદી ખાંસી અને ઘા રુઝાવા માં પણ ખુબ જ ફાયદાકારક છે.આ ઉપરાંત હળદરના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે.
આપણે એક ગ્લાસ હૂંફાળા દૂઘમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાનું છે. દૂધ અને હળદરનુંસ એવાં આપણા આરોગ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આ આયુર્વેદિક અનુસાર હળદરવાળું દૂધ દિવસમાં એક વખત પીવું જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામા આવે છે.
હળદર આપણી ત્વચા માટે પણ ખુબ જ સારી છે. આપણે કોઈ પણ જગ્યાએ સોઝો આવી જાય તો આપણે હળદર અને મીઠાનો લેપ પણ લગાવીએ છીએ. આવી જ રીતે હદરાના અનેક લાભો છે. તો ચાલો હળદરવાળા દૂધનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ગળામાં થતી બળતરા, ગળામાં સોજો, ગળામાં કફ જામી જવો, કાકડા થવા, સૂકી ઉધરસ, અવાજ બેસી જવો જેવી અનેક સમસ્યા થાય ત્યારે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી આ સમસ્યામાં દૂર થાય છે.
હળદરવાળા દૂધમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે આખા દિવસ દરમિયાન લાગેલ થાકને ઓછો કરે છે આ દૂધનું સેવન કરવાથી મૂડમાં સુધારો થાય છે. અને શરીરમાં ભરપૂર એનર્જી મળી રહેં છે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારી અનેક રોગો સામે રક્ષણ આપે છે.
ડાયાબિટીસ દર્દી માટે આ પીણું ખુબ જ ફાયદાકારક છે. આ પીણું પીવાથી લોહીમાં રહેલ સુગર લેવલની માત્રામાં ઘટાડો કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ડાયાબિટીસ દર્દી માટે હળદરવાળું દૂઘ અમૃત સમાન માનવામાં આવે છે.
હળદરવાળા દૂધનું સેવન કરવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે અને લાલા રક્ત કણોની સંખ્યામાં વઘારો થાય છે. લોહીને શુદ્ધ કરવા માટે હળદરવાળું દૂધ ખુબ જ ફાયદાકારક છે. લોહી શુદ્ધ થવાથી ત્વચામાં નિખાર આવે છે જેથી આપણી ત્વચા સુંદર બને છે. જેથી સૌંદર્યમાં વઘારો થાય છે.
ઘણા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા જેવી કે દમ, અસ્થમા, સાઈન્સ, ગળામાં કફની સમસ્યા રહેતી હોય છે. તેમને આ સમસ્યામાં રાહત મેળવવા માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાનું છે. જેથી શ્વાસ લેવાની સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જશે.દૂર થઈ જશે.
હળદર અને દૂઘનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકરાક છે. હળદર વાળું દૂઘ નું સેવન કરવાથી શરીર બળવાન બને છે. શરીરને શક્તિશાળી બનાવે છે. આ દૂધનું સેવન રાત્રે સુતા પહેલા કરવાનું છે. જેથી આપણું શરીર સ્વસ્થ, તંદુરસ્ત અને ફિટ રહે છે.