આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વાતાવરણ માં થતા બદલાવ અને પાણીમાં થતા પરિવર્તન ના કારણે ઘણા લોકો સ્કિન ને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યં છે, આ સિવાય ઘણા લોકો એક બીજાના કપડાં પહેરવા, શરીરના અંગોને સારી રીતે સાફ ના કરવા વગેરે કારણથી પણ સ્કિન ને લગતી સમસ્યાઓ થતી હોય છે.

સ્કિન ને લગતી સમસ્યામાં ઘણા લોકો ખંજવાળ, ઘાઘર જેવી સમસ્યાથી વધુ પીડાઈ રહ્યા છે. સ્કિન ની સમસ્યામાં ઘણી બધી બજારમાં દવાઓ અને ટ્યુબો મળી આવે છે, જેનથી ઘણા લોકોને ફેર પડી જાય છે કે ઘણા લોકોને તેનો કોઈ ફેર પડતો હોતો નથી.

જયારે પણ સ્કિન ની સમસ્યા થાય છે ત્યારે ઘણા લોકો તે જગ્યા પર ખંજવાળતા હોય છે. પરંતુ તે જગ્યા એ નખ થી વધુ ખંજવાળવાથી તે વધે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી સ્કિન ને લગતી સમસ્યામાં રાહત મળે છે.

સ્કિનને લગતી સમસ્યા દૂર કરવાના ઉપાય:

લીમડાના પાનનો ઉપયોગ: લીમડો સ્કિન પ્રોબ્લમ માટે સૌ ટકા અસરકારક સાબિત થાય છે. આ માટે પાંચ થી છ લીમડાના પાન લઈને તેની પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તે પેસ્ટને અસરગ્રસ્ત વાળી જગ્યાએ લગાવી દો. લીમડાનો દિવસમાં બે વખત ઉપાય કરવાથી સ્કિન ને લગતી સમસ્યા દૂર થાય છે.

એલોવેરા જેલ: ખંજવાળ અને ઘાઘર જેવી સ્કિન ને લગતી સમસ્યામાં ખુબ જ અસરકારક છે. આ માટે તાજા એલોવેરા જેલ નો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એલોવેરા જેલ નીકાળી લો અને તે જેલ ને ખંજવાળ અને ઘાઘર હોય તે જગ્યાએ રૂ વડે લગાવી દેવાની છે.

એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે કીટાણુઓનો અંદરથી નાશ કરવામાં મદદ કરે છે. જેથી ઘીરે ઘીરે ઘાઘર મટી જાય છે. સ્કિન પ્રોબ્લમ માં વધુ ખંજવાળ આવતી હોય તો એલોવેરા જેલ લગાવાથી ઝડપથી આરામ મળે છે.

કોકોનટ તેલ: સ્કિન ને લગતી સમસ્યામાં કોકોનટ તેલ ખુબ જ ફાયદાકરાક સાબિત થઈ શકે છે. આ માટે દિવસમાં તેનો ઉપયોગ ત્રણ થી ચાર વખત કરવાનો રહેશે. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં તેલ નીકાળી લો, ત્યાર પછી તે તેલનો ઉપયોગ કરવાનો છે.

તેલ ને લગાવવા માટે રૂ નો ઉપયોગ કરવાનો છે. આ માટે તેલમાં રૂ ડબોળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દો, અને તેલ સુકાઈ જાય ત્યાર પછી ફરીથી તેલ ને રૂ વડે લગાવાનું છે. આવી રીતે તેલ નો ઉપયોગ કરવાથી ઘીરે ઘીરે સ્કિન ની સમસ્યા દૂર થાય છે.

જો તમે પણ સ્કિન પ્રોબ્લમ હોવાના કારણે ઘણા પૈસા નો ખર્ચ કર્યો છે અને તે મટવાનું નામ લેતી નથી તો આ ઉપાય અપનાવાથી ચોક્કસ ફાયદો થતો જોવા મળશે.

અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, દરેક વ્યક્તિની તાસીર અલગ હોય છે આ માટે કોઈ પણ ઉપાય કરવાથી તેનો લાભ થતા વધારે સમય પણ લાગી શકે છે. આ માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *