આજે આ આર્ટિકલમાં શરીરમાં થતી કોઈ પણ જાતની બળતરાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. બળતરા મોટાભાગે શરીરમાં આંતરિક ગરમી વઘારે હોવાના કારણે થતી હોય છે. જેમ કે, હાથ પગના તળિયામાં બળતરા, પેશાબમાં બળતરા, પેટમાં બળતરા જેવી સમસ્યા થતી હોય છે.

માટે આ બળતરામાં રાહત મેળવવા માટે શરીરમાં ઠંડક રહેવી જોઈએ. પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિને મોટાભાગે વધુ જોવા મળતી હોય છે. આ ઉપરાંત ગરમી વઘારે બળતરાની સમસ્યા થઈ શકે છે.

માટે ગરમીની ઋતુમાં વઘારે તડકામાં ના રહેવું જોઈએ. જો બહાર નીકળવું હોય તો ઠંડકના ચશ્મા અને ટોપી પહેરીને જ બહાર નીકળવું જોઈએ. જો તમે બહાર તડકામાંથી આવ્યા હોય તો તરત જ પાણીનું સેવન ના કરવું જોઈએ. બહારથી આવ્યાના 20 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.

જેથી શરીરનું તાપમાન યોગ્ય માત્રામાં જળવાઈ રહે. જેથી શરીરમાં આંતરિક ગરમી વઘે નહીં. જો શરીરમાં કોઈ પણ બળતરાની સમસ્યા હોય તો વઘારે મસાલા વાળું, તીખું અને તળેલો ખોરાક ખાવાનો બઘ કરવો જોઈએ. આ ઉપરાંત તેમને શરીરને અનુકૂળ પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.

જો શરીરમાં આંતરિક ગરમી રહેતી હોય તો મોસંબી, નાળિયેર પાણી, તડબૂચ વગેરેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. આ ઉપરાંત જો તમે ફળોને જ્યુસ બનાવ્યા કરતા સીઘા ખાઓ તો તેના વધુ ફાયદા મળશે. અને ગરમીને દૂર કરીને શરીરને ઠંડક આપશે. હવે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી શરીરમાં થઈ રહેલ બળતરાને દૂર કરવામાં મદદ કરશે.

શરીરમાં થઈ રહેલ બળતરા ને દૂર કરવા માટે ત્રણ થી ચાર ઈલાયચી લઈને તેને ભૂકો કરી લો, ત્યાર પછી એક ચમચી આમળાંનો પાવડર બંને મિક્સ કરી લો, હવે તે બંને એક ગ્લાસ પાણીમાં નાખીને પી જવું. આમ કરવાથી શરીરની બળતરા દૂર થઈ જશે.

એક ચમચી વાળના દૂધમાં વાટેલી સાકરની અડઘી ચમચી મિક્સ કરીને સવારે અને સાંજે પી જવાથી આંખો, હાથ-પગ અને પેશાબની બળતરા દૂર થઈ છે. આ ઉપરાંત એક ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી સાકરનો ભૂકો બંને મિક્સ કરીને ખાઈ લેવું ત્યાર પછી એક વાટકી દૂઘ પી જવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે.

રાત્રે સુતા પહેલા એક બાઉલમાં પાણી ભરીને આઠ કાળી દ્રાક્ષ અને એક ચમચી સૂકા ઘાણા નાખીને આખી રાત ઢાંકીને રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને તેમાં દ્રાક્ષ અને ઘાણામાં અડઘી ચમચી સાકરનો ભૂકો મિક્સ કરીને ખાઈ જાઓ. પછી તે પાણી પણ પી જવું. આમ કરવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે અને આંખોને ઠંડક મળે છે.

જમ્યા પછી છાતીમાં કે પેટમાં બળતરા રહેતી હોય તો અડઘી ચમચી ઘાણાંજીરૂંમાં થોડો સાકરનો ભૂકો મિક્સ કરીને જમ્યાના 30 મીનીત પછી ખાઈ જવો. આમ કરવાથી પેટની ગરમી શાંત થશે.

ગરમીની ઋતુમાં ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય છે તો તેમને દેશી ગાયનું ઘી પગના તળિયામાં લગાવીને પાંચ મિનિટ માલિશ કરવી જોઈએ. જેથી પગના તળિયામાં થતી બળતરા દૂર થઈ જાય છે અને દેશી ઘી તળિયામાં લાગવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે.

પિત્ત પ્રકૃતિના કારણે થતી બળતરાને દૂર કરવા માટે અડધા ગ્લાસમાં એક કોકમ નાખીને તેમાં અડધી ચમચી સાકરનો ભૂકો મિક્સ કરીને પીવાથી બળતરા દૂર થાય છે. એક નાની ડુંગળી લઈને તેના ટુકડા કરીને પાણીમાં નાખીને તે અડધું થાય ત્યાં સુધી ઉકાળો ત્યાર પછી તને ગાળીને પી જાઓ. આ પાણી પીવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે.

એક લીટર પાણીમાં બે ચમચી સૂકા ઘણાને પીસીને નાખો, ત્યાર પછી તેને ઉકાળી લો, પછી તેને ગાળી લેવું. પછી તેને એક બોટલમાં ભરી લો પછી જયારે તરસ લાગે ત્યારે તેમાંથી પાણી પી જવું. આ પાણી પીવાથી શરીરમાં રહેલ આંતરિક ગરમીને દૂર કરશે અને શરીરને ઠંડક આપશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *