દરેક વ્યકતિએ ઘણી પ્રકારની ચા તો પીઘી જ હશે. તમે આજ સુઘી ક્યારેય નહીં સાંભળ્યું હોય કે વરિયાળીની ચા પીવાથી શું ફાયદા થાય. આ ઉપરાંત કાચી વરિયાળીનું સેવન કરવાથી પણ શરીરને ઘણા ફાયદા થતા હોય છે.
મોટાભાગના લોકો મુખવાસ માં કાચી વરિયાળી ખાવાનું વઘારે પસંદ કરે છે. પરંતુ ખાસ કરીને ઘણા ઓછા લોકો જાણે છે કે વરિયાળીની ચા પીવાના ફાયદા. તો ચાલો જાણીએ વરિયાળીની ચા પીવાથી થતા અદભુત ફાયદા અને ચા કેવી રીતે બનાવી તેના વિશે જણાવીશું.
વરિયાળીની ચા બનાવવાની રીત: સૌથી પહેલા એક કપ પાણી ને ગરમ કરી લો, ત્યારબાદ તેને એક કપમાં કાઠી દો, હવે તે કપ માં એક ચમચી કાચી વરિયાળી નાખી ને 5 મિનિટ ઢાંકી દો. આમ કરવાથી વરિયાળીમાં રહેલા પોષક તત્વો પાણીમાં મિક્સ થઈ જશે.
આ પાણીને ગાળીને દિવસ માં એક કે બે વખત પી શકો છો. આ ઉપરાંત એક વાતનું ઘ્યાન રાખજો કે પાણીમાં વરિયાળી નાખીને ઉકાળવાની નથી. નહિ તો તેમાં રહેલા પોષકતત્વોનો નાશ થઈ જશે.
ફાયદા: વજન ઘટાડે: વરિયાળીમાં ફાયબર નું પ્રમાણ વઘારે હોય છે. જેના કારણે પેટ ભરેલું હોય તેવું લાગે છે. આ ચા નું સેવન દરરોજ કરવામાં આવે તો કોઈ પ્રકારની કસરત કે ડાયટ કરવાની જરૂર પડશે જ નહીં અને વજન ઉતરવા લાગશે
પાચનતંત્ર મજબૂત કરે: વરિયાળીની ચા પીવાથી ગેસ, એસીડીટી, જેવી સમસ્યામાં ઘણી રાહત થશે. આ ચાનું સેવન કરવાથી ખોરાકને પચાવવામાં મદદ કરશે અને પાચનતંત્ર ને મજબૂત કરવામાં મદદ કરશે અને તેમાં રહેલ ફાયબરના કારણે જઠરાગની ને શાંત રાખવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે: વરિયાળીમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. માટે બ્લડપ્રેશરના દર્દીએ વરિયાળીની ચા પીવાની શરુ કરી દેવી જોઈએ જેથી કંટ્રોલ માં રહે છે.
લોહીને શુદ્ધ કરે: શરીરમાં જમા થયેલ ટોક્સિન ને દૂર કરવામાં માટે વરિયાળીની ચા પીવી જોઈએ. જેથી શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે.
સોજામાં રાહત: વરિયાળીમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી રહે છે. માટે વરિયાળીની ચા પીવાથી શરીરમાં થયેલ સોજાને ઘીરે ઘીરે દૂર કરવામાં મદદ કરે છે. માટે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવી ગયો હોય તો આ વરિયાળીની ચા અવશ્ય પીવી જોઈએ. જેથી ઘણી રાહત મળે છે.