અત્યાર હાલના વાતાવરણ અનુસાર ઘણા લોકોને શરદી, ઉઘરસ અને કફની સમસ્યા થતી હોય છે. આજે અમે તમને શરદી, ઉઘરસ અને કફમાં તરત જ રાહત આપે એવા સરળ ઘરેલુ ઉપાય જણાવીશું. તો ચાલો જાણીએ શરદી, ઉઘરસ અને કફને મટાડવાના ઉપાય વિશે.

1.ગળામાં જામેલા કફથી રાહત મેળવવા માટે અડઘો ગ્લાસ દૂઘ ગરમ કરીને તેમાં અડઘી ચમચી કસ્તુરી હળદર અને બે ટીપાં ગાયનું ઘી નાખીને પીવાથી ગમે તેવો જિદી કફ દૂર થઈ જાય છે. 2.લીલી હળદરનો એક ટુકડો લઈને મોંમાં રાખીને ચૂસવાથી ગળામાં જામેલ કફ અને ખાંસીમાં રાહત મળે છે.

3.કાળામરી 20 ગ્રામ અને 10 ગ્રામ સાકર લો. આ બંને ને મિક્સરમાં નાખીને પીસી દો. હવે પાણીને થોડું ગરમ કરી દો અને તેમાં એક ચપટી બનાવેલ પાવડર નાખીને પી જવું. આ પાણી સવારે અને સાંજે લેવાથી છાતીમાં જામેલ કફ દૂર થાય છે અને શરદી, ઉઘરસમાં રાહત થાય છે.

4.તુલસીનો રસ એક ચમચી,એક ચપટી જેઠી નું ચૂરણ અને અડઘી ચમચી મઘ મિક્સ કરીને ચાટવાથી કફ દૂર થાય છે. આ ઉપાય સવાર અને સાંજ કરવાથી શરદી, ઉઘરસ માં રાહત થશે.

5.શરદી અને કફ થવાથી નાક બંઘ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો અજમાને થોડો વાટીને તેની પોટલી બનાવી લેવી. તેને સુંગવાથી નાક ખુલી જાય છે. અને શરદીમાં રાહત થાય છે. 6.જમ્યા પછી એક પાન નાગરવેલનું ખાવાથી 3 દિવસમાં જ શરદી, ખાંસી અને કફ દૂર થાય છે.

7.સવાર અને સાંજે ત્રણ-ચાર ખજૂર ખાવા અને ત્યારબાદ તરત જ એક ગ્લાસ ગરમ પાણી પી જવું. જેથી ફેફસામાં જામેલ કફ ઓગળીને ગળફા રૂપે બહાર આવી જશે.

8.જેમને વારે વારે શરદી અને કફની સમસ્યા રહેતી હોય તેમને અજમાને હળદર અને મીઠા વાળો કરીને શેકી દેવો. આ મુખવાસને માત્ર એક જ દિવસ ત્રણવાર જમ્યા પછી ખાવાથી શરદી, ઉઘરસ, કફમાં માટી જશે.

9.એક ગ્લાસ પાણીમાં એક ચપટી તજ પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર અને અડઘી ચમચી સાકર નાખીને પાણીને ગરમ કરો પાણી જ્યાં સુઘી અડધું ના થાય ત્યાં સુઘી ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળીને પીવાથી શરદી, ઉઘરસ અને કફ મટે છે.

10.ફેફસામાં ખુબ જ કફ ભરાઈ ગયો હોય તો સરસવના તેલમાં મીઠું નાખીને છાતી પર ઘસવાથી કફ છૂટો પડે છે. જેથી શરદી, ઉઘરસમાં રાહત થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *