આપણા શરીરમાં વિટામિન અને પ્રોટીન ની ઉણપના કારણે ઘણા રોગો થવાનું જોખમ વઘી જાય છે. આપણા શરીરમાં કોઈ પણ બીમારી ના આવે તે માટે આપણે ખુબ જ સંપૂર્ણં પણે કાળજી રાખવી જરૂરી છે. જેથી આપણે અનેક બીમારીથી બચી શકીએ.

માટે આજે અમે તમને પોષક તત્વોથી ભરપૂર ફણગાવેલ મગ ખાવાના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલ મગનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી રહે છે. આ ઉપરાંત કોઈ પણ બીમારી થઈ હોય તો ડોક્ટર પણ ફણગાવેલ મગનું સેવન કરવાનું કહેતા હોય છે.

ફણગાવેલ મગમાં વિટામિન-સી, ફાયબર, વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-ઈ, પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરને હંમેશા સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે.

ફણગાવેલ મગ બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઈને તેમાં એક મુઠી મગ નાખીને તેને આખી ઢાંકીને આખી રાત રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને તે મગને ચાવી ચાવીને ખાઈ લેવાના છે. ત્યાંર પછી તેના પાણીનું સેવન કરી લેવું.

જો તમારા શરીરમાં બ્લડપ્રેશરની સમસ્યા રહેતી હોય તો દરરોજ ફણગાવેલા મગનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં લાવવામાં મદદ કરે છે.

ફણગાવેલ મગમાં ફાયબર મળી આવે છે માટે તેનું સેવન કરવાથી પેટની ચરબી દૂર થાય છે અને વજન કંટ્રોલમાં આવે છે. ફણગાવેલ મગનું સેવન કરવાથી જૂનામાં જૂની કબજિયાતને મટાડવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત પેટને સાફ રાખે છે.

ફણગાવેલ કેન્સર પીડીત દર્દી માટે પણ લાભદાયક છે. માટે તેનું સેવન કરવાથી કેન્સર સામે લડવાની શક્તિ આપે છે અને કેન્સર થી બચાવામાં મદદ કરે છે. અત્યારે હાલમાં વાળને લગતી સમસ્યા ખુબ જજોવા મળે છે માટે તે સમસ્યા ને દૂર કરવા માટે ફણગાવેલ મગ અને તેના પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ જેથી વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરી દેશે.

જો શરીરમાં વારે વારે થાક લાગી જતો હોય, કમજોરી રહેતી હોય તો ફણગાવેલ મગ અને તેના પાણીનું સેવન કરવાથી શરીર માં દરેક શારીરિક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં નબળા પડેલા હાડકાને મજબૂત કરવા માટે પણ ફણગાવેલ મગ અને તેનું પાણી ખુબ જ ફાયદાકારક છે.

દાંતમાં દુખાવો, દાંતના પેઢામાં દુખાવો થતો હોય તો તેને દૂર કરવા માટે પણ ફણગાવેલ મગ અને તેનું પાણીનું સેવન કરવું જોઈએ. જેથી દાંત મજબૂત રહે દુખાવામાંથી છુટકાળો મળે. જો નાના બાળકોને મગજની યાદ શક્તિ ઓછી હોય તો નાના બાળકોએ ફણગાવેલ મગ અને તેનું પાણીનું સેવન કરવામાં આવે તો યાદશક્તિને વઘારી શકાય છે.

જો આંખોમાં કમજોરી હોય અને આંખોને તેજ કરવી હોય તો દરરોજ નિયમિત પણે ફણગાવેલ મગ અને તેના પાણીનું સેવન કરવાથી આંખોનું તેજ વઘે છે અને આંખોને લગતી અનેક સમસ્યા દૂર થાય છે. બાળકોના શારીરિક વિક્સ માટે પણ ફણગાવેલ મેગ અને તેનું પાણીનું સેવન ખુબ જ ફાયદકારક છે.

આપણા શરીરમાં મોટા ભાગના રોગો આપણા લીવર અને કિડનીના કારણે થતા હોય છે. માટે કિડની અને લીવર સ્વસ્થ રાખવું હોય તો દરરોજ ફણગાવેલ મગ અને તેના પાણીનું સેવન કરવું જોઈએ. જેથી કિડની અને લીવરને લગતી કોઈ પણ સમસ્યા થશે નહિ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *