આજના આધુનિક યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે, તેવામાં વ્યક્તિ પણ પોતાની જીવન શૈલીમાં ખુબ જ વ્યસ્ત રહેતો હોય છે. તેવામાં ભાગદોડ ભરી જિંદગીમાં વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન પણ આપી શકતી નથી.
આજના સમયમાં મોટાભાગના લોકો ઓફિસનું કામ, ઘરનું કામ વ્યવહારિક કામ જેવી અનેક સમસ્યાના કારણે વ્યકતિ ખુબ જ પરેશાન રહેતો હોય છે તેવામાં વ્યક્તિ માનસિક તણાવ અને ડિપ્રેશનમાં પણ આવી જાય છે. આપણા જીવન તણાવ મુકત રહે તે ખુબ જ જરૂરી છે.
આ માટે આપણે સવારે ઉઠીને શું કરીએ છીએ તે સૌથી મહત્વનું છે. કારણકે આપણે સવારે ઉઠીને જે કામ કરીએ છીએ જેની અસર આપણી આખા દિવસની દિનચર્યા પર પડતી હોય છે, આ માટે આપણે આપણી દિવસની શરૂઆતમાં કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ. ,માટે હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિષે જાણીશું.
સવારે સૂર્ય ઉગે તે પહેલા ઉઠી જવું: સવારે વહેલા ઉઠવાની ઘણા લોકોને આળશ આવતી હોય છે પરંતુ સવારે વહેલા ઉઠવાથી અન્ય પ્રવૃત્તિ કરવાનો ઘણો સમય મળી રહે છે, આ સમસ્યામાં આપણે કેટલીક હળવી કસરત અને યોગા કરવા જોઈએ. જેથી દિવસની શરૂઆતમાં જ શરીરને ઉર્જા મળી રહે છે, જેથી આંખો દિવસ કામ કરવામાં મન લાગેલ રહે છે.
ઉઠતાની સાથે કરો આ પહેલું કામ: સવારે ઉઠીને તરત જ ચહેરાને સાદા પાણી વડે ઘોવો જોઈએ, ચહેરાને ચકલીના સાદા પાણીથી ઘોવાથી આંખો સારી રહે છે. આ ઉપરાંત મનને શાંતિ મળે છે. પાણી વડે મોં ધોવાથી ગમે તેટલી ઊંઘ આવતી હોય તો તે ઊંઘ ઉડી જશે અને તમે ફ્રેશ થઈ જશો.
ચાલવું જોઈએ: સવારે ઉઠીને ચાલવા જવાથી શરીરના દરેક અંગો યોગ્ય રીતે કાર્ય કરવાનું શરૂ દે છે. ચાલવાથી લોહીનું પરિવહન પણ તેજ થાય છે જેથી લોહી જામી જવાની સમસ્યા રહેતી નથી અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. સવારે ફ્રેશ હવામાનમાં ચાલવા જવાથી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે જેથી ફેફસા સાફ રહે છે જેથી ફેફસા સ્વસ્થ રહેશે.
પેટ સાફ કરવું: સવારે ચાલવાથી આંતરડામાં જામેલ મળને છૂટો કરે છે જેથી પેટ સાફ થઈ જાય છે. પેટ સાફ થવાથી ઝેરી બઘો કચરો દૂર થઈ જાય છે, માટે સવારે પેટ સાફ કરવું જોઈએ જેથી પેટ હલકું થઈ જાય અને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રહી શકાય. રાત્રીના સમયે પેટ સાફ કરવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે.
ત્યાર પછી બ્રશ કરવો: ઘણા લોકો ઉતાવરમાં ફટાફટ બ્રશ કરી લેતા હોય છે, તેવામાં આપણા મોં માં ખાધેલ ખોરાક ભરાઈ રહેતો હોય છે અને ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે જેના કારણે દાંતમાં સડો થવો, દાંત પીળા પાડવા જેવી સમસ્યા થતી હોય છે, માટે દાંતને અંદર અને બહાર બને બાજુથી બરાબર સાફ કરવા જોઈએ.
સવારનો નાસ્તો હેલ્ધી ખાવો: સવારનો નાસ્તો સ્નાન કર્યા પછી જ કરવો જોઈએ, સવારના નાસ્તામાં આપણે પોટિનથી ભરપૂર હોય તેવા નાસ્તાનું સેવન કરવું જોઈએ જે શરીરને પૂરતા વિટામિનની ઉણપને દૂર કરે છે. માટે સવારનો નાસ્તામાં ચા કોફી બંધ કરી પૌષ્ટિક આહારનું લેવો જોઈએ.
દરેક વ્યક્તિ આજના સમયમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવન ઈચ્છે છે તેમને આજીવન માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવું હોય તો આ રીતે રોજે સવારે કરવું જોઈએ. જે આપણા આરોગ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.