ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીરને આપણે ગરમીથી બચાવીએ છીએ આ માટે આપણે કેટલીક એવી વસ્તુનું સેવન કરીએ છીએ જે શરીરને ઠંડક આપે છે, તે વસ્તુનું નામ તરબૂચ છે. તરબૂચ એક એવું ફળ છે જે ઉનાળામાં નાના મોટા દરેક વ્યક્તિને ખુબ જ ભાવે છે.

તમને જણાવી દઉં કે એક તરબૂચમાં 90 ટકા થી પણ વધારે પાણી મળી આવે છે, તેમાં રહેલ પાણી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જે પાણીની કમીને પૂરાં કરે છે. આ ફળ ખાવામાં ખુબ જ મીઠું હોય છે. આમ તો આ ફળ કોઈ પણ સમય ખાઈ શકાય છે,

પરંતુ આયુર્વેદ અનુસાર આ ફળનું સેવન કયારે કરવું જોઈએ તે કોઈ જાણતું નથી. આ માટે આજે અમે તમને જણાવીશું કે તરબૂચ કયા સમયે ખાવું, કેટલા વાગે ખાવું, તેને ખાવાથી સ્વાસ્થ્યને કયા લાભ થાય તેના વિષે જણાવીશું.

તરબૂચમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જેમકે, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાયબર, વિટામિન-એ, વિટામીન-કે, વિટામિન- સી જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. માટે ઉનાળામાં આપણા શરીરને ડિહાઈડ્રેશનથી બચવા અને શરીરને પાણી પૂરું પાડવા પાણી સિવાય તમે તરબૂચ ખાઈ શકો છો,

જે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપશે. તેમાં પ્રોટીનની માત્ર સારી હોય છે જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે છે. જેથી શરીરમાં નબળાઈ દૂર થશે. જેથી શરીરને એનર્જીથી ભરપૂર રાખશે અને તણાવમાંથી મુક્ત કરશે.

તરબૂચ ખાવાનો સમય: તરબૂચ આમ તો દરેક વ્યકતિ સવારે, બપોરે અને સાંજે ખાતા હોય છે, પરંતુ આયુર્વેદ અનુસાર તરબૂચને 11 વાગ્યાથી બપોરના 2:30 વાગ્યા સુઘી ખાવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તરબૂચ ક્યારે ના ખાવું: તરબૂચ રાત્રે ભોજન પછી ના ખાવું જોઈએ. રાત્રીના સમયે તરબૂચ ખાવાથી પેટ ભારે ભારે લાગે છે, પેટ વધારે ફુલેલું લાગે છે જેના કારણે બેચીની લગતી હોય તેવું લાગે છે, આ ઉપરાંત ગેસ, કબજિયાત પણ થઈ શકે છે. રાત્રે તરબૂચ ખાવાથી પેટમાં પાણી વઘારે થઈ જાય છે જેથી બેચેની રહે છે,

જેના કારણે રાત્રે સુવા જઈએ ત્યારે ઊંઘ ના આવવાની સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત શરીરમાં પાણી વધી જવાથી રાત્રે પેશાબ કરવા પણ ઉઠવું પડે છે જેથી આપણી ઊંઘ પણ ખરાબ થઈ જાય છે, જેના કારણે આપણે બીજા દિવસે થાક અને નબળાઈનો સામનો કરવો પડતો હોય છે. માટે રાત્રીના સમયે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.

ઘણા લોકો તરબૂચ ખાધા પછી પાણી પીતા હોય છે પરંતુ જયારે પણ તરબૂચ ખાઓ તેના દોઢ થી બે કલાક સુઘી પાણી પીવાનું નથી. કારણકે તે ખાધા પછી પાણી પીવામાં આવે તો ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.

ઉપરાંત તરબૂચ ખાઘા પછી ખાટા ફળો પણ ના ખાવા જોઈએ. તરબૂચ ખાઘા પછી ગરમ વસ્તુ પણ ખાવાની ટાળવી જોઈએ. કારણકે આ તરબૂચ ઠંડુ છે અને સાથે ગરમ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે. માટે તરબૂચ ખાઘા પછી કોઈ પણ વસ્તુ બે કલાક સુઘી ખાવી ના જોઈએ.

આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે 250 થી 300 ગ્રામ જેટલી જ તરબૂચ એક દિવસમા ખાવું જોઈએ. પરંતુ તેના કરતા વધુ ખાવામાં આવે તો પાણી વઘવાની સાથે લોહીમાં પણ વધારો થાય છે, જેના કારણે શરીરમાં હાથ પગમાં સોજા આવે, થાક લાગે, અને નબળાઈ પણ આવી શકે છે. માટે તરબૂચને 250 થી 300 ગ્રામ જેટલું જ ખાવાનું રહેશે.

તરબૂચનું સેવન કરવાથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં કયાંક બહાર ગયા હોય અને પાણી ના મળે તો તરબૂચ ખાઈ લેવું જેથી શરીરને લાગેલ તરસ ઓલવાઈ જશે અને શરીરના અંગોને જરૂરી પાણી પણ મળી રહેશે. તરબૂચ ખાવાથી શરીર હાઈડ્રેટ રહેશે અને શરીરને ઠંડક આપશે. માટે ઉનાળામાં રોજે તરબૂચ ખાવું જોઈએ. ઉનાળામાં આ મીઠું ફળ ડાયાબિટીસ હોય તેવા દર્દીએ તરબૂચ ફળ ના ખાવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *