મોટાભાગના લોકો કામ કરીને આવે તો પણ સારી ઊંઘ મેળવી નથી શકતા આ માટે ઘણા કારણો પણ હોય છે. આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી ખુબ જ અલગ અલગ હોય છે.

જેમ કે ઘણા લોકો કોઈ પણ પ્રકારના વ્યસન નથી કરતા અને ઘણા લોકોને વ્યસન કર્યા વગર ચાલતું પણ નથી. ઘણા લોકોને બહારના ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે અને ઘણા લોકો બહારના આહારનું સેવન કરવાનું બિલકુલ પણ ગમતું નથી.

આ ઉપરાંત ઓફિસના કામનું ટેન્શન, ઘરનું ટેન્શન, સામાજિક ટેન્શન જેવા અનેક કારણો ના લીઘે વધારે ચિંતા, તણાવ, ડિપ્રેશન જેવી પરિસ્થતિ ઉભી થઈ શકે છે. જેના કારણે આપણે જયારે રાતે સુવા જઈએ ત્યારે આપણે સારી ઊંઘ મેળવી નથી શકતા.

ઊંઘ પુરી ના થવાના કારણે આપણા શરીરમાં શારીરિક અને માનસિક જેવી અનેક સમસ્યા થતી હોય છે. ઊંઘ પુરી ના થવાથી આપણે બેચીની રહે છે અને બીજા દિવસે થાક અને નબળાઈ રહેતી હોય છે જેથી કોઈ પણ કામ કરવામાં મન પણ લાગતું નથી.

આ માટે આપણે આપણા મગજને સૌથી પહેલા શાંત રાખવું પડશે જેથી આપણે ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ મેળવી શકીશું. માટે સારી ઊંઘ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.

ઘ્યાન મુદ્રા કરવી જોઈએ: સારી ઊંઘ લાવવા માટે આપણે મગજને શાંત કરવું જોઈએ આ માટે આપણે રાત્રે સુવાના 5 મિનિટ પહેલા રૂમ બંઘ કરીને નીચે પલોટી વાળીને બેસવું અને બે હાથ જોડીને આંખો બંઘ કરી લો, ત્યાર પછી ઊંડો શ્વાસ લેવો અને તમે જે ભગવાને માનતા હોય તે ભગવાનનું સ્મરણ કરવું.

પાંચ મિનિટ આ રીતે કરવાથી મગજમાં જે કઈ વિચારો હશે તે દૂર થઈ જશે અને મગજને શાંત રાખશે. માત્ર પાંચ મિનિટ આ રીતે કરવાથી ખુબ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે. ઊંઘ માટે આ ઘ્યાન મુદ્રા સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

રાત્રીનું ભોજન હળવું કરવું: રાત્રીનું ભોજન ભારે કરવાથી ખાધેલ ખોરાક પચતો નથી જેથી પેટ ભારે ભારે લાગે છે જેથી સુવા જઈએ ત્યારે આપણે આમતેમ પડખા ફેરવવા પડે છે માટે આપણે હંમેશા રહતીનું ભોજન હળવું જ લેવું જોઈએ. જેથી તે ખોરાકને પચવામાં આશાની રહે અને સુવા જાઓ ત્યારે ખુબ જ સારી ઊંઘ મેળવી શકાય છે.

રાત્રીના ભોજન પછી ચાલવું: રાત્રીના ભોજન પછી હંમેશા ચાલવું જોઈએ જેથી જેથી આપણે જે કઈ ખોરાક ખાધો હોય તેને ઝડપથી પચાવી પાચનશક્તિને મજબૂત કરે છે. ચાલીને આવવાથી આપણે જયારે પથારીમાં સુઈએ છીએ ત્યારે આપણે ખુબ જ સારી ઊંઘ આવી જાય છે. માટે રાત્રીના ભોજન પછી 25-30 મિનિટ ચાલવાનો આગ્રહ રાખવો જ જોઈએ, જેથી પેટને લગતી સમસ્યાથી પણ બચાવશે.

યોગા કરવા જોઈએ: સારી ઊંઘ લાવવા માટે આપણે દિવસની શરૂઆત થતા જ આપણે કેટલાક યોગા કરવા જોઈએ. જેથી આપણા શરીરમાં ભરપૂર સ્ફુતી રહેશે અને આપણા શરીરના દરેક અંગોને સારી કસરત પણ મળી રહેશે. આ સાથે તમે હળવી કસરત પણ કરી શકો છો. માટે તમારે સવારે 15-20 મિનિટ યોગમાં સમય નીકળવો જોઈએ. આમ કરવાથી આંખો દિવસ કામ કરવામાં મન લાગેલું રહેશે.

રાત્રીના ભોજન પછી કોઈ ચા, કોફી, તમાકુ, સિગારેટ, ઠંડુ પીણું, કોલ્ડ્રીંક જેવી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત સુવાના એક કલાક પહેલા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરવાનું બંઘ કરવું જોઈએ. જો તમને પણ રાત્રે ઊંઘ ઝડપથી નથી આવતી અને ઊંઘ અધૂરી રહી જાય છે તો ઉપર જણાવેલ અનુસાર કરવાથી તમને ખુબ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *