ઉનાળામાં સૌથી વધુ ખવાતું ફળ એટલે શેતુર છે. જે સ્વાદમાં મીઠા લાગે છે. સૌથી મીઠા ફળમાં શેતુરનો સમાવેશ થાય છે. આપણા ભારત દેશમાં પણ શેતુરની સૌથી વઘારે મળી આવે છે. શેતુર પોષક તત્વોથી ભરપૂર છે. જે આપણા સ્વાસ્થ્યને જરૂરી પોષક તત્વોની કમી પૂર્ણ કરે છે.

શેતુરમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, ડાયટરી ફાયબર, પોટેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-કે, ફોસ્ફરસ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટી ઓક્સીડેન્ટનો ગુણ પણ મળી આવે છે. શેતૂરના સેવનથી આપણા શરીરમાં ઘણી બઘી બીમારીને દૂર કરવામાં સક્ષમ છે.

શેતુર પેટના રોગ, બળતરા, ડાયાબિટીસ, મોં માં ચાંદા પડવા, લોહીનું શુદ્ધિકરણ કરવા, બ્લડપ્રેશર જેવા અનેક રોગને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. આ સિવાય ઉનાળામાં લઉં લાગવાથી પણ બચાવવામાં મદદ કરે છે. આજે અમે તમને શેતુર ખાવાના ફાયદા વિશે. તો ચાલો જાણીએ શેતુર ખાવાના સ્વાસ્થ્ય લાભ વિષે.

પાચનક્રિયા સુઘારે: શેતુરમાં સારી માત્રામાં ડાયટરી ફાયબર મળી આવે છે. જે આપણી પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. માટે આહારમાં શેતુરનો સમાવેશ કરવો જોઈએ જેથી પેટને લગતા રોગોમાં રાહત મેળવી શકાય છે. ડાયટરી ફાયબર યુક્ત આહાર લેવાથી આપણું પેટ સાફ રહે છે.

લોહીનું પરિવહન વઘારે: શેતૂરમાં ખુબ જ વઘારે માત્રામાં આયર્ન તત્વ મળી આવે છે. જે શેતૂરમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સેવનથી આપણા લાલ રક્તને વઘારે છે. જેથી આપણા શરીરમાં લોહીની કમીને પૂર્ણ કરે છે. માટે શેતુર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આંખોને સ્વસ્થ રાખે: આંખોની સમસ્યા હાલના સમયમાં સૌથી વધુ જોવા મળે છે. શેતૂરમાં રહેલ વિટામિન-એ મળી આવે છે જે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાના બાળકોને નીની ઉંમરે ચશ્મા આવી જતા હોય છે માટે જો શેતુરનું નિયમિત સેવન કરવામાં આવે તો નંબર ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વઘારે: આપણા શરીરમાં રોગોથી બચી રહેવા વિટામિન-સી હોવું ખૂબ જ જરૂરી છે જેથી આપણે અનેક વાયરલ બીમારીથી બચી શકીએ. માટે જો વિટામિન-સી થી ભરપૂર શેતુરનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં ઈમ્યુનિટીમાં વઘારો કરે છે.

હાડકાને મજબૂત બનાવી રાખે: આપણા શરીરમાં જો હાડકા નબળા પડી ગયા હોય તો શેતુરનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તત્વ મળી આવે છે જે આપણા હાડકાને પૂરતું પોષણ પૂરું પડે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે: રોજે બે થી ત્રણ શેતૂર ખાવામાં આવે તો આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ ઝડપી બને છે. જેથી આપણા શરીરના દરેક અંગોના નસોમાં લોહી સરળતાથી પહોંચી જાય છે. જેથી નસોના લોહી જામી જતું નથી અને નસો બ્લોક થવાથી બચાવે છે જેથી હાર્ટ અનેક અને સ્ટ્રોકના જોખમની બચાવે છે.

ત્વચાને નિખારવા: મોટાભાગે દરેક વ્યકતિ ત્વચાને સુંદર બનાવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. શેતૂરમાં રહેલ વિટામિન-ઈ અને બીટા કેરોટીન નામનું તત્વ ત્વચાને સુંદર અને મુલાયમ બનાવી રાખવામાં મદદ મળે છે. જો રોજે બે થી ત્રણ શેતુરનું સેવન કરી લે તો ચહેરો કુદરતી રીતે સફેદ થવા લાગશે. જેથી તેની ચમક લાંબા સમય સુઘી તમને સુંદર અને જવાન બનાવી રાખવામાં મદદ કરશે.

લૂ થી બચાવે: ઉનાળામાં સૌથી વધુ લૂ લાગતી હોય છે. જેથી આપણે બીમાર પણ પડી જતા હોઈએ છીએ. જો તમે ઉનાળામાં રોજે સવારે બે થી ત્રણ શેતુરનું સેવન કરશો તો ગરમીમાં લૂ લાગવાથી બચાવી રાખશે.

મોં ના ચાંદા: ઉનાળામાં શરીરમાં વધારે ગરમી થવાથી મોં માં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ જો તમે ઉનાળામાં શેતુરનું સેવન કરી લેશો તો શરીરને ઠંડક મળી રહેશે જેથી મોં માં પડતાચાંદા માંથી રાહત મળી રહેશે.

શેતુરનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી આપણા શરીરમાં કીડાનો નાશ થાય છે. જેથી પેટની બળતરા અને કૃમિની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમે રોજે બે શેતુરનું સેવન કરશો તો આપણા સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થશે. પરંતુ જો વઘારે માત્રામાં શેતુરનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે. માટે શેતુરનું સેવન યોગ્ય માત્રામાં કરવું જરૂરી છે. ઘ્યાનમાં રાખવું કે ગર્ભવતી સ્ત્રીઓને શેતુરનું સેવન ના કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *