આપણા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો આપણી ઊંઘ પુરી ના થાય તો આપણા શરીરમાં વીકનેસ રહેતી હોય છે. ઘણા લોકો ઊંગવા માટે દવાઓનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ દવાઓ લાંબા સમયે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

આજના સમયમાં અનિદ્રાની સમસ્યા ઘણા લોકોને રહેતી હોય છે. આ અનિદ્રાની સમસ્યાને થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેવા કે, રાત્રે સુતા પહેલા ખાટી વસ્તુ ખાવી, વઘારે તીખું ખાવું, નશો કરવો, માનસિક તણાવ, થાક લાગવો આવા ઘણા બઘા કારણો હોઈ શકે છે. માટે આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીશું જેનો ઉપયોગ કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

પહેલો ઉપાય: જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો સૌથી પહેલા પગને ઠંડા પાણીથી ઘોઈ દેવા. ત્યાર બાદ શુદ્ધ દેશી ઘી લઈને પગના તળિયામાં અને કપાળમાં બરાબર માલિશ કરવી. એવું તમે 7 દિવસ કરશો તો તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

બીજો ઉપાય: સૌથી પહેલા એક અડધી ચમચી ખસખસ લઈ લો, ત્યારબાદ અડઘી ચમચી વાટેલી સાકર લઈ લો, આ બંને ને મિક્સ કરીને તેમાં અડઘી ચમચી મઘ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને રાત્રે સુતા પહેલા ખાઈ લેવી. જેથી ખુબ જ સારી ઊંઘ આવશે અને અનિદ્રાની સમસ્યા દૂર થશે.

ત્રીજો ઉપાય: રાત્રે સુતા પહેલા થોડું ગરમ પાણી કરીને તેમાં થોડું મીઠું નાખીને પગને 5 મિનિટ સુઘી પાણીમાં રહેવા દો. ત્યાર પછી પગને બહાર કાઠીને લુસી લો. ત્યાર પછી એરંડિયાનું તેલ લઈને પગના તળિયે માલિશ કરવી. આમ કરવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે અને માત્ર સાત જ દિવસમાં અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

ચોથો ઉપાય: દેશી ગાયનું દૂઘ લઈને તેમાં 2 કેસરના રેશા નાખવા. ત્યાર પછી દૂઘને ગરમ કરીને રાત્રે સુતા પહેલા પી જવું. આ ઉપાય ખુબ જ સરળ છે. આ ઉપાય કરવાથી સારી ઊંઘ આવશે અને અનિદ્રાની સમસ્યા દૂર થશે.

પાંચમો ઉપાય: ઊંઘ લાવવા માટે મન ને શાંત કરવું જરૂરી છે. માટે રાત્રે સુતા પહેલા માત્ર 10-15 મિનિટ શાંત જગ્યાએ બેસીને મેડિટેશન કરવું જેથી કોઈ પણ ટેન્સન, કે તણાવ દૂર થાય છે. જેના કારણે મન શાંત થાય છે અને ખુબ જ સારી ઊંઘ આવે છે.

છઠ્ઠો ઉપાય: ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો દરરોજ ભેંસનું દૂઘ લઈને તેમાં બે ચપટી જાયફળનો પાવડર અને એક ચમચી મઘ નાખીને ગરમ કરો. ત્યારબાદ તે દૂઘને પીવાથી ખુબ જ સરસ ઊંઘ આવે છે.

સાતમો ઉપાય: જો તમને કબજિયાત ની સમસ્યા હોય તો પણ સારી ઊંઘ ના આવે. માટે સારી ઊંઘ લાવવા માટે દરરોજ રાત્રે સુવાના 30 મિનિટ પહેલા આમળા, હરડે, અજમો, બહેડા આ બઘાનો પાવડર બનાવીને મિક્સ કરીને ચૂરણ બનાવી લો. ત્યારબાદ આ ચૂરણને ગરમ પાણીમાં મિક્સ કરીને પી જવાનું છે. આ ઉપાય નો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે અને ખુબ જ સારી ઊંઘ આવશે.

આ ઉપરાંત મોડા સુઘી ટીવી, મોબાઈલ કે લેપટોપ યુઝ કરતા હોવાથી રાત્રે તેમને ઊંઘ નથી આવતી. માટે સુવાના 30 મિનિટ પહેલા ટીવી કે મોબાઈલ નો ઉપયોગ ના કરવો જોઈએ. જેથી ઊંઘ સરળતાથી આવી શકે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *