આ માહિતીમાં તમને પ્રાચીન સમયથી આરોગ્ય અને સુંદરતા વધારવા સદીઓથી ઉપયોગમાં લેવાતા એવા કેટલાક બીજ વિષે જણાવીશું. આ દરેક બીજ માં કુદરતી પોષક તત્ત્વો રહેલા છે. આ દરેક કુદરતી પોષક તત્ત્વો આધુનિક સમયમાં આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આ બીજ વિષે.
મેથીના દાણા: દરેકના રસોડામાં મેથીના દાણા મળી આવે છે જેનો ઉપયોગ આપણે મસાલા તરીકે કરીએ છીએ. આ મેથીના દાણામાં પ્રોટીન, વિટામિન્સ અને એસ્ટ્રોજન જેવા સંયોજનો હોય છે. આથી જો મેથીના દાણાંને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
આ ઉપરાંત મેથીના દાણા ફાઇબરનો સારો સ્ત્રોત છે જે તમારા પાચન માટે ઉત્તમ છે. ઉપરાંત મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડ સુગરને કંટ્રોલમાં રહે છે, વાળની સમસ્યાઓ જેવી કે વાળ પાતાળ થવા, વાળ ખરવા, નબળી પાચનશક્તિને મજબૂત બનાવે અને તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે.
મેથીના દાણાનો ઉપયોગ કરવો: સૌ પ્રથમ અડધી ચમચી મેથીના દાણા લઇ તેને એક વાસણમાં પાણીમાં પલાળીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીને ગાળી દો અને આ પાણીને ખાલી પેટ પી જાઓ. વધેલા મેથીના દાણાને ચાવી ચાવીને ખાઈ લો. આ ઉપરાંત તમે આ દાણાનો સૂપ બનાવી અથવા બીજી વસ્તુઓમાં ઉપયોગ કરી શકો છો.
અળસીના બીજ: અળસીના બીજ વિષે ઘણા લોકો જાણતા હશે પરંતુ જો તમે નથી જાણતા તો તમને જણાવીએ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે જે હોર્મોન સંતુલન રાખવા , સાંધાના સ્વાસ્થ્ય અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારા છે.
આ ઉપરાંત અળસીના બીજ વાળની સમસ્યાઓને દૂર કરવા પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત અળસીના બીજ તમારા સ્નાયુઓને મજબૂત, યાદશક્તિમાં વધારો અને હૃદયને સ્વસ્થ રાખે છે.
અળસીના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો: એક વાટકી લઇ તેમાં પાણી અડધી વાટકી રહે તેટલું લઇ તેમાં એક ચમચી અળસીને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. આ ઉપરાંત તમે તેનો પાવડર બનાવીને પણ તમારા ભોજનમાં ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું કે અળસીના બીજની અસર ગરમ હોય છે, તેથી વધુ માત્રામાં તેનો ઉપયોગ ન કરવો.
સૂર્યમુખીના બીજ: સૂર્યમુખીના બીજનો ઉપયોગ ઉપયોગ કરવાથી તમારા વાળની અને ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. આ બીજમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ, વિટામિન બી અને ખાસ કરીને વિટામિન બી6 થી હોય છે. જે તમારી ત્વચા અને વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
સૂર્યમુખીના બીજ હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે કારણકે તેમાં આયર્ન, ફાઈબર અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જે લોકો પાચનની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોય તેવા લોકો માટે પણ આ ઉપયોગી છે.
તુલસીના બીજ: તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. જો તમે તુલસીના બીજ ન જોયા હોય તો તમને જણાવીએ કે તુલસીના બીજ ચિયાના બીજ જેવા જ હોય છે, પરંતુ આ બંને બીજમાં પોષક તત્વો જુદા જુદા હોય છે. આ બીજ ફાઇબરથી ભરપૂર હોય છે. આ બીજનો ઉપયોગ કરવાથી તમારું શરીર ભરેલું લાગે છે જે તમારું વજન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે.
આ બીજ એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝનો ભરપૂર સ્ત્રોત છે જે હૃદય, વાળની અને પાચનની બધી સમસ્યાઓને દૂર કરે છે. આ બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂ હોય છે જે વટાચાંની સમસ્યાઓ દૂર કરી ત્વચાને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત આ બીજ તમારા મગજને તેજ બનાવે છે.
ચિયા સીડ્સ: ચિયા સીડ્સના બીજમાં ઘણા બધા પોષકતત્વો હોય છે જેમાં મુખ્યત્વે ઓમેગા 3 ફેટી એસિડ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઑકિસડન્ટો, ફાઇબર અને કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા બ્લડ પ્રેશર સાથે આપણા હોર્મોન્સને સંતુલિત કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
આ બીજ ફાઈબરથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ બીજમાં કેલ્શિયમ હોવાથી તે હાડકાંને મજબૂત કરે છે, દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે, હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે, વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.