આજના સમયમાં દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેઓ સુંદર દેખાય એમાં પણ ખાસ કરીને મહિલાઓ ઇચ્છતી હોય છે કે તે પોતાની વધતી ઉંમરની સાથે પણ સુંદર અને યુવાન રહે અને આ માટે તેઓ પોતાની સુંદરતાનું પણ પૂરું ધ્યાન રાખે છે. મહિલાઓ લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહેવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે અને બ્યુટી પાર્લરમાં પણ ઘણા પૈસા ખર્ચ કરે છે.
પરંતુ વધતી જતી ઉંમર સાથે દરેક લોકોની સુંદરતા ઘટવા લાગે છે જેના લીધે ઘણી મહિલાઓ ખૂબ પરેશાન થઈ જાય છે. વધતી ઉંમરને સાથે કુદરતી સૌંદર્ય ઓછી થવા લાગે છે પણ દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની સુંદરતા ઓછી ન થાય અને તે પોતાની વધતી ઉંમરમાં પણ યુવાન દેખાય. અહીંયા તમને એવી ચાર વસ્તુઓ વિષે જણાવીશું જે તમને 30 વર્ષ પછી સ્વસ્થ, સુંદર અને યુવાન દેખાડવામાં ઘણી મદદ કરી શકે છે.
છાશ: છાશ એ દરેક ગુજરાતી ઘરોમાં બપોરે પીવાતું પીણું છે. છાશ ને જમ્યા પછી પીવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભો થાય છે. તે એસિડિટી ઘટાડી શકે છે અને પછી ભલે તમે મસાલેદાર ખોરાક ખાઓ કે તળેલા ખોરાક. છાશ તમારા પેટને ઠંડુ કરે છે. છાશ વિટામિન B, કેલ્શિયમ, પોટેશિયમથી ભરપૂર હોય છે તેથી દરેક લોકોએ બપોરે ભોજન સાથે છાશ પીવી.
છાશ તેવા લોકો માટે મદદરૂપ છે જેઓ ડાઈટ પર છે કારણ કે છાશ તમને ભરપૂર રાખે છે અને તમને નબળાઈ અનુભવતા નથી દેતું. છાશમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે જે ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે અને પાચન સુધારે છે. તે તમને હેલ્ધી ત્વચા આપે છે.
આપણે હંમેશા તંદુરસ્ત શરીર રાખવા માટે ઘણીવાર જટિલ રીતો શોધીએ છીએ પરંતુ તમારા રોજિંદા આહારમાં સરળ અને સામાન્ય વસ્તુઓ ઉમેરવાથી તમને ઘણી મદદ કરી શકે છે. છાશ પીવાથી માત્ર તમારું પેટ જ સાફ જ નથી થતું પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
સફરજન: સફરજન વિષે એવું કહેવાય છે કે “દરરોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરથી દૂર રહો”. એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટરથી દૂર રહી શકો છો. પરંતુ આપણા મનમાં વારંવાર વિચાર આવે છે કે કયું સફરજન સારું છે. લાલ કે લીલું. તમને જણાવી દઈએ કે બંને સફરજનમાં સમાન પોષક તત્વો હોય છે પરંતુ લીલા સફરજનમાં વિટામીન A, K અને Cની માત્રા લાલ કરતા થોડી વધારે હોય છે.
લાલ સફરજન તમને કોઈ પણ સમયે મળી રહે છે પરંતુ તમને આખા વર્ષ સુધી સરળતાથી લીલા સફરજન નથી મળતા. આથી જ્યારે લીલા સફરજનની ઋતુ હોય ત્યારે લીલા સફરજન વધારે ખાઈ લેવા જોઈએ અને શરીરને જરૂરી પોષક તત્વોનો ભરપૂર લાભ લઇ લેવો જોઈએ. તમને જણાવીએ કે લીલા સફરજનમાં ભરપૂર ફાઈબર જોવા મળતું હોવાથી તેને ખાવાથી આપણું પાચનતંત્ર યોગ્ય રહે છે.
સફરજન કબજિયાત અને પેટની બીજી નાની મોટી સમસ્યાઓમાં પણ ઘણી રાહત આપે છે. તેમજ તેમાં જોવા મળતું પેક્ટીન નામનું તત્વ આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે. આથી લીલું સફરજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
સફરજન માં વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે જે ત્વચાને યુવાન બનાવી રાખે છે. લીલા સફરજનમાં વિટામિન-કે અને વિટામિન એ સિવાય પણ ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
કાજુ: ડ્રાયફ્રુટ ના ફાયદા વિષે દરેક લોકો જાણતા હશે. ડ્રાયફ્રુટ માં સમાવેશ થતા બદામ અને કાજુની સરખામણી કરવામાં આવે તો બદામની હંમેશા જીત થાય છે. જો કે કાજુ દરેકને પસંદ હોય છે પરંતુ ઘણા લોકો તેની ગેરસમજને કારણે કાજુ ખાવાનું ટાળે છે. કાજુમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે તમારા વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
એટલા માટે આજના સમયે ડોકટરો પણ દરરોજ 4 થી 5 કાજુ ખાવાની સલાહ આપે છે. કાજુમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ, પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, જસત, વિટામિન સી અને બી ભરપૂર માત્રામાં હોય છે. આથી કાજુ સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક હોય છે.
કાજુમાં રહેલી ચરબી આપણા હૃદય માટે સારી હોય છે પરંતુ તેના માટે તમારે દરરોજ માત્ર 3 થી 4 કાજુ ખાવા જોઈએ. કાજુ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાજુમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે તેથી પાચન ક્રિયા સુધારવા માટે નટ્સ ઉપયોગી છે.
જે લોકોનું વજન વધુ છે તેવા લોકો માટે કાજુ ફાયદાકારક સાબિત થઇ શકે છે કારણકે કાજુમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને શરીરમાં એનર્જી પુરી પાડે છે. તેથી કાજુનું યોગ્ય રીતે સેવન કરવાથી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.
કોળુ : કોળાનું શાક આંખના સ્વાસ્થ્ય સાથે સાથે પાચન સંબંધિત સમસ્યાઓ માટે પણ ઘણું સારું છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ઉપરાંત કોળું થાઇરોઇડની સમસ્યાઓનો સામનો કરવા માટે જરૂરી વિટામિન્સની પૂર્તિ કરવા માટે પણ એક સરસ રીત છે. તમે કોળાનો ઉપયોગ સૂપ બનાવવા માટે અને નવી મીઠી વાનગીઓ બનાવવા માટે પણ કરી શકો છો.
કોળુ વજન ઘટાડવા માટે એક સારો ખોરાક માનવામાં આવે છે કારણ કે તે કેલરીથી અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. તો અહીંયા જણાવેલી વસ્તુઓનું જો તમે સેવન કરશો તો તમે પણ 30 વર્ષે પછી પણ યુવાન અને સુંદર દેખાઈ શકો છો.