આપણા આરોગ્યને સ્વસ્થ રાખવા માટે આપણે પૂરતા પ્રમાણમાં જરૂરી ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ લેવાથી આપણું શરીર સારું રહે છે. સારી ઊંઘ લેવાથી શરીરમાં થાક અને નબળાઈ રહેતી નથી. ઊંઘ પુરી ના થવાથી આપણે અનેક બીમારીના શિકાર પણ બનાવે છે.

ઊંઘ ના આવવાના ઘણા બઘા કારણો હોય છે. આપણી વ્યસ્ત જીવન શૈલી અને તણાવ ભર્યા જીવન જીવવાના કારણે પણ ઊંઘ ના આવવાની સમસ્યા થતી હોય છે. સારી ઊંઘ લાવવા માટે મન ને શાંત રાખવું ખુબ જ જરૂરી છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલી ઉંમરની વ્યક્તિએ કેટલા સમય ઊંઘવું જોઈએ અને સારી ઊંઘ લાવવા માટે શું કરવું તેના વિષે જણાવીશું. આપણે બઘા જાણીએ છીએ કે એક દિવસમાં 24 કલાક હોય છે. તેમાંથી ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણું મગજ શાંત અવસ્થામાં આવી જાય છે. જયારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિવહન ધીમું થઈ જાય છે. આ ઉપરાંત જયારે સુતા હોઈએ ત્યારે મગજની ક્રિયા ઘીમી થવાથી શરીરના દરેક અંગો આરામની સ્થિતિમાં જતા રહે છે.

જયારે આપણે વધુ વિચારતા હોય કે કોઈ પણ કામ પૂર્ણ કરવાનું હોય અને તે કામ સમયસર પૂરું ના થયું હોય તો આપણે તેના વિષે વધુ વિચારો આવતા હોય છે. વધુ વિચારતા હોય ત્યારે આપણું મગજ વિચારમાં જ ફરતું હોય છે. માટે સારી ઊંઘ મેળવવા માટે મગજને પહેલા શાંત રાખવું પણ ખુબ જ જરૂરી છે. તો ચાલો ઊંઘ કેટલી જોઈએ અને ઊંઘ લાવવા માટે શું કરવું જોઈએ તેના વિષે જાણીએ.

કઈ ઉંમરના વ્યકતિએ કેટલું સૂવું: સૌથી પહેલા 1 થી 6 મહિના બાળકને 20-21કલાક ની ઊંઘ ખુબ જ જરૂરી છે. 6 થી 12 મહિનાની ઉંમરના બાળકોએ 19-20 કલાકની ઊંઘ લેવી ખુબ જરૂરી છે. 1 વર્ષથી 3 વર્ષની ઉંમરના બાળકોએ 16-17 કલાક ની ઊંઘ જરૂરી છે.

જો 1 મહિનાથી 3 વર્ષની ઉંમરે બાળકો આટલા કલાક ઊંધે તો બાળકોના હોર્મોન્સમાં વઘારો થતો હોય છે. જેથી બાળકોના શરીરમાં ઘણા બદલાવ થતા હોય છે. જો બાળકો આટલા કલાક ઊંધે તો બાળકોનો વિકાસ સારો થાય છે આ ઉપરાંત બાળકોનું શરીર મજબૂત થાય છે.

3 વર્ષથી 7 વર્ષની ઉંમરના બાળકોએ 11-12 કલાક સૂવું જોઈએ. 8 વર્ષથી 15વર્ષના બાળકોએ 10-11 કલાક સૂવું જોઈએ. 16 થી 20 વર્ષના ઉંમરના વ્યક્તિએ 9-10 કલાક સૂવું જોઈએ. 21 વર્ષથી 25 વર્ષની ઉંમરના વ્યક્તિએ 7-9 કલાકનું ઊંઘ લેવી જોઈએ.

26 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ 6-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. દરેક ઉંમરની વ્યક્તિ આખા દિવસ દરમિયાન પોતાના સ્વાસ્થય માટે આટલા કલાકની ઊંઘ લેવી જોઈએ. જો વ્યક્તિ ઉંમર પ્રમાણે ઊંઘ પુરી ના કરે તો કોઈ પણ બીમારીના શિકાર હોઈ શકે છે. માટે કોઈ પણ બીમારીના શિકાર ના થવું હોય તો આટલા કલાકની ઊંઘ જરૂર લેજો.

રાત્રે સુતા પહેલા આટલી આદતો છોડો: રાત્રે સારી ઊંઘ લાવવા માટે ભરપેટ ક્યારેય ના જમવું. રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઈલમાં જોવાનું બંઘ કરી લો, સુવાના એક કલાક પહેલા કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ. સુતા પહેલા કઈ પણ નાસ્તો ના કરવો.

સારી ઊંઘ લાવવા માટે આટલું કામ કરો: રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ માં હળદર નાખીને પીવું. રાતે સુતા પહેલા હાથ અને પગ ઘોઈ લેવા. પગના તળિયામાં તેલથી અથવા દેશી ઘી થી માલિશ કરવી. સુતા પહેલા ઘ્યાન મુદ્રામાં બેસીને ૐ નામનું ઉચ્ચારણ કરવું. ઘ્યાન કરતી વખતે શ્વાસ અંદર બહાર કરવો અને શ્વાસ લેતા હોય તેના પર ઘ્યાન કેન્દ્રિત કરવું.

રાતે સુતા પહેલા 30 મિનિટ ચાલવું જોઈએ. જો તમે આ રીતે કરશો તો તમને માત્ર 2 જ મિનિટમાં પથારીમાં પડતા જ ઊંઘ આવી જશે અને બીજા દિવસે તમે ફ્રેશ અને તાજગી ભર્યો રહેશે.

ઊંઘ લાવવા માટે આ વસ્તુ ના ખાવી: ઘણા લોકોને કામ નું વધારે ટેન્શન અને તણાવ હોવાના કારણે તેમને ઊંઘ આવતી નથી જેના કારણે તમને ઊંઘ લાવવા માટેની બજારમાં મળતી ગોળીઓનું સેવન કરવું પડતું હોય છે. પરંતુ ઊંઘની ગોળીઓ લેવાથી આપણે ભર ઊંઘમાં જતા રહીએ,

જેના કારણે આપણા શરીરના ઘણા અંગો કામ કરતા ઓછા થઈ જતા હોય છે. જો કોઈ પણ અંગ ખુબ જ ધીમું થઈ જાય અને અચાનક બંઘ થઈ જાય તો આપણે મૃત્યુનું આમંત્રણ પણ આવે છે જેથી કયારેય ઊંઘવાની ગોળીઓનું સેવન ના કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *