હરડે એક આયુર્વેદિક ઔષઘી છે. જે આપણા સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યા માંથી છુટકાળો અપાવવામાં મદદ કરશે. હરડે દવા વગર જ મોટાભાગના રોગોને મૂળમાંથી મટાડવામાં કારગર છે. હરડેનું ચૂરણ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું.

પહેલાના સમયમાં આયુર્વેદિક ઔષધીઓનું ખુબ જ મહત્વ હતું, પરંતુ આજની આધુનિક જીવન શૈલીમાં આયુર્વેદિક ઔષધીઓનું મહત્વ ખુબ જ ઓછું થઈ ગયું છે. કારણે જેમ ટેક્નોલોજી બદલાઈ રહી તેમ લોકો પેલાનું બધું ભૂલી રહ્યા છે. પહેલાના સમયમાં મળતી ઔષઘી અત્યારે આપણા શરીરને ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

હરડે વાત, પિત્ત અને કફનો નાશ કરે છે. માટે હરડેને ત્રિદોષ નાશક કહેવામાં આવે છે. હરડે સ્વાદે કડવી હોય છે. જે શરીરમાં થયેલ અસંખ્ય રોગોને મટાડવામાં ઉપયોગ કરી શકાય છે. તે સ્વાદે કડવું હોવાથી તે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે.

અસંખ્ય રોગોને નાશ કરતી હરડેનું સેવન ચૂરણ બનાવીને કરવું જોઈએ. આ ચૂરણનું સેવન હૂંફાળા પાણી સાથે પણ કરી શકાય છે અને હૂંફાળા દૂધ માં મિક્સ કરીને પણ કરી શકાય છે. આ ઉપરાંત તમે એક ચમચી ચૂરણની ફાકી મારી ઉપરથી હૂંફાળું પાણી પી જવું આ રીતે પણ હરડેના ચૂરણનું સેવન કરી શકાય છે. હવે હરડેના ચૂરણનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવીશું.

વજન ઘટાડે: હરડેના ચૂરણમાં ઘણા બધા ગુણ મળી આવે છે જે શરીરમાં વધી ગયેલ પેટ, કમર અને સાથરની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે આ માટે રોજે એક ચમચી ચૂરણ ને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ જેથી શરીરની ચરબીને દૂર કરી શરીરને સ્લિમ બોડી બનાવશે.

કબજિયાત દૂર કરે: ઘણા લોકોનું ડાયજેશન ખુબ જ ખરાબ હોય છે તેવા લોકો માટે હરડેનું ચૂરણ રામબાણ સાબિત થશે. આ માટે રાત્રે સુતા પહેલા હૂંફાળા પાણી માં એક ચમચી હરડેનું ચૂરણ મિક્સ કરીને પીવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જશે અને આંતરડામાં જામેલ ગમે તેવા મળને છૂટો કરશે અને વર્ષો જૂની કબજિયાતની સમસ્યાને મટાડવામાં મદદ કરશે.

આ ઉપરાંત ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા હોય તેને પણ દૂર કરવામાં મદદ કરશે, હૂંફાળા પાણી સાથે હરડેનું ચૂરણ લેવાથી મંદ પડી ગયેલ પાચનક્રિયામાં સુધારો થાય છે અને પાચનતંત્ર ને મજબૂત બનાવે છે.

હૃદયને સ્વસ્થ રાખે: હરડે હૃદયના સ્વાસ્થ્ય માટે રામબાણ ઔષઘી છે. આ માટે એક ચમચી હરડેને ઘી માં શેકીને ખાવાની છે, જેથી હૃદય એકદમ સ્વસ્થ અને હેલ્ધી રહેશે જેથી હૃદયને લગતી બીમારીઓથી દૂર રાખશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: આપણા શરીરને અનેક રોગોથી બચાવી રાખવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવી ખુબ જ જરૂરી છે. આ માટે હરડેના ચૂરણમાં મધ મિક્સ કરીને ખાઈ જવાથી ઇમ્યુનીટી મજબૂત બને છે આ ઉપરાંત શરીરમાં ભરપૂર એનર્જી અને શક્તિ આપે છે.

લીવર: લીવર આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે, આ માટે લીવરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે નિયમિત પણે હરડે અથવા હરડેના ચૂરણનું સેવન કરવું જોઈએ જેથી લીવરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો અને ટોક્સિન ને બહાર નીકાળી દેશે જેથી લીવર એકદમ ચોખ્ખું અને સ્વસ્થ રહેશે.

ઘણા લોકો ભૂખ ના લાગવાની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોએ હરડેનું નિયમિત પણે સેવન કરવું જોઈએ. હરડેને હૂંફાળા પાણી સાથે લેવામાં આવે તો લોહીમાં રહેલ હાનિકારક ઝેરી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને લોહીને શુદ્ધ કરે છે.

નિયમિત હરડેનું ચૂરણ લેવાથી વાળ અને ત્વચામાં ચમક આવશે. હરડેનું સેવન નિયમિત કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *