છેલ્લા 2 વર્ષમાં જે રીતે હૃદયરોગના કેસમાં વધારો થયો છે તે કદાચ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. હ્રદય સંબંધિત બીમારીઓ અને નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોએ આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે.

અભ્યાસ દર્શાવે છે કે કોરોના સંક્રમણ હૃદયની સમસ્યાઓમાં વધારો કરી રહ્યું છે, લાંબા કોવિડમાં ઘણા લોકોને સંક્રમણમાંથી સાજા થયાના એક વર્ષ પછી પણ હૃદય સંબંધિત સમસ્યાઓ છે. આવી પરિસ્થિતિઓ તમારા માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

હૃદય રોગ નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા છે, ભલે તેમને કોઈ સમસ્યા ન હોય, તો પણ એક વખત સાવચેતીભર્યું હૃદયની તપાસ કરાવવી જોઈએ. આમ કરવાથી તમે તમારી જાતને કોઈપણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની સંભાવનાથી સુરક્ષિત રાખી શકો છો.

આ સિવાય જે લોકોને કોરોના થયો નથી તેઓએ પણ હૃદયના સ્વાસ્થ્યને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જીવનશૈલીની ઘણી ખરાબ આદતો પણ હૃદય રોગનું જોખમ વધારી રહી છે. તો ચાલો જાણીએ કે હૃદય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે કઈ આદતોને તાત્કાલિક છોડી દેવી જોઈએ.

ધૂમ્રપાન: આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે, ધૂમ્રપાનને હૃદય રોગના વધતા કેસોનું મુખ્ય કારણ ગણી શકાય. ધૂમ્રપાન ઉપરાંત, સેકન્ડહેન્ડ સ્મોકથી દૂર રહેવું જોઈએ કારણકે તે જોખમી પણ હોઈ શકે છે. તમાકુમાં રહેલા રસાયણો હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે.

સિગારેટના ધુમાડાથી લોહીમાં ઓક્સિજન ઓછો થાય છે, જેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધે છે. શરીર અને મગજને પૂરતો ઓક્સિજન પૂરો પાડવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ પરિસ્થિતિઓ હૃદય રોગનું કારણ બની શકે છે.

શારીરિક પ્રવુતિ: હૃદયરોગથી દૂર રહેવા માટે બેઠાડુ જીવનશૈલી એટલે કે શારીરિક નિષ્ક્રિય પ્રવૃત્તિઓને ઓછી કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ ઓછામાં ઓછી 25 થી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનું કરો.

નિયમિત વ્યાયામ અને યોગ આસનોનો અભ્યાસ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. વ્યાયામની આદત હૃદયના રોગોના અન્ય પરિબળો જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.

આખા શરીરની, ખાસ કરીને હૃદયની સમસ્યાઓથી બચવા માટે આહારમાં કોઈ ગરબડ ન આવે તે માટે આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. હૃદયરોગના પરિબળોને ઘટાડવામાં તમારા માટે સ્વસ્થ આહાર મદદરૂપ છે.

સંપૂર્ણ આહાર: આ માટે આહારમાં શાકભાજી અને ફળો, ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટ્સ, આખા અનાજ અને આરોગ્યપ્રદ ખાદ્યતેલ લો. જંક-ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનથી હાર્ટ પ્રોબ્લેમ અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.

પૂરતી ઊંઘ: જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી તેઓમાં સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. આ તમામ સ્થિતિઓ તમારામાં હૃદયરોગનું કારણ બની શકે છે.

રાત્રે પૂરતી ઊંઘ ન આવવાની સમસ્યા મોટા ભાગના વયસ્કોમાં જોવા મળે છે. સૂવાનો સમય સેટ કરો અને દરરોજ તે જ સમયે સૂઈ જાઓ. ઊંઘની ગુણવત્તામાં સુધારો કરીને, તમે હૃદય રોગના જોખમને ઘટાડી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *