Heath

જો તમે ગેસની સમસ્યાથી પરેશાન છે તો આ 6 વસ્તુઓથી ભૂલથી પણ ન ખાઓ

મિત્રો ગેસ એક એવી સમસ્યા છે જેને સહન કરવી ખુબ જ કઠીન છે. જો તમે ઈચ્છો છો કે તમને ગેસ ન થાય તો તમારે અમુક વસ્તુઓનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. અને જો આ વસ્તુઓનું સેવન વધુ થઈ જાય તો સમસ્યા વધી પણ શકે છે.

આજની બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે ગેસની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તમને જણાવીએ કે ગેસ એક એવી સમસ્યા છે જેને સહન કરવી ખુબ જ કઠીન છે. આજકાલ આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. ઘણી વખત આવા ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવામાં આવે છે, જેના કારણે ગેસની સમસ્યા વધુ વધી જાય છે.

આવી સ્થિતિમાં ભોજનનું ધ્યાન રાખવાથી તમે ગેસની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ગેસની સમસ્યા સવારનો નાસ્તો સ્કીપ કરવાથી થઇ શકે છે. તેનાથી તમને છાતીમાં દુખાવો અને બળતરાની સમસ્યા અનુભવાય છે. તો એવો જાણીએ કયા ખોરાક ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

ચા : ભારતમાં દિવસની શરૂઆત જ ચા પીવાથી થાય છે.પરંતુ તમને જણાવીએ કે ચા પીવાથી પણ ગેસ થઈ શકે છે અથવા તો ગેસ વધી પણ શકે છે. જો ચાને ખાલી પેટ પીવામાં આવે તો ગેસની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ ચા ન પીવી જોઈએ. આ ઉપરાંત જમ્યા પછી તરત જ ચા પીવાથી પણ ગેસની સમસ્યા થઇ શકે છે.

મૂળાનું સેવન : શિયાળામાં ભરપૂર માત્રામાં મૂળાનું સેવન કરવામાં આવે છે. આ મૂળા પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, તેથી મૂળાનું સેવન મર્યાદિત માત્રામાં કરી શકાય છે.

છોલે : આજના લોકો છોલે-પૂરી કે છોલે-ભટુરે ઘર કરતા બહારના ખાવાનું વધુ પસંદ હોય છે પરંતુ છોલે ખાવાથી પેટમાં ગેસ બની શકે છે. જેમનું પાચન તંત્ર ધીરે કામ કરે છે અથવા તો જેમને કબજિયાત રહેતી હોય તેવા લોકોએ છોલે ન ખાવા જોઈએય.

~

ડેરી ઉત્પાદનોનો વધુ પડતો વપરાશ: ડેરી ઉત્પાદનોમાં લેક્ટોઝ હોય છે, જે સરળતાથી પચવામાં મુશ્કેલ હોય છે. જો તમને પહેલાથી જ ગેસની સમસ્યા છે, તો તમે ઓછી માત્રામાં દૂધ, દહીં, પનીર વગેરેનું સેવન કરી શકો છો.

સાઇટ્રસ ફળોનો વપરાશ: જો તમને પેટમાં ગેસની સમસ્યા રહે છે તો ખાટા ફળો જેવા કે સંતરા, દ્રાક્ષ, મીઠો ચૂનો વગેરે ખાલી પેટ ખાવાનું ટાળો. આ વસ્તુઓ ખાવાને કારણે પેટમાં ગેસ બનવાની સંભાવના રહે છે.

દાળ : કઠોળમાં પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે, પરંતુ ઘણી દાળ પેટમાં ગેસ પણ બનાવે છે. ઉદાહરણ તરીકે, કાળી દાળ અને અરહર દાળ એસિડિટીની સમસ્યા પેદા કરી શકે છે.

જો તમે પણ ગેસની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન ટાળો.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો (ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ) માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લો. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. Gujarat Fitness આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button