આમ તો દરેક વ્યક્તિ હસતા અને બોલતા રહેતા હોય છે. હસવા અને બોલવા પરથી દરેક વ્યક્તિ એક બીજાને ઓરખી જાય છે. પરંતુ ઘણી વખત હસી અને બોલી નથી શકતા. મોંમાં દુર્ગધ આવવાના ઘણા બધા કારણો કોઈ શકે છે.

એક તો હસતા હસતા આપણા દાંતો પીળા હોય તો હસી પણ નથી શકતા કારણકે લોકો તેને જોઈએ ને મજાક ઉડાવી શકે છે. આ ઉપરાંત ઘણા લોકો બોલવાના શોખીન હોય છે પરંતુ તે બોલવા જાય ત્યારે તેમના મોંમાંથી વાસ અને દુર્ગધ આવતી હોય છે. જેના કારણે તે બોલતા પણ આંચકાતા હોય છે.

ઘણી વખત તેમને શરમનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે ઘણા લોકો તેમની સાથે હરવા ફરવામાં અને રહેવાનું પસંદ નથી કરતા. માટે આજે અમે તમને મોં માંથી આવતી દુર્ગઘને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી તમે સરળતાથી મોમાં આવતી દુર્ગંધ ને દૂર કરી શકશો.

મોંમાં થી આવતી ખુબ જ ખરાબ વાસ અને દુર્ગંધ ના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, લીવરની સમસ્યા, પેટને લગતી સમસ્યા, કબજિયાત, ઓછું પાણી પીવું, આ ઉપરાંત ડુંગળીનું સેવન, લસણ નું સેવન, બ્રશ કરવામાં કચાશ, તમાકુ ખાવાથી, દાંતમાં સડાની સમસ્યા જેવા મુખ્યત્વે કારણો હોઈ શકે છે.

ઘરેલું ઉપચાર: 1. લીંબુ પાણી: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરી લો, હવે તેમાં અડઘા લીંબુનો રસ મિક્સ કરો, હવે તે પાણીના કોગળા કરવાના છે. દિવસમાં બે વખત કોગળા કરવાથી મોંમાં રહેલ બેક્ટેરિયા નો નાશ કરે છે અને મોમાં આવતી દુર્ગઘ ને દૂર કરે છે. જેથી બોલવામાં અને હસવામાં ખરાબ દુર્ગધ બહાર નીકળતી નથી.

આ ઉપરાંત તમે દરરોજ બે ટાઈમ ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીં એપી જાઓ તો કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે જેના કારણે જાથાળમાં રહેલ વધારો કચરાને દૂર કરે છે અને પેટને લાગતીઅનેક સમસ્યા દૂર થઈ જાય છે.

અજમો અને તજ: મોં ની દુર્ગઘને દૂર કરવા માટે અજમો અને તજ ખુબ જ અસરકારક છે. એક ગ્લાસ પાણી લઈ લો, તેમાં અડધી ચમચી તજ પાવડર અને અડઘી ચમચી અજમો નાખીને ગરમ કરી લો. ત્યાર પછી તે પાણીથી કોગળા કરવા એવું થોડા દિવસ કરવાથી મોંમાં આવતી દુર્ગઘ દૂર થઈ જાય છે અને મોને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.

ઈલાયચી: જો તમને મોંમાં વઘારે વાસ આવતી હોય તો મોને ફ્રેશ રાખવા અને શ્વાસ ને શુદ્ધ કરવા માટે ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે. માટે તમારે દિવસમાં બે વખત ઈલાયચી મોંમાં રાખી મુકવી. એવુંકરવાથી બોલાતી વખતે મોંમાં થી ખરાબ દૂર ગંઘ આવવાની બંઘ થઈ જાય છે.

વઘારે પાણી પીવું: જોતમને ઓછું પાણી પીવાની આદત હોય તો તે પણ તમારા મોમાં આવતી દુર્ગધ ને વધારી શકે છે. માટે દુર્ગધ ને દૂર કરવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વો બહાર નીકળે છે જેના કારણે મોમાં આવતી દુર્ગઘ દૂર થઈ જાય છે. માટે દરરોજ ચાર લીટર પાણીનું સેવન કરવું જોઈએ.

ગ્રીન-ટી: ગ્રીન ટી માં એન્ટીઓક્સીડેન્ટ ની માત્ર વધુ માત્રામાં મળી આવે છે. જે શરીરમાં રહેલ દુર્ગધ ને ઉત્પન્ન કરતા હાનિકારક બેક્ટેરિયાનો વિનાશ કરવા માં મદદ કરે છે. માટે દિવસમાં એક કે બે કપ ગ્રીન ટી નું સેવન અવશ્ય કરવું જોઈએ જેથી મોમાં આવતી દુર્ગધ પન્ન દૂર થાય અને આપણું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તેનું સેવન કરવાથી મૂડ પણ સારો રહે અને એનર્જી પણ રહે છે.

વરિયાળી: વરિયાળી અનેક રીતે ખુબ જ ઉપયોગી છે. જમ્યા પછી એક ચમચી વરિયાળીનું સેવન કરવાથી મોમાં આવતી ખરાબ વાસ બંઘ થઈ જશે અને મોં ને ફ્રેશ રાખશે. આ ઉપરાંત મોમાં રહેલ બેક્ટેરિયાનો નાશ કરશે અને પેટે લગતી સમસ્યા જેવી કે કબજિયાતથી પણ છુટકાળો મળી રહેશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *