અત્યારના સમયમાં ઘણા લોકોને કમરનો દુખાવો અને સાંઘાના દુખાવાથી પરેશાન થઈ ગયા છે. હાલના સમયમાં 35-40 વર્ષની ઉંમરે પણ આ સમસ્યા ખુબ જ વધુ જોવા મળે છે. ઘણી વખત એક જગ્યાએ બેસી રહેવાથી કે વઘારે પડતા વજન ઉપાડવાના કારણે પણ કમરમાં કે સાંઘામાં દુખાવો થતો હોય છે.
જેના કારણે ઘણા લોકો બજારમાં મળતી દવા અને તેલનો ઉપયોગ કરતા હોય છે. બજારમાં મળતી દવાનું સેવન કરવાથી દુખાવામાં રાહત થાય છે. પરંતુ તેનાથી કાયમી છુટકાળો મળી શકતો નથી. માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી કમર અને સાંઘાના દુખાવા દૂર થઈ જશે.
કમરના દુખાવામાં રાહત મેળવાના ઉપાય:1. તલનું તેલ અને જાયફળ: સૌથી પહેલા જાયફળને પાણીમાં પલાળી રાખો, ત્યાર પછી તે જાયફળને છીણી લો, હવે છીણેલા જાયફળને તલના તેલમાં મિક્સ કરી લો, ત્યાર પછી તેને ગેસ પર 10 મિનિટ ઉકાળો.
ત્યાર પછી તે એકદમ ઠંડુ થઈ જાય ત્યારે કમરમાં તેનાથી માલિશ કરવી. આ તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં જલ્દીથી આરામ મળશે અને દુખાવો ઘીરે ઘીરે દૂર થઈ જશે.
2.દેશી ઘી અને આદું: સૌથી પહેલા 10 ગ્રામ આદું લઈને તેનો રસ કાઢો, ત્યાર પછી તે રસમાં એક ચમચી દેશી ઘી ઉમેરો હવે આ મિક્ષણ ને સવારે અને સાંજે બંને ટાઈમ પીવાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
સાંઘાના દુખાવામાં રાહત મેળવાના ઉપાય: 1.તલ અને સૂંઢ: સૌથી પહેલા એક ચમચી તલનો પાવડર અને એક ચમચી સૂંઢ નો પાવડર ને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
2.હળદર અને સૂંઢ: સાંઘાના દુખાવામાં હળદર અને સૂંઢ બંને ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. માટે સૌથી પહેલા એક ચમચી હળદર અને એક ચમચી સૂંઢ પાવડર બંને ને મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં નાખો, ત્યાર પછી તેને ગરમ કરવા મુકો.
હવે 2 મિનિટ પછી ગેસ બંઘ કરીને તે પીણું થોડું ઠંડુ થાય ત્યારે તેને પી જવું. એનું સેવન કરવાથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત એનું સેવન નિયમિત કરવાથી થોડા જ દિવસમાં સાંઘાના દુખાવા દૂર થઈ જશે.
જો તમને કમરનો દુખાવો કે સાંઘાનો દુખાવો રહેતો હોય તો ઉપર જણાવેલ ઉપાયનો ઉપયોગ કરીને તમે ખુબ જ ઝડપથી રાહત મેળવી શકશો. આ ઉપાય ખુબ જ સરળ અને અસરકારક સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.