શરીરમાં ઝેર ચડિયું હોય તેમ સાંધા નો દુખાવો માણસ ને અડધો કરી દે છે. ભારતમાં આશરે 30% લોકો સાંધાના દુખાવાથી પીડાય છે. પહેલાના સમયમાં સાંધાના દુખાવા મોટી ઉંમરે જ જોવા મળતા હતા પરંતુ આજના સમયમાં 30-35 વર્ષની ઉંમરના લોકોમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે.

સાંધાના દુખાવા પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ, વધારે પૈસા વાળા અને ખમતી પાર્ટીઓ લાખો રૂપિયા ખર્ચીને પણ સારવાર કરે છે. ઘણા લોકો પેઈન કિલર ગોળીઓ લઈને રાહત મેળવે છે. સાંધાના દુખાવા થાય ટાયરે ઘણી વખત ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા હોય છે.

પરંતુ સાંધાના ઓપરેશનમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા વગર આપણે નાની ઉંમરથી જ આપણે ઘ્યાન રાખવું જોઈએ. નાની ઉંમરથી જ આપણે શરીર અને હાડકાને મજબૂત બનાવી દઈશું તો સાંધાને લગતી કોઈ પણ બીમારી થશે.

આપણા હાડકામાં કેલ્શિયમની અને પ્રોટીન ની ઉણપના કારણે હાડકા પોચા થવા લાગે છે પરિણામે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવાની તકલીફ રહેતી હોય છે. આ માટે આ બધી સમસ્યાથી છુટકાળો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.

આ ઘરેલુ ઉપાય કરવાથી જે લોકો દોડતા નથી તે પણ દોડવા લાગશે. આ માટે તમારે બે થી ત્રણ મહિના નો સમય આપવો જોઈએ જેથી હાડકા મજબૂત થશે અને હાડકાને લગતી અનેક પ્રકારની સમસ્યા જડમુળ માંથી દૂર થઈ જશે.

સાંધાના દુખાવાના ઘરેલુ ઉપાય:
મેથીનું પાણી: આ માટે નાનું માટીની કુંડુ લેવાનું છે એમા બે ચમચી મેથીના દાણા અને બે ગ્લાસ જેટલું પાણી નાખો અને આખી રાત માટે પલાળી રાખો, હવે તે પાણીને ગાળીને મેથીના દાણા ને લગ કરી લો, ત્યાર પછી તે મેથીદાણા ને મિક્સર માં નાખીને ચટણી જેવી પેસ્ટ બનાવી લો,

હવે એક પેનમાં મેથીદાણા પલાળેલ પાણી નાખી તે પેસ્ટ પણ નાખો અને નવશેકું ગરમ કરી લો, હવે તેને નીચે ઉતારીને એક બાઉલમાં નીકાળી દો, સાંધા ના દુખાવા દૂર કરવા માટેનું અકસીર પીણું તૈયાર થઈ ગયું છે. આ પીણાને ગાળીયા વગર જ રોજે સવારે નરણાકોઠે લેવાથી સાંધા ના દુખાવામાં ખુબ જ ફાયદો થશે.

આ પીણું રોજે તાજું બનાવીને જ પીવું જોઈએ જેથી સાંધા ના દુખાવામાં ખુબ જ અસરકારક સાબિત થશે. આ પીણું પીવાથી કમરનો દુખાવો, ઢીચણ નો દુખાવો, સાંધાના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવવો જેવી અનેક સમસ્યા દૂર થઈ જાય છે. એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. સાંધાના દુખાવામાં કાયમી છુટકાળો મેળવવા માટે ખાનપાનમાં ઘ્યાન રાખવું જોઈએ.

પારિજાત પાનનો રસ : પારિજાતના ફૂલ સફેદ અને તેની દાંડી નારંગી રંગની હોય છે. આપણે પારિજાના પાન નો ઉપયોગ કરવાનો છે. આ પારિજાતના તાજા 4 પાન લઈને ખાંડણીમાં પીસી લો, ત્યાર પછી એક પેનમાં એક ગ્લાસ પાણી નાખી પીસેલા પાન ની પેસ્ટ નાખો અને પાણી અડધું ના થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. પછી ગેસને બંધ કરીને નીચે ઉતારી લો, તે ઠંડુ થઈ જાય ત્યારે તેને પીવાનું છે.

આ રસને રોજે સવારે નરણાકોઠે નાસ્તો કર્યાના 30-45 મિનિટ પહેલા લેવાનો છે. વર્ષો જુના માં જુના સાંધા, કમર, ઢીંચણના દુખાવાને દૂર કરવા આયુર્વેદમાં શાસ્ત્રોમાં આ રસ લેવાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તમને સાધના દુખાવા સંપૂર્ણ બંધ ના થઈ જાય ત્યાં સુધી આ રસ દિવસમાં એક વખત પીવાનો છે, તમારે 3 મહિના પછી સાંધાના દુખાવાની કોઈ પણ દવા ખાવાની જરૂર નહીં પડે. રોજ ચાર પાન નો રસ બનાવી પી લો જીવશો ત્યાં સુધી કમર, ઢીંચણ અને સાંધાનો દુખાવો નહીં થાય

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *