ઘણા લોકો દાઢના દુખાવા થતા હોય છે. ઘણા લોકોને દાંતમાં સડો થઈ જવાના કારણે દાંતના દુખાવા થતા હોય છે. માટે આજે અમે તમને દાંતના દુખાવા અને દાઢના દુખાવામાં રાહત મળી રહે તેવો ઘરેલુ ઉપાય જણાવીશું.
દાંતમાં થતો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જે આપણી રોજિંદા જીવનને ખલેલ પહોંચાડે છે. દાંત અને દાઢના દુખાવા થવાના કારણે ઘણી સમસ્યા થઈ શકે છે. તમને જણાવી દઉં કે દાઢનો ઉપયોગ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને તોડવા, પીસવા અને ચાવવા માટે થાય છે.
દાઢનાં દુખાવામાં ઘણા બઘા પ્રકાર હોય છે. જેમકે વઘારે ગરમ આહાર લેવો, વઘારે ઠંડુ ખાવું, ખોરાક ખાતી વખતે દુખાવો થવો, ઠંડુ પાણી પીવાથી થતા દુખાવા, દાઢ પર સ્પર્શ કરવાથી થતો દુખાવો જેવા ઘણા બઘા પ્રકાર હોય છે.
જયારે પણ આપણે ગુસ્સો કરતા હોઈ ત્યારે દાંત ખુબ જ જોરથી ભીડાતા હોય છે. જે દાંતના દુખાવાનું મુખ્ય કારણ પણ હોઈ શકે છે. જયારે કોઈ પણ ઉત્તેજક પદાર્થો દાઢના સંપર્કમાં આવી જાય છે ત્યારે દુખાવો થતો હોય છે. દાઢમાં જયારે દુખાવો થાય છે ત્યારે આસપાસ સોજો આવી જાય છે.
જયારે પણ દાઢનો દુખાવો થાય છે ત્યારે દાંતના ડોક્ટર જોડે જવું પડતું હોય છે. જયારે ડોક્ટર જોડે જઈએ ત્યારે ડોકટર ઈન્જેક્સન આપે છે અને દવાઓ પણ આપે છે. જેના કારણે દુખાવો બઘી થઈ જાય છે. જો ખુબ જ અસહ્ય દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
આજે અમે તમને દાઢમાં થતા દુખાવામાં રાહત મેળવા માટેના કેટલાક ઉપાય જણાવીશું જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. જેથી તમારે દવાખાન જવાની જરૂર પણ નહીં પડે. આ ઉપાય દાઢમાં થતા દુખાવામાં ઝડપથી રાહત અપાવામાં મદદ કરશે.
પહેલો ઉપાય: દાઢના દુખાવામાં મીઠાનું પાણી સૌથી સારું માનવામા આવે છે. માટે જયારે પણ દાઢમાં દુખાવો થાય કે પછી દાંતમાં દુખાવો થાય ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરીને મીઠાને ઓગાળી દેવાનું છે. આ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જેના કોગળા કરવાથી દાઢ માં આવેલ સોજાને દૂર કરે છે અને દુખાવામાં રાહત આપે છે.
બીજો ઉપાય: દાઢ ના દુખાવામાં બરફના ટુકડા ખુબ જ અસરકારક સાબિત થશે. આ માટે તમારે એક કપડામાં એક બરફનો ટુકડો લઈ લેવાનો છે ત્યાર પછી તેને દાઢ પર મૂકી રાખો જેથી દુખાવામાં રાહત થાય છે.
ત્રીજો ઉપાય: આ ઉપાયમાં તમારે લવિંગનું તેલ લેવાનું છે. સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી જેટલું લવિંગનું તેલ તેલ લેવું ત્યાર પછી રૂ ની મદદથી જે દાઢ દુખતી હોય તેના ઉપર લવિંગનું તેલ લગાવી દો. આ તેલમાં રહેલ એન્ટી સેપ્ટિક નામનું તત્વ મળી આવે છે જે દાઢમાં આવેલ સોજાને દૂર કરી દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત લવિંગનો પાવડર બનાવી તેને દુખાવા વાળી દાઢમાં લગાવી દો. આ લવિંગના પાવડરથી પણ દાઢમાં થતા દુખાવામાં રાહત મળશે.
દાઢમાં થતા દુખાવા રાહત મેળવવા માટેના આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપય ખુબ જ સરળ છે જે દરેક વ્યક્તિ ઘરે આસાનીથી કરી શકે છે. જો તમને ખુબ જ અસહ્ય પીડા થતી હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.