આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે ફણગાવેલા કઠોળ ખાવાના ફાયદા વિશે જણાવીશું. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. તમે ફણગાવેલા કઠોળને સવારે ખાલી પેટ ખાઓ તો તેના ફાયદા વઘારે થાય છે. જે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તેના માટે તમારે કઠોળને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળીને મૂકી દેવા જોઈએ. કઠોળને ઓછા માં ઓછા 8-10 કલાક પલાળી રાખવા જોઈએ. આ કઠોળને સવારે ખાલી પેટ સેવન કરવું જેથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે. માટે આ ફણગાવેલા કઠોળ શરીર માટે તંદુરસ્ત પૌષ્ટિક આહાર માનવામાં આવે છે.

આપણા આખા દિવસ ની વ્યસ્ત જીવનશૈલી ના કારણે અને આપણે અનિયમિત ખાન-પાન ના કારણે આપણે ઘણી બીમારીના શિકાર થઈ જઈએ છીએ. આપણા શરીરમાં પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ તત્વોના અભાવના કારણે આપણા શરીરમાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે અંકુરિત કઠોળનું સેવન કરવું જોઈએ.

ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. ફણગાવેલા કઠોળમાં વિટામિન-ઈ, પ્રોટીન, આયર્ન, ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ, કેલ્શિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ ફણગાવેલ અનાજ નું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે. તે અનેક રોગો સામે લડવાની ક્ષમતા ઘરાવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર ફણગાવેલા કઠોળનું સેવન હંમેશા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી કેન્સર, બલ્ડપ્રેશર જેવી બીમારી માં ફાયદાકારક છે. કઠોળને પલાણીને ખાવાથી પેટની સમસ્યા પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ અંકુરિત કઠોળ ખાવાથી થતા મહત્વ પૂર્ણ ફાયદાઓ વિશે.

(1) પાચન ક્રિયા સુઘારવા : તમે જો કઠોળને 7-8 કલાક રાત્રે પલાળી રાખવામાં આવે તો તે ફણગાવેલ કઠોળમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તે પલાળેલ કઠોળને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો કબજિયાત, અપચો, ગેસ જેવી પેટને લગતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. માટે પાચનક્રિયા ને સુઘારવા માટે ફાયબર ની વધુ માત્રા હોય તેવા હારનું સેવન કરવું જોઈએ. ફણગાવેલ કઠોળ ખુબ જ સરળતાથી પચી જાય છે.

(2) વજન ઘટાડવા : ફણગાવેલ કઠોળમાં ફાયબરની તુલનામાં કેલરી ઓછું હોય છે. માટે ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને તમને ખાવાની ઈચ્છા ઓછી થાય છે. માટે આ અંકુરિત કઠોળ માં પૂરતા પોષક તત્વો મળી રહેતા હોવાથી દરરોજ સવારે 1 વાટકી ખાવા જોઈએ. જેથી તે તમારું શરીર ઘટાડવામાં મદદ કરે છે.

(3) હાડકાને મજબૂત કરવા માટે : અંકુરિત કરેલ કઠોળમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. (4) લોહીને શુદ્ધ કરવા : આ ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી શરીરમાં રહેલ રહેલ ઝેરી તત્વો ને બહાર કાઠી ને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

(5) એનિમિયાની સમસ્યા દૂર કરે : જો તમારા શરીરમાં આયર્ન ની કમી હોય તો તમને એનિમિયાની સમસ્યા થાય છે. માટે તમારા આહારમાં આ અંકુરિત કઠોળનું સેવન એનિમિયાની કમીને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ ફણગાવેલ કઠોળમાં ઘણા આયર્ન ઉપરાંત બીજા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે.

આપણે બઘા જાણીએ છીએ કે કઠોળ ખાવા આપણા શરીર માટે કેટલા ઉપયોગી છે. જો આપણે બીમાર થઈ જઈએ તો ડોક્ટર પણ કઠોળનું સેવન કરવાની સલાહ આપે છે. જો તમે પણ દરરોજ આ ફણગાવેલ કઠોળનું સેવન કરશો તો તમે બીમાર પણ પાડશો નહીં અને તમારે ડોક્ટર જોડે જવાની પણ જરૂર નહીં પડે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *