આજના સમયની ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે શરીરના દરરોજ નવી નવી સમસ્યાઓ જોવા મળે છે. આજનું આરામદાયક જીવન અને કસરત ન કરવાના કારણે મોટાભાગની મહિલાઓ શરીરની ચરબીને લઈને ચિંતિત રહે છે. શરીરના કોઈ પણ ભાગમાં ચરબી તમારા લુકને તો બગાડે છે પણ સાથે સાથે શરીરમાં અનેક રોગોને પણ આમંત્રણ આપે છે.
જો તમે પણ તમારી વધતી ચરબીથી પરેશાન થઇ ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એવી ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારી ચરબીને ઝડપથી ઘટાડી શકો છો. આ ઉપાય એટલો સરળ અને સસ્તો છે કે આ ઉપાય માટે તમારે તમારા રસોડા સિવાય બીજે ક્યાંય જવાની જરૂર નથી.
દરેજના રસોડામાં જુરુ જોવા મળે છે. આ જીરાની મદદથી તમે તમારી ચરબી ઘટાડી શકો છો. જીરું એક એવો મસાલો છે કે જે ખાવામાં અદ્ભુત સ્વાદ અને સુગંધ આપવાની સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.
વર્ષોથી જીરાનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે થાય છે. જીરુંમાં આયર્ન, મેંગેનીઝ, ઝીંક , મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા ભરપૂર હોય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઝડપથી ચરબી ઘટાડે છે.
જીરું સ્વાદ વધારવાની સાથે શરીરના નાના મોટ અનેક રોગોને દૂર કરવા અને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને પેટની સમસ્યા હોય છે તેવા લોકોનું વજન વધારે હોય છે. પરંતુ જીરા ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, ઉબકા, ગેસ વગેરે દૂર થાય છે અને સ્વસ્થ પેટ રાખવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
જીરું બ્લડ શુગરને બેલેન્સ કરે છે અને બ્લડ શુગરના સંતુલનને કારણે ફાસ્ટ ફૂડ અને મીઠાઈ ખાવાની ઈચ્છા પણ નિયંત્રણમાં રહે છે. જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત જીરુંમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધુ હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સારી રોગપ્રતિકારક શક્તિ પેટને સારું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
જીરું ખાવાથી તેમાં રહેલા તમામ પોષક તત્વો સારી રીતે શોષાઈ જાય છે જેથી તમને ખાવાની ઈચ્છા થતી નથી. આ સિવાય જીરું પાચનતંત્રને સુધારીને આપણને એનર્જીથી ભરપૂર રાખે છે અને મેટાબોલિઝમનું સ્તર પણ ઝડપી રહે છે. તાજેતરના અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ‘જીરાનો પાવડર લેવાથી શરીરમાં ચરબીનું શોષણ ઓછું થાય છે, જે કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે’.
ચરબી ઘટાડવા માટે જીરું કેવી રીતે લેવું?
ચરબી બર્ન કરવા માટે, તમારે તમારા દિવસના બે ભોજનમાં જીરુંનો સમાવેશ કરી શકો છો. આ ઉપરાંત તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી અને તેને આખી રાત રાખી, સવારે તેને ઉકાળી અને તેને થોડું ઠંડું કર્યા પછી પી શકો છો અને બાકીનું જીરું ચાવી ચાવીને ખાઈ શકો છો.
સાવધાની: જીરું વજન ઘટાડવામાં મદદરૂપ છે પરંતુ ધ્યાનમાં રાખો કે જીરું શુદ્ધ હોવું જોઈએ. નહિંતર તમારું વજન ઘટશે નહીં. જીરું રિફાઈન્ડ નહીં પણ કોલ્ડ પ્રેસ્ડ હોવું જોઈએ.