અત્યારના સમયમાં ઘણા એવા લોકો પણ છે ખંજવાળની સમસ્યાથી પરેશાન છે. ખંજવાર આવવાંના ઘણા બધા કારણો હોઈ શકે છે. ચામડીના રોગને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને મટાડી શકાય છે.

ચામડીમાં આવતી ખંજવાળ આપડી ચામડી સૂકી પડી ગઈ હોય તો પણ આવી શકે છે. આ ઉપરાંત કપડાં ઘોવામાં પાવડર કે સાબુ રહી જવો, શુષ્ક ત્વચા, દવાની આડઅસર, એલર્જી, ચેપ લાગવો જેવા અનેક કારણોથી ખંજવાળ આવતી હોય છે.

ખંજવાળ એક એવી સમસ્યા છે જેનો ઈલાજ સમયસર ના કરવામાં આવે તો તે વધી શકે છે. જેથી તે ખુબ જ ગંભીર રૂપ ઘારણ કરી લે છે. માટે સમયસર ખજવાળ આવે એટલે સારવાર કરવી ખુબ જ જરૂરી છે. જેથી શરૂઆત માં જ ખંજવાળને જડમૂળથી દૂર કરી શકાય છે.

ખંજવાળ શરીરના ગુપ્ત અંગોમાં, પગમાં કે પછી હાથ માં પણ થઈ શકે છે. ત્વચાની ખંજવાળ આવવાથી અને વધારે ખનવાથી ત્વચા પર લાલ ફોલ્લીઓ, લાલ ડાઘ જોવા મળતા હોય છે. ખંજવાળ નો ઈલાજ જલ્દી ના કરવાથી તે લાંબા સમય સુઘી રહી શકે છે. જે તમારી રોજિંદા જીવનને ખલેલ પહોંચાડી શકે છે.

ખંજવાળ આવવાનું મુખ્ય કારણ આપણે આપણા શરીરને યોગ્ય રીતે સાફ નથી કરતા. જેના કારણે ચામડીના રોગ થવાનું શરુ થઈ જાય છે. ચામડીના રોગના કારણે આવતી ખંજવાળને મટાડવા માટે આજે અમે તમને કેટલાક દેશી ઘરેલુ ઉપચાર જણાવીશું. જે તમને ખંજવાળમાં રાહત અપાવશે.

જેતુનનુ તેલ: જો તમને ખંજવાળની સમસ્યા પરેશાન કરતી હોય તો જેતૂનના તેલનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. આ માટે તમારે એક ચમચી જેતૂનનું તેલ લેવાનું તેમાં અડઘી ચમચી મઘ મિક્સ કરો અને બંનેને સારી રીતે હલાવીને પેસ્ટ બનાવી લો, હવે તે પેસ્ટને રૂ ની મદદથી ખંજવાળ આવતી જગ્યા પર લગાવી દો. આ રીતે થોડા દિવસ પેસ્ટ લગાવાથી ખંજવાળમાં ઝડપથી રાહત મળશે.

એલોવેરા જેલ: એલોવેરા જેલ ચામડીના રોગને દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે ખંજવાળને મટાડવામાં ખુબ જ ઉપયોગી છે. માટે તાજી એલોવેરા જેલને ખંજવાળ આવતી જગ્યા પર લગાવો. બે થી ત્રણ દિવસ લગાવશો તો તમને ચોક્કસ ફરક જોવા મળશે.

કડવો લીમડો: ચામડીના રોગને દૂર કરવા માટે લીમડો ખુબ જ ફાયદાકારક છે. લીમડામાં બળતરા વિરોધી ગન ધર્મો મળી આવે છે. જે ચામડીના રોગને જડમુળમાંથી દૂર કરી નાખશે. આ માટે તમારે કડવા લીમડાના થોડા પાન લઈને તેને પીસી લેવા ત્યાર પછી તે પેસ્ટને અસરગ્રસ્થ ભાગ પર લગાવી લો.

દિવસમાં બે વખત લીમડાની પેસ્ટ લગાવવી જોઈએ. આ ઉપરાંત ચામડીના રોગથી છુટકાળો મેળવવા માટે પાણીમાં લીમડાને નાખીને એક કલાક પલાળીને રહેવા દો, ત્યાર પછી આ પાણીથી સ્નાન કરવું જેથી ચામડીના રોગમાં રાહત થશે. લીમડો આપણી ત્વચાના દરેકને દૂર કરવામાં ઉપયોગી છે.

જો તમારી ત્વચા પર આવતી ખંજવાળને મટાડવા માંગતા હોય તો ઉપરોક્ત ઉપાયનો ઉપયોગ કરીને ખંજવાળને દૂર કરી શકાય છે. આ ઉપાયમાં કડવો લીમડો, એલોવેરા જેલ, જેતનનું તેલ ખુબ જ અસરકારક સાબિત થશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *