માથાનો દુખાવો થવો હાલના સમય માં ખુબ જ સામાન્ય છે. વાતાવરણમાં થઈ રહેલ બદલાવ, આપણી ભાગદોડ ભર્યું જીવન અને આપણી કેટલીક અનિયમિત ખાણી પીણી ખાવાની ખરાબ ટેવના કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે.

માથાના દુખાવાની સમસ્યા આપણી અપૂરતી ઊંઘ, વઘારે પડતો તણાવ, વઘારે સમય ભૂખ્યા રહેવું જેવા અનેક કારણો હોઈ શકે છે. જો માથાના દુખાવાનો સમય સર ઈલાજ ના કરવામાં આવે તો તે મગજ પર ખુબ જ વઘારે ગંભીર અસર કરી શકે છે.

માથાના દુખાવા રહેતા હોય તેમને પોતાના રોજિંદા જીવનમાં થોડો બદલાવ લાવવા જોઈએ. જેથી માથાના દુખાવા થવાનું ઓછું થઈ જાય. જેમ કે, સમય સર જમી લેવું, કયારેય લાંબા સમય સુઘી ભૂખ્યા ના રહેવું, ઓછામાં ઓછી 7 કલાકની ઘસઘસાટ ઊંઘ લેવી, વઘારે ગુસ્સો ના કરવો આ બધી બાબતોનું ઘ્યાન રાખશો તો માથાના દુખાવા થશે નહીં.

માથાના દુખાવા થાય ત્યારે ઘણા લોકો બજારમાં મળતી પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ પેઈન કિલર વઘારે લેવાથી મગજ અને લીવર પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે. માટે માથાના દુખાવામાં ગોળીઓનું સેવન ઓછું કરી દેવું જોઈએ.

બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કર્યા વગર અને અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું. જે ઉપાય કરતાની સાથે 5 મિનિટ માં જ માથાના દુખાવા રાહત મેળવી શકાય છે. આપણા સરોદમાં એવી કેટલીક વસ્તુ મળી આવે જેનો ઉપયોગ કરવાથી માથાના દુખાવા રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત અન્ય કોઈ પણ બીમારી હોય તેમાં પણ રસોડામાં રહેલ મસાલાનો ઉપયોગ કરીને અનેક બીમારીમાં રાહત મેળવી શકો છો. મઠના દુખાવા સૌથી અસરકારક હોય તો તે અજમો છે. જે વર્ષોથી રસોડાના મસાલામાં સરળતાથી મળી આવે છે.

અજમાની અંદર એવા કેટલાક ગુણ મળી આવે છે જે બળતરા વિરોઘી ગુણ મળી આવે છે. તે દુખાવામાં રાહત આપી શકે છે. આજે અમે તમને જણાવીશું કે અજમાનો કઈ રીતે ઉપયોગ કરીને માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.

પહેલો ઉપાય: સૌથી પહેલા બે ચમચી જેટલો અજમો લઈ લો, હવે તે અજમાને તવીમાં નાખીને થોડો શેકી લો, ત્યાર પછી એક પતલા કપડામાં નાખીને તેની પોટલી બનાવીને તે પોટલીને સુંગવું. આ અજમાની આ પોટલી ને સુંગવાથી માથાનો થતો દુખાવો થોડી જ ક્ષણો માં દૂર થઈ જશે.

આમ, આ પોટલી શરદી થઈ હોય તો પણ સુંગી શકાય છે. જેથી શરદીમાં પણ રાહત મેળવી શકાય છે. બીજો ઉપાય: આદુંને સૂકવીને બનાવેલ સૂંઠ પાવડરનો ઉપયોગ કરવાનો છે. બે ચમચી સૂંઠ પાવડર લઈ લો હવે તેમાં થોડું પાણી મિક્સ કરીને તેને થોડું ગરમ કરી લો. ત્યાર પછી તેને નીચે ઉતારીને તે પેસ્ટને કપારમાં લગાવીને થોડી વાર રહેવા દો.

આ 30 મિનિટ થાય ત્યારે કપારમાં લગાવેલ પેસ્ટને પાણી વડે નીકાળી દેવી. આ પેસ્ટનો ઉપયોગ માથું દુખે ત્યારે કરવાથી 5 મિનિટ માં જ રાહત મેળવી શકાય છે. આ ઉપાય ખુબ જ સરળ ઉપાય છે. માઈગ્રેનના થતા દુખાવામાં રાહત મેળવવા માટે પણ આ ઉપાય કરી શકાય છે.

આ ઉપાય ખુબ જ દેશી અને ઘરેલુ ઉપાય છે. આ ઉપાય કરવાથી મગજમાં રહેલ ચેત્તા તંતુઓને શાંત કરે છે. મગજ શાંત થઈ જવાથી માથાનો દુખાવો ખુબ જ ઝડપથી ઓછો થઈ જશે. માથાનો દુખાવો જો વારે વારે થતો હોય તો તે માઈગ્રેનની સમસ્યા પણ હોઈ શકે છે. માટે જો વારે વારે દુખાવો થતો હોય તો નજીકના ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *