આજના સમયમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ચાહત હોય છે. મોટા ભાગે દરેક મહિલાઓ અને છોકરીઓ ચહેરાને સુંદર અને સુશીલ બનાવવા માટે બજારમાં મળતા અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગે આ બધી બ્યુટી પ્રોડક્ટમાં ઘણો બઘો ખર્ચો થતો હોય છે. એવામાં ઘણા લોકો આ બ્યુટી પ્રોડક્ટ ઉપયોગ કરવાનું પણ બંધ કરી દેતા હોય છે.
પરંતુ આજે અમે દરેક વ્યકતિ માટે એવા કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ, કરચલી, ચહેરાને કાળાશ વગેરેને દૂર કરવામાં મદદ કરશે અને વધારે પૈસા નો ખર્ચ કર્યા વગર ચહેરાને સુંદર બનાવી દેશે. હવે અમે તમને ઘરેલુ ઉપાય વિશે જણાવીશું.
ટામેટા: ટામેટા મા વિટામિન ‘એ’ અને ‘સી’ આવેલું છે. તેથી ફેસપેક ઉપરાત નિયમિત લાગવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે. ટામેટા ચહેરા પર લગાવા થી ડાધ દુર કરી શકાય છે, એના માટે ટામેટા ને બે ભાગ મા કાપીને ચહેરા પર ધસો, પછી તેને 15 મિનીટ સુધી રહેવા દો, અને સાદા પાણી વડે ચહેરા ને ધોઇ નાખો, થોડા દિવસ આવું કરવામા આવે તો ચહેરા પરના ડાધા દુર થશે.
આબળા: આબળામાં વિટામિન ‘સી’ નુ સોથી સારુ સ્તોત હોય છે. તે લોહી ને શુદ્ધ કરે છે અને તેના સેવન થી ભુખ પણ વધે છે. આબળા ત્વચાને અને હાડકાને સ્વસ્થ રાખે છે. આબળા ના નિયમિત સેવનથી ત્વચા પરની કરચલી દૂર થાય છે.
કાચું દૂઘ: ચહેરા પર નિખાર લાવવા અને ત્વચા પર ચોટેલ ગંદકીને દૂર કરવા માં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં ત્રણ થી ચાર ચમચી કાચું દૂધ લઈ લેવું, ત્યાર પછી તેમાં રૂ ને ડાબોળીને ચહેરા પર લગાવી ને હળવા હાથે માલિશ કરો. ત્યાર પછી અડઘો કલાક થાય પછી ચહેરાને ઘોઈ દેવો. આમ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થઈ જશે અને ચહેરો સુંદર દેખાવા લાગશે.
તુલસી: તુલસી આપણા સ્વસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. તુલસીનો ઉપયોગ કરીને ચહેરા પરના ખીલ અને ડાઘને દૂર કરી શકાય છે. માટે સૌથી પહેલા થોડા તુલસીના પણ લઈને તેમાં થોડું પાણી મિક્સ કરીને વાટી ને પેસ્ટ તૈયાર કરો, હવે તે પેસ્ટને આખા ચહેરા પર લગાવી દો, એક કલાક પછી ચહેરાને સાદા ઠંડા પાણીથી ઘોઈ દેવો. આમ કરવાથી ચહેરાની તૈલી ત્વચાને દૂર કરીને ખીલને પણ દૂર કરી દેશે. તુલસી ચહેરા ને સુંદર અને મુલાયમ બનાવશે.
એલોવેરા: ત્વચા માટે એલોવેરા જેલ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેન ઉપયોગ કરીને ચહેરાની કાળી ત્વચા ને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા એલોવેરા જેલને ચહેરા પર લગાવીને થોડી વાર હળવા હાથે માલિશ કરો અને 30 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ લેવો. એલોવેરાને ત્વચા પર આવી રીતે લગાવાથી ચહેરા પરના ખીલ, કાળાશ, કરચલી વગેરે દૂર કરીને ચહેરાને સુંદર અને મુલાયમ બનાવે છે.
લીંબુ: લીંબુના અનેક સમસ્યા લાભો પણ છે. આ ઉપર તેનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો ચહેરાને સુંદર બનાવી શક્ય છે. અત્યારના સમય માં બહાર નીકળવાથી ચહેરા પર ધૂળ ણ માટી ચોંટી જાય છે. તે બેક્ટેરિયા ચહેરાની રોનક બગાડે છે. માટે ચહેરા પર ચોટેલ ગંદકીને દૂર કરવા માટે લીંબુ ખુબ જ અસરકારક સાબિત થાય છે.
સૌથી પહેલા એક લીંબુ લઈને તેના બે ભાગ કરી લો, હવે તેમાંથી એક ટુકડો લઈને ચહેરા પર બે થી ત્રણ મિનિટ ઘસીને માલિશ કરો. ત્યાર પછી અડઘો કલાક સુઘી રહેવા દો. પછી સાફ પાણી વડે ચહેરાને ઘોઈ લેવો. આમ કરવાથી ચહેરા પર ચોટેલ ગંદકી દૂર થઈ જશે અને ચહેરો સુંદર અને મુલાયમ થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.