આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં ઘણા લોકોને રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. સારી ઊંઘ લાવવા માટે આપણે કેટલીક વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ. આપણે ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ લેવી જ જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

અનિદ્રાની સમસ્યા એક માનસિક બીમારીની સમસ્યા કહેવાય છે. જે ઘણી બીમારીને લાવી શકે છે. માટે માનસિક તણાવ, ચિંતા અને ટેન્શન પણ મુકત રહેવાથી માનસિક બીમારી માંથી છુટકાળો મેળવી શકાય છે.

જયારે આપણે કોઈ પણ કામ કરતા હોય અને તે કામ પૂર્ણ ના થાય તો આપણે ઘણા ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ. જેના કારણે આપણે જયારે રાત્રે ઊંઘવા જઈએ ત્યારે વિચારો કરતા હોઈએ છીએ જેના કારણે આમતેમ પડખા ફેરવવા છતાં પણ ઊંઘ આવતી નથી.

ઊંઘ ના આવવા ના બીજા પણ કારણો હોઈ શકે છે. જેમ કે રાત્રે મોડા સુધી જાગીને મોબાઈલ જોવો, લેપટોપમાં મોડા સુધી કામ કરવું, વધારે પ્રમાણમાં ખાઈ લેવું જેવી અનેક સમસ્યા ના કારણે પણ ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે.

જો રાત્રે આપણે પૂરતી ઊંઘ લઈ ના શકીએ તો બીજા દિવસે આપણા શરીરમાં થાક હોય તેવું લાગતું હોય છે. અને જયારે બીજા દિવસે આપણે કામ કરવા ઓફિસમાં જઈએ છીએ તો ત્યારે પણ આપણે કામ કરતા કરતા બગાસા આવતા હોય છે.

રાત્રીના સયમે ઊંઘ લાવવા માટે આપણે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેથી તમે ખુબ સારી અને ધસધસાટ ઊંઘ લાવી શકો છો. આ માટે સૌથી પહેલા તો જયારે તમે ઓફિસ થી કે કોઈ કામ કરીને ઘરે આવો તો સૌથી પહેલા બાથરૂમ જઈને નાઈ લેવું જોઈએ.

જેથી શરીરમાં લાગેલ આખા દિવસનો થાક પણ ઉતરી જશે અને તણાવ, ચિંતા અને ટેન્શન પણ ઓછું થઈ જશે. ત્યાર પછી ભોજન કરવા બેસી જવું. રાત્રિનું ભોજન હંમેશા હળવું જ કરવું જોઈએ જેથી ઝડપથી પચી જાય. જમીને ઉભા થાઓ એના 15-20 મિનિટ પછી ધાબા ઉપર કે ગાર્ડનમાં 25-30 મિનિટ ચાલવું જોઈએ.

ચાલવાથી ખોરાકને ઝડપથી પચવામાં મદદ મેળવી શકાય છે. સાથે મૂડમાં પણ સુધારો થાય છે. જયારે તમે ચાલીને ઘરે આવો ત્યારે હાથ પગ અને મોં ને સાદા પાણીથી ઘોઈ લેવા, જેથી ચાલવાથી લાગેલ થાક પણ ઉતરી જશે.

ત્યાર પછી તમે રૂમમાં ઊંઘવા જાઓ ત્યારે 5 મિનિટ પગના તળિયામાં તેલથી માલિશ કરવી જોઈએ. જયારે તમે પથારીમાં ઊંધો ત્યારે કોઈ પણ વિચાર કરવો નહીં. ઊંઘતી વખતે તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ પર જ રાખવું જેથી તમને ખુબ જ ઝડપથી ઊંઘ આવી જશે.

ઘ્યાનમાં રાખવું કે સુવાના એક કલાક પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું. જો તમે આ રીતે કરશો તો માત્ર થોડીક જ સેકન્ડમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે. જે લોકો ઊંઘ લાવવા માટેની ગોળીઓ ખાય છે તમને આ રીતે કરવું જોઈએ જેથી ખુબ જ ઝડપથી ઊંઘ આવશે અને દવા લેવાની પણ જરૂર નહીં પડે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *