આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના આધુનિક યુગમાં વઘારે પ્રદુષણ, વાતાવરણમાં બદલાવ થવાના લીઘે હાલના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિ વાળને લગતી સમસ્યાથી પરેશાન છે. આશરે 100 માંથી 95 લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી જ હોય છે.

વાળ ખરવાની સમસ્યાના ઘણા બઘા કારણો હોય છે. ખાસ કરીને આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ સમસ્યા થતી હોય છે. આપણી અનિયમિત ખાણી પીણી હોવાના કારણે આપણે આપણા વાળને જે પોષક તત્વો મળવા જોઈએ તે મળતા નથી. જેના કારણે આપણા વાળ નબળા થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.

આ ઉપરાંત જયારે આપણે કોઈ પણ કામ માટે બહાર નીકળ્યા હોય તો વાળમાં ધૂળ અને માટી ભરાઈ જતી હોય છે જેના કારણે પણ થોડા સમય પછી વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. વાળ ખરવાની સમસ્યા હાલના સમયમાં નાની ઉંમરે જ વધુ જોવા મળે છે.

હાલના સમયમાં છોકરીઓ વાળને લાંબા, ઘાટા અને કાળા વાળા સૌથી વઘારે રહે તેવું ઈચ્છતા હોય છે. હાલના સમયમાં મોટાભાગે નાના મોટા દરેક વ્યકતિ બજારમાં મળતા શેમ્પુ, કન્ડિશન, તેલ જેવી પ્રોડકટનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે.

જયારે આપણે વાળને લાંબા, કાળા કરવાનું વિચારતા હોઈએ ત્યારે આપણે બજારમાં મળતા અલગ અલગ તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વારે વારે તેલ બદલવાના કારણે અને અલગ અલગ શેમ્પુ માથામાં નાખવાના કારણે વાળ ખરવાનું ચાલુ થઈ જાય છે.

જો તમારે વાળમાં શેમ્પુનો ઉપયોગ કરવો હોય તો હર્બલ અને આયુર્વેદિક શેમ્પુનો જ ઉપયોગ કરવી જોઈએ. કારણકે તેમાં કેમિકલનું પ્રમાણ હોતું નથી. જે આપણા વાળ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. હાલના સમયમાં બજારમાં એવા કેટલાક તેલ મળે છે જેમાં વાળને જરૂરી હોય તેવા પોષક તત્વો મળતા નથી.

જો વધુ પડતા વાળ ખરતા હોય અને જો ટાલ પડવા લાગે તો ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે માટે વાળને ખરતા અટકાવા ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને એક એવા તેલ વિશે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે આપણા વાળને પૂરતું પોષણ પૂરું પાડશે.

આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકી જશે અને સાથે કાળા, લાંબા, અને ઘાટા થવા લાગશે. માટે છોકરીઓ, મહિલાઓ, યુવાનો અને પુરુષો માટે આ તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

તેલ બનાવવા માટે બે વસ્તુની જરૂર પડશે. તેલ બનાવવા માટેની રીત: સૌથી પહેલા એક મોટી તપેલી લઈ લેવી, હવે તેમાં 500 ગ્રામ જેટલું નારિયેળનું તેલ નાખવું અને ગેસ પર ગરમ કરવા મુકો,ત્યાર પછી 250 ગ્રામ મેથી દાણાને અચકચરા કરીને તેલમાં નાખી દેવાના છે. 5 મિનિટ સુઘી આ તેલને ઉકળવા દેવાનું છે ત્યાર પછી થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને એક કાચની બરણીમાં ભરી લેવાનું છે.

ત્યાર પછી આ તેલનો ઉપયોગ દિવસમાં બે વખત કરવાનો છે. સવારે અને સાંજે આ તેલનો ઉપયોગ કરવાનો છે. જેથી તમને ખુબ જ સારું અને ઝડપી પરિણામ જોવા મળશે. આ તેલ વાળમાં અને વાળના મૂળમાં લગાવીને 5 મિનિટ સુઘી વાળના મૂળમાં માલિશ કરવાની છે.

આ રીતે સવારે અને સાંજે બને ટાઈમ માલિશ કરશો તો વાળ માત્ર 7 દિવસમાં જ ખરતા અટકી જશે અને વાળને કાળા અને ઘાટા બનાવશે. આ ઉપરાંત માથામાં પડેલ ટાલમાં પણ વાળ ઘીરે ઘીરે ઉગવા લાગશે. આ ઉપાય ખુબ જ સરળ અને આસાન છે.

જો તમારા વાળા ખરતા હોય અને અનેક દવાઓ ઉપયોગ કરવા છતાં પણ વાળ ખરતા બંઘ ના થતા હોય તો આ ઉપાયનો ઉપયોગ એક વખત જરૂર કરવો જોઈએ જેથી તમે વાળને ખરતા અટકાવી શકો. આ ઉપરાંત વાળને લાંબા અને કાળા બનાવામાં પણ મદદ મેળવી શકાશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *