મોટાભાગે માથાનો દુખાવો ઘણા લોકોને થતો જ હોય છે. માથાનો દુખાવો આપણી ખરાબ આદતોને કારણે પણ થતો હોય છે. જેવી કે મોડા સુઘી લેપટોપ,ટીવી, કે મોબાઈલનો ઉપયોગ કરવો, વઘારે પડતા તડકામાં રહેવું, વધારે તરેલું ખાવું કે બહારના જંકફૂડ આ બઘી આદતોના કારણે આપણે ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

જો માથાનો દુખાવો વારે વારે થતો હોય તો તે માઈગ્રેનની સમસ્યા પણ હોઈ શકે છે. જેને મટાડવો ખુબ જ કઠિન છે. માઈગ્રેન ની સમસ્યા ખતરનાક છે જે દિવસે ને દિવસે વઘતી જતી હોય છે. માઈગ્રેનનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે.

માઈગ્રેનની સમસ્યા હોય તેમને દવા લેવી જ પડતી હોય છે. પરંતુ વધુ પ્રમાણમાં દવા લેવાથી કિડની અને લીવરને પણ નુકશાન થઈ શકે છે. જે દરેક વ્યક્તિને ખબર જ હશે. માટે જો તમારે માઈગ્રેનની સમસ્યા માંથી રાહત મેળવી હોય તો તમારે જીવનમાં બદલાવ લાવવા જોઈશે.

આ માટે બહારના જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને કુદરતી રીતે મળતી દરેક વસ્તુનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને એવા કેટલાક દેશી ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી માઈગ્રેનમાં ઘણી રાહત મેળવી શકાય.

પહેલો ઉપાય: આ ઉપાય કરવા માટે ત્રણ વસ્તુની ખાસ જરૂર પડશે. બદામ તેલ, ચંદન પાવડર અને ગુલાબજળ. હવે શોથી પહેલા એક ચમચી બદામનું તેલ લઈને કપારમા લગાવો અને 10 મિનિટ સારી રીતે માલિશ કરો. હવે એક ચમચી ચંદન અને એક ચમચી ગુલાબજળને લઈને બંને સારી રીતે મિક્સ કરી લેપ તૈયાર કરી લો.

ત્યાર પછી તે લેપને કપાર પર લગાવીને 10 મિનિટ માલિશ કરીને રહેવા દો. 30 મિનિટ પછી ઘોઈ ને સાફ કરો દેવું. ચંદન ને આપણે ઘણા સમયથી ઉપયોગ કરીએ છીએ. ચંદન ને કપાર પર લગાવાથી મગજ ઠંડુ અને શાંત રાખે છે. આ ઉપરાંત મગજની નસો સારી રીતે કામ કરતી થઈ જાય છે.

બીજો ઉપાય: આ ઉપાય માટે શુદ્ધ દેશી ગાયનું ઘી લેવાનું છે. માઈગ્રેન થવાથી નસો ઓછી કામ કરે છે જેના કારણે ઘણા કામ કરવામાં તકલીફ થાય છે. જેના કારણે શરીરમાં ઘણી કમજોરીનો સામનો કરવો પડતો હોય છે. આ માટે ગાયનું ઘી ખુબ જ અસરકારક સાબિત થાય છે.

આ માટે રાત્રે સૂતી વખતે બંને નસકોરામાં એક-એક ટીપ દેશી ઘી નું નાખવાનું છે. ઘ્યાનમાં રાખવું કે માત્ર એક એક જ ટીપું નાખવાનું વઘારે ના નાખવું અને આ પ્રયોગ સુતા સુતા જ કરવાનો રહેશે. બંને બાજુ એક ટીપું પાડિયા પછી એકદમ ઘીમે ઘીમે શ્વાસ લેવો. આમ કરવાથી થોડું ઘી ગળામાં જશે અને થોડું મગજ સુઘી પહોંચે છે.

જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો દેશી શુદ્ધ ગાયના ઘી નો ઉપયોગ કરવાથી માત્ર 15 દિવસ માં તમને ફરક જોવા મળશે. અને માઈગ્રેનની સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જશે. એવું ના માનવું કે દરેક વ્યક્તિને માઈગ્રેનની સમસ્યા દૂર થઈ જશે. દરેક વ્યક્તિના તાસીર અનુસાર ફાયદો થતો હોય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *